Skip to main content

Posts

Showing posts with the label લાઇફસ્ટાઇલ

સાયનોકોબાલની મોટી બબાલ: અથ શ્રી વિટામિન B12 કથા

  "તમારામાં વિટામિન B12ની ખામી છે, દવાનો કોર્સ કરવો પડશે." આવી વાતો આજકાલ કોમન થઈ ગઈ છે. તેનાથી પણ વધુ પ્રચલિત થયા છે એકાંતરા વાળા વિટામિન B12ના ઇન્જેક્શન. વળી હવે તો આ ઇન્જેક્ટેબલ સારવાર પણ OTC (ઓવર ધ કાઉન્ટર) બનતી જાય છે. એટલે જ્યારે પણ ભળતાં લક્ષણો જોવા મળે તો લગાઓ B12. વિટામિન D પછી સૌથી વધુ કોઈ વિટામીનની ખામી માણસોમાં જોવા મળે છે તો એ છે વિટામિન B12 જેને સાયનોકોબાલામાઈન ના હુલામણાં નામથી પણ બોલાવામાં આવે છે. 🤔 પણ આ B12 શા માટે આટલું જરૂરી છે? તેના વગર ચાલે એમ નથી? એવું તો શું કામ કરે છે આ VIP વિટામિન?  વિટામિન B12 એ આપણા DNA એટલે કે આપણો પાયો બાંધવામાં સૌથી મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત આપણા RBC એટલે કે રક્તકણોનું નિર્માણ થવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે. શરીરમાં એનર્જી પ્રોડ્યુસ કરતી કેટલીક ક્રિયાઓમાં જરૂરી ઘણા બધા ઉદ્દીપક (enzymes) ના બનવા માટે પણ આપણું લાડકવાયું વિટામિન B12 જ ભાગ ભજવે છે. ચેતાતંતુઓમાં પણ સંવેદનાના વહન માટે B12 જ મેઇન્ટેનન્સ પાર્ટનર તરીકે કામ કરે છે. મગજ જેવા મૂળભૂત અંગોનું સારી રીતે સંચાલન કરવા બદલ પણ હે વિટામિન B12! આપનો ખૂબ ખૂબ આભાર. 😱 ...

એક દિવસનો યોગ કેમ ભગાડે રોગ?

21 જૂનના રોજ આપણે યોગદિવસ મનાવી લીધો. આમ જોઈએ તો યોગાસન દિવસ મનાવી લીધો. યોગને વિશ્વ સ્તરે લાવનાર આપણે એ જ ભૂલી ગયા કે યોગ એટલે ફક્ત યોગાસન જ નહીં. યોગ આઠ અંગોનું બનેલું છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, આહાર, પ્રત્યાહાર, ધ્યાન, સમાધિ.  યોગ એ 21 જૂનના દિવસનો ટ્રેન્ડિંગ ટોપિક છે એથી વિશેષ કંઈ નથી એવું મને લાગે છે. એવું નથી કે રોજ યોગ, કસરત કે મેડિટેશન કરનારા નથી. કરે જ છે ઘણા લોકો પરતું આ દિવસે જો તમે કોઈ વિચિત્ર આસન કરેલ ફોટો સોશિયલ મીડિયા પર ન મૂકો તો તમે યોગી નથી. વિશ્વ યોગ દિવસની નિંદા કરવાનો મારો કોઈ ઉદ્દેશ નથી. વળી કેટલાક કહેશે કે દરેક દિવસ તો વર્ષે એક વાર જ ઉજવાતો હોય છે. એમાં વળી નવું શું છે? શું દિવાળીના ફટાકડા આખું વર્ષ ફોડી શકાય? શું પિચકારી લઈને આખું વર્ષ ધૂળેટી રમવાની તાકાત છે? શું આખું વર્ષ આપણે પતંગ ચગાવીને ઉતરાયણ મનાવીએ છીએ? બસ એમ જ યોગ દિવસ એક જ દિવસ મનાવવાનો હોય. વાત પૂરી. તહેવારો અને ઉત્સવો આપણા જીવનને રંગીન બનાવે છે. પણ યોગ દિવસ એ કોઈ તહેવાર કે ઉત્સવ નથી. યોગ દિવસ એ દર વર્ષે આવતું એક રીમાઇન્ડર છે. યોગ એ જીવન જીવવા માટેનું એક મેઇન્ટેનેન્સ મેન્યુઅલ છે. યોગના આઠ...

શું સોપારી ખાવાથી લોહી પાતળું થાય?

સોપારી એટલે દરેક તમાકુ સેવન કરનાર વ્યક્તિનો અંગત મિત્ર. આ મિત્ર ઘણા જુદા જુદા રંગવેશમાં મિત્રતા નિભાવે અને છેલ્લે લાલ પિચકારી સ્વરૂપે બીજા લોકોને પણ મિત્રતાનો પાકો કલર બતાવે. ખાસ કરીને પ્રથમ લોકડાઉનમાં સોપારીએ સોના સાથે જે રીતે હોડ લગાવેલી એ જોઈને એવું લાગેલું કે જો આવું લોકડાઉન એક વર્ષ રહે તો સોપારીનો ભાવ બીટકોઈનને પણ શરમાવે.  પણ વાત આપણે કોઈ કાળા બજારીની નથી કરવી કે નથી કોઈને તમાકુનું સેવન અથવા ધુમ્રપાન છોડવાનો ઉપદેશ આપવો. આપણે તો ફક્ત સોપારી વિશે ફેલાતી અફવાઓ પર થોડોક ઉપરછલ્લો પ્રકાશ પાડવો છે. કાઠિયાવાડમાં 'માવો' તરીકે પ્રખ્યાત સોપારી તમાકાનું મિશ્રણ ફક્ત સૌરાષ્ટ્રમાં જ નહીં પણ સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે. ઉત્તર પૂર્વના રાજ્યોમાં પણ અલગ અલગ સ્વરૂપે આ કોમ્બોનો રુઆબ છે. આ મજેદાર વ્યસનના મોટાભાગના અનુયાયીઓ પોતાના વ્યસનને જસ્ટિફાય કરવા અથવા બીજાને પોતાના વ્યસનના લાભની લાલચ આપવા એક વાત જરૂર કહેશે કે સોપારી તો બહુ સારી, તેનાથી લોહી પાતળું રહે અને હાર્ટ એટેક ના આવે. આવું કહેવા પાછળનું એ લોકોનું મનોવિજ્ઞાન બસ એટલું જ કે પોતે જે કરે છે એ કઈક બરાબર જ કરે છે. હવે આ અનુયાયીઓને તમે કઈ રી...

મેદસ્વિતાએ માજા મુકી

બાળપણમાં ગાંધીજીનો એક પ્રસંગ ભણવામાં આવતો જેમાં ગાંધીજી કહેતા કે ખપ પૂરતું જ પાણી વાપરો. હવે એક કદમ આગળ વધવાનો સમય આવી ગયો છે. ગાંધીજી જો આ સમયે હયાત હોત તો વધુમાં ઉમેરતા જાત કે ખપ પૂરતું જ ખાઓ. Eat, Drink and be Merry ની ફિલોસોફીને ગળે વળગાળીને ગમતું કરવાની આપણી ટેવ છેલ્લા બે ત્રણ દસકામાં વધુ પડતી ઉભરાઈ ગઈ હોય એવું લાગે છે. આજે પણ સુકલકડી હોવું એ સ્ત્રીઓ માટે સન્માનની બાબત છે તો પુરુષો માટે શરમની શરવાણી. વધુ પડતી મેદસ્વિતા એ જાહોજલાલીની નિશાની તથા પાંસળીઓ દેખાવી એ ગરીબીની નિશાની - આ સર્વે ખૂબ જ જુના સમયથી અમલમાં છે. રૂપક તરીકે લઈએ તો સાચો પણ છે. પરંતુ જ્યારે મેદસ્વિતાના માઠાં પરિણામો ભોગવવાનો વારો આવે ત્યારે એકેય જાહોજલાલી કામ નથી લાગતી. સવારના પહોરમાં પોતાની ફાંદ લઈને રોડ પર કે ગાર્ડનમાં નીકળતા લોકો કદાચ આ વાત સારી રીતે સમજતા હશે. પશ્ચિમી દેશોએ મેદસ્વિતા(obesity)ને એક મોટી બીમારી તરીકે બઢતી આપી છે અને માન્યું છે કે આ એક એવો મીઠો રોગ છે જે સમય જતાં કડવો અનુભવ કરાવે છે. 2016 ના એક સર્વે મુજબ ભારતની 3.9% વસ્તી મેદસ્વિતાની ઝપેટમાં છે જે ભારતને વિશ્વમાં હાલમાં તો 187 મા ક્ર...

સાતત્યતાથી દુર દવા થઈ દારુણ: Drug Adherence

"Keep a watch... on the faults of the patients, which often make them lie about the taking of things prescribed." -Hippocrates           મેડિસિન ના ભીષ્મ એવા હિપોક્રેટ્સ ઉપરની ભવિષ્યવાણી એવા સમયે કરી ગયા જ્યારે ઈશુ નો જન્મ પણ થયો ન હતો. એમને ખબર હતી કે મારા વાલીડાઓ એટલા સીધા તો નહીં જ હોય કે કીધું કરે. અહીં 'કવિ' હિપોક્રેટ્સ દર્દીઓને રૂપક બનાવીને સમજાવે છે કે દવાને કહ્યા પ્રમાણે ન લેનારો દર્દી ડોકટર પાસે જઈને તો ખોટું ડહાપણ કરશે જ  કે તમારી દવા બધી બરાબર ખાધી પણ કાંઈ ફેર પડ્યો નહીં.           દવા ખાવી એ જ ઘણી વાર પૂરતું નથી હોતું આપણી બીમારીને ડામવા માટે; સાથે સાથે એ દવા ક્યારે, કેટલી, કોની સાથે, કેટલી વાર અને કેટલા દિવસ લેવી એ પણ પુરેપુરો ખ્યાલ હોવો જરૂરી છે. દવા કે સારવાર પ્રત્યે આપણી સાતત્યતા અને ડોકટર કે ફાર્માસીસ્ટ દ્વારા એના માટે અપાયેલ તમામ સુચનોનું પાલન એટલે જ Drug adherence. અહીં દવા કે સારવાર પૂરતું મર્યાદિત ન રાખતા WHO સારવારને અનુકૂળ જીવનશૈલીમાં પરિવર્તન અને ખોરાક માં નિયમિત કહ્યા મુજબ નું અનુસરણ ને પણ Drug adhe...