સોશિયલ મિડીયાનો ત્યાગ કરવો એ કોઈ ભીષ્મ પ્રતિજ્ઞા જેટલું અઘરું નથી. વળી, ત્યાગ કરવાથી તમે કોઈ સંત બની જશો એવું પણ નથી. સોશિયલ મીડિયામાંથી સંન્યાસ લેવો એ સંસારમાંથી સંન્યાસ લેવા જેવું કપરું કામ નથી. આમ છતાં જો તમે સોશિયલ મીડિયા છોડી દો છો અને ત્યારબાદ તમને વીથડ્રોઅલ સિન્ડ્રોમની કિક લાગે તો સમજી લેવું કે સાલું આ તો સંસાર છોડવા જેવું કપરું કામ હતું! ડિજિટલ દુનિયામાં સોશિયલ મીડિયા હવે એક અનિવાર્ય ઓળખપત્ર બનતું જાય છે. જો તમે સોશિયલ મિડીયા પર નથી તો લોકો તમને શંકાની નજરે જોઈ શકે છે. ઘણીવાર તો એવું પણ વિચારી શકે કે તમે પોતાના નામે નહી પણ કોઈ એન્જલ કે પ્રિયાના નામે સોશિયલ મીડિયા પર અગ્નાતવાસ ભોગવી રહ્યા હો. આ બધા આરોપ પ્રત્યારોપ વચ્ચે કેટલાક મહત્વના સોશિયલ મીડિયાના અમુક ઘાતક હથિયારો વિશે જાણીએ. અલ્ગોરિધમ સોશિયલ મીડિયાનું અલ્ગોરિધમ એટલે કાબુ બહારની વાત. જેણે પણ આ અલ્ગોરિધમ ડિઝાઇન કર્યું હશે એ મગજનો મહાનતમ જાણકાર ગણાય. એક જ વાત વિશે વિચારતા વિચારતા તેને લગત બીજી વાત પર તમે કઈ રીતે પહોંચી જાઓ છો તે તમને પણ ખ્યાલ રહેતો નથી. ...
કોઈ પણ નાની કે મોટી બીમારી વખતે દરેકને સ્વસ્થ શરીરની કિંમત સમજાય છે. જો કે આવી કૃતજ્ઞતા બહુ લાંબી ટકતી નથી. આપણે સ્વસ્થ થવા માટે ચારેબાજુથી તકલાદી ટ્રીક્સ અને ટીપ્સ અપનાવતા હોઈએ છીએ પણ નિભાવતા હોતા નથી. જો કે ઘણા લોકોનું જીવન જ એટલું ડિસિપ્લિનથી ભરેલું હોય છે કે તેની જીવનશૈલીની સાતત્યતા જ તેના સ્વાસ્થ્યની ચાળી ખાતી હોય છે. તમે બીમાર લાગો છો એવું કહેવાવાળા અને બીમારીના લક્ષણો ઓળખાવવાવાળા તો હજારો મળી જશે પરંતુ તમે સ્વસ્થ લાગો છો એવું કહેવાવાળા બહુ ઓછા હોય છે અને જે કહેતા હોય તે પણ ઉપરછલ્લી રીતે ફક્ત તમારા શરીરના બાંધાને જોઈને જ અનુમાન લગાવતા હોય છે. લોકોની વ્યાખ્યામાં કહીએ તો તાજોમાજો કે મસ્ક્યુલર વ્યક્તિ સ્વસ્થ સમજાય છે જ્યારે દૂબળો પાતળો કે નબળા બાંધાવાળા બીમારની કેટેગરીમાં ઓળખાય છે. ખરેખર તમે સ્વસ્થ છો કે નહીં એ આ સાત પેરામીટર દ્વારા તમે તમારી જાતે જ નક્કી કરી શકો છો. 1. સવારે નિશ્ચિત કરેલા સમયે ઊઠવું સવારમાં વહેલા ઉઠવાનો મહિમા તો તમામને ખબર જ છે. વહેલું ઊઠવું શરીર માટે લાભદાયી છે પણ જો રાત્રિ દરમિયાન પૂરતી ઊંઘ થઈ હોય તો જ. કેટલાક લોકોની કામગીરી જ એવી હોય છે કે રાત્રે વહે...