Skip to main content

તંત્રની બેદરકારી એટલે શું?

 આજકાલ મીડિયા માટે લખવી જે ખૂબ જ સરળ બની ગઈ છે એવી આ હેડલાઈન દરેક લોકોના જીભે ચડી બેઠી છે. પણ આ તંત્રની વ્યાખ્યા થોડી સમજવાની જરૂર છે.


આ તંત્ર એટલે કોણ? સરકારી કચેરી? સરકારી દવાખાના? સરકારી કર્મચારીઓ? સરકાર પોતે? આમાંથી કોણ?


ખરેખર ઉપરના બધા તો તંત્રનો એક ચતુર્થ ભાગ સમાન જ છે. સાચું તંત્ર બનેલું છે લોકોનું. જ્યાં લોકો નથી, નાગરિકો નથી એ તંત્ર નથી. ઘણી વાર તંત્રમાં ઉપરનામાંથી એક પણ ન હોય છતાં એ તંત્ર હોઈ શકે. રેલીઓ સરકારે કરી તેને સફળ બનાવી લોકોએ. મેચોનું આયોજન થયું તેની ટિકિટો બેફામ વેચાઈ, લીધી કોણે, લોકોએ. એટલે જ્યારે જ્યારે તંત્ર સામે એક આંગળી ચીંધવામાં આવે છે ત્યારે ત્યારે ત્રણ આંગળીઓ આપણી તરફ પણ હોય છે અને આ આંગળીઓ ભેગી મળીને જ તંત્ર બનાવે છે.


હવે બેદરકારી શબ્દ તરફ પ્રયાણ કરીએ. આવી મહામારીમાં પોતાની ફરજ બજાવતા (આને ઉપકાર ન સમજીને ફરજ સમજીએ તો પણ..) હેલ્થ સ્ટાફ ઉપર દરરોજ માછલાં ધોવા કેટલા વ્યાજબી છે? ક્યારેક કોઈના ટેસ્ટમાં ટેક્નિકલ ક્ષતિ આવે તો બેદરકારી. કોઈનો જીવ જાય તો હેલ્થ સ્ટાફની બેદરકારી. કોઈને બેડ ઉપલબ્ધ ન થાય તો હેલ્થસ્ટાફની બેદરકારી. કોઈને પૂરતી દવાઓ ઉપલબ્ધ ન થાય તો દવાખાનાની બેદરકારી. શું ક્યારેય કોઈ મીડિયાએ આમાં અંદર ઉતરવાની દરકાર કરી છે? કરે તો ન્યુઝ થોડા બને. કારણ કે ખરેખર આ બધી બેદરકારી નથી હોતી પણ મોટેભાગે મર્યાદાઓ હોય છે. ઓવરલોડેડ વાહન પણ લાંબો સમય ચલાવામાં આવે તો બ્રેકડાઉન થઈ શકે કે એક્સિડન્ટ થવાનો ભય રહે. આ તો મનુષ્ય છે કોઈ સુપરહીરો તો નથી કે જે છેલ્લા તેર મહિનાથી સતત આ મહામારી સાથે તો લડી જ રહ્યા છે પરંતુ કેટલીક મજબૂરીઓ સાથે પણ લડી રહ્યા છે અને આ મજબૂરીઓના ઘાવ પર નમક છાંટવાનું કામ મીડિયા કરે છે. તેર મહિનાના ઘાવ તેના શરીર પર નહીં દેખાય પણ તેની મન:સ્થિતિનો સીટી સ્કેન કરવામાં આવે તો જરૂર ડિપ્રેશન પોઝિટિવ આવે. આ ન દેખાતા ઘાવ વડે ઝઝૂમતું શરીર જ્યારે કોઈ ભૂલ કરી બેસે તેને બેદરકારીનો સિક્કો લાગે છે. જેના તેર મહિના હોસ્પિટલની બિલ્ડીંગથી ઘરના એક દસ બાય દસના  અલાયદા રૂમ સુધી સીમિત હોય તેના દ્વારા હવે આવી બેદરકારીઓ વધવા પણ સંભવ છે. 


..તો શું આ 'થાક' ના જસ્ટિફિકેશન વડે આપણે આ મજબૂરીને ક્ષમ્ય ગણશું? ના, એ તો કેટલાક બેજવાબદારો માટે જવાબદારીમાંથી બચવાનું બહાનું બની જશે. અત્યારે જ્યારે 'માનવસર્જિત' ભૂલો આ ઓવરલોડને કારણે વધી રહી છે તેના મૂળના કારણો શોધવામાં મીડિયા અત્યાર સુધી ઘોરી રહ્યું હતું. આ બેદરકારીઓની મોટી માછલીઓ ક્યારેય જાળમાં ફસાતી હોતી નથી. આ મજબૂરીઓમાંથી કેટલીક મજબૂરીઓ તો વર્ષોથી બિરાજમાન હતી જેને નજર અંદાજ કરવામાં આવી. સિલેક્ટિવ જર્નાલીઝમ પણ આ મજબૂરીઓ પ્રેરનારું પરિબળ છે. જ્યારે કોઈ આગની ઘટના બને કે તરત દરેક બિલ્ડિંગમાં ફાયરસેફટી ચકાસવાના સ્ટિંગ શરૂ કરતું મીડિયા ઘટના પહેલા ક્યાં હતું? કેમ કોઈ મુસીબતનું નિદાન પહેલેથી નથી થતું? કારણ કે જો નિદાન પહેલેથી થાય તો તે નિદાન ન્યુઝ ના બની શકે. બે વર્ષ પહેલાં બનેલી સુરતની ટ્યુશન ક્લાસિસમાં આગમાં હોમાઈ ગયેલા બાળકોની ઘટના બાદ શું ફાયર સ્ટેશન હવે મજબૂત થયું કે કેમ તેની ચકાસણી થઈ કે કોઈ ટ્યુશન કલાસીસમાં સેફટીની ચકાસણી થઈ? અને જો સક્ષમ થઈ ગયું હોય તો એ સમાચાર કેમ ના હોઈ શકે?


બેદરકારીના સમાચારો સાથે એક એવો વર્ગ ઉભો થયો છે જે કોરોનાથી નથી ડરતો એટલો હોસ્પિટલથી ડરે છે. કોરોનાને સ્કેમ સમજીને હજુ પણ નાદાની કરી રહ્યા છે. વેક્સિન અંગે પણ મનફાવે એમ દુષ્પ્રચાર કરી રહ્યા છે. આવું કરીને તે વાસ્તવિકતાનો સ્વીકાર ન કરવાની નબળાઈ બતાવી રહ્યા છે. આ લોકો પેલા શાહમૃગ જેવું વર્તન કરી રહ્યા છે જે એવું માને છે કે હું માથું જમીનમાં છુપાવી દઈશ તો કોઈ મને જોઈ નહીં શકે. વાસ્તવિકતા સ્વીકાર્યા વગર કે ભુલ સ્વીકાર્યા વગર ક્યાં સુધી કાલ્પનિક ભયના ડાયેરિયા ફોરવર્ડ કરતા રહેશો? એક વર્ષ થઈ ગયું, આપણે કોરોનાને હજુ ન ઓળખી શક્યા પણ કોરોના આપણને બહુ સારી રીતે ઓળખી ગયો છે.

Comments

Popular posts from this blog

એડોલ્શન્સ: ટીનેજર સ્ટોરી કે પેરેન્ટિંગ ડોક્યુમેન્ટ્રી!?

                         વેબસિરિઝ: એડોલ્શન્સ             કેરેકટર: એડવર્ડ મિલર અને લ્યુક બેસકોમ્બ ચાર એપિસોડ વાળી અને દરેક એપિસોડ શરૂઆતથી અંત સુધી સિંગલ શોટમાં શૂટ થયેલી મિનિસિરિઝ આમ તો એકદમ બોરિંગ છે અને એકદમ સ્લો છે પણ જો તેને તમે એક ટીનેજરની લાઇફ આસપાસની ડોક્યુમેન્ટ્રી તરીકે જુઓ તો આ સિરીઝમાં ઘણો રસ પડશે. આ સિરીઝ શરૂ થાય ત્યારે એવું લાગે કે સસ્પેન્સ થ્રિલર છે પણ હકીકતમાં આ સિરીઝમાં આપણે જે નોર્મલ જોઈએ છીએ એવી ઘટના અંગેનું સસ્પેન્સ છે જ નહી પરતું આ ઘટનાનો જન્મ કેવી રીતે થયો તેના તાણાવાણા પર જ ચાર એપિસોડ ચાલે છે. ઘટનાના મૂળ સુધી જવામાં ટીનેજરના મનોવૈજ્ઞાનિક આવેશો, સોશિયલ મીડિયા, સ્કૂલ કલ્ચર, પોર્નોગ્રાફી આ બધું પેરેન્ટિંગ પર કઈ રીતે પાણી ફેરવે છે તેના પડ ધીમે ધીમે ખુલે છે. આગળ નાના મોટા સ્પોઇલર છે પણ તેનાથી સિરીઝ જોવામાં કોઈ ખાસ અસર નહી પહોંચે, જો તમે સિરીઝને ડોક્યુમેન્ટ્રી તરીકે લેવાના હો તો. સિરીઝનું નામ ભલે એડોલ્શન્સ હોય પણ ખરેખર તો આજે વાત આ ટીનેજરની નહીં પણ તેના એડલ્ટ પિતાની કરવા...

દવાઓ બેફામ: વરદાન કે અભિશાપ?

હોસ્પિટલ ફાર્માસિસ્ટ તરીકે નોકરી કરવી એ શરૂઆતના દિવસોમાં ખૂબ જ ધીરજ માંગી લે એવું કામ હતું.  કેમ? કારણ કે જે પણ એકેડેમિક નોલેજને બસ ઇમ્પ્લીમેન્ટ કરવાની તૈયારી કરતો હતો એ જ એકેડેમિક અહીં પેંડેમીક બનીને ઉભું હતું. આ પેંડેમીક એટલે દવાઓનો બેફામ ઉપયોગ. ના માત્ર એન્ટિબાયોટિકસ જ નહીં પણ સ્ટીરોઇડ્સ, પેઈન કિલર, એન્ટાસિડ દરેકનો આ જ હાલ હતો અને છે. એવું નથી કે આવું ફક્ત ગ્રામ્ય કક્ષાએ જ છે. મોટા શહેરોમાં પણ ઝડપથી સાજા થવાની લ્હાયમાં આવા દવાઓના બેફામવેડા ચાલુ જ છે. એલોપેથી દવાઓ ઝડપથી રાહત કરવા માટે પ્રખ્યાત છે પણ હવે લોકોની ધીરજ અને સહનશક્તિ એટલી હદે જવાબ દઈ ચુકી છે કે આ એલોપેથીની ઝડપ પણ તેને હવે ઓછી લાગે છે. આવા સમયમાં આયુર્વેદ થેરાપીની તો વાત જ કેમ કરવી? આયુર્વેદ ધીમી સારવાર માટે ભલે જાણીતું હોય પરંતુ તેની દરેક સારવારના પરિણામ ધીમા જ મળે એવું જરૂરી નથી હોતું. પણ આમ છતાં આયુર્વેદનો ચાર્મ હાલ તો એલોપેથી ની સાપેક્ષે ખૂબ જ પાછળ છે. વળી, મહેરબાની કરીને કોઈ હોમીઓપેથી, નેચરોપેથી કે યુનાની જેવી પધ્ધતિઓ ની તો વાત જ ન કરતા. એ તો હજુ લોકપ્રિયતાની એરણ પર જોજનો દૂર છે. અહીં વાત અસરકારકતાની નહ...

વાર્તા રે વાર્તા: એક જંગલ હતું.

  એક જંગલ હતું. રાજા તો સિંહ જ હોય. જંગલમાં બધા પ્રાણીઓ રાજા ના ગુણગાન કરતા કારણ કે તેને ખબર હતી કે જેટલા ગુણગાન કરીશું તેટલા રાજાના શિકાર બનવાથી બચી શકાય એમ છે. સિંહને પણ શિકારની સાથે સાથે જંગલના પ્રાણીઓના સાથની જરૂર હતી જેથી કરીને એ બીજા જંગલના રાજા વાઘ તથા નદીઓના રાજા મગરમચ્છ પાસે પોતાના જંગલના સુખી સામ્રાજ્યની મોટી મોટી વાતો કરી શકે.  પરંતુ આમ કરતા કરતા તેને લાગ્યું કે હું ખુલ્લેઆમ પ્રાણીઓનો શિકાર નહિ કરી શકું, નહિ તો સિંહની ઈમેજ બગડી શકે છે જંગલમાં. એટલે તેણે જંગલના ઝરખ ને બોલાવ્યું. ઝરખને ઑફર કરી કે આમ પણ તું વધેલો શિકાર જ ખાઈને ગુજરાન ચલાવે છે, જાતે તો સારો શિકાર કરી શકતો નથી. તેના કરતાં સારું છે કે તું દરરોજ નિયમતપણે મારી પાસે એક પ્રાણીને લઈ આવ, હું ખાઈ લઉં પછી બાકી વધે એ તમારું અને તમારે ક્યાંય દરરોજ એઠવાડ માટે આંટા પણ મારવા ન પડે. ઝરખ તો તેની ટીમ  સાથે સહમત થઈ ગયું. ઝરખ ક્યારેક સસલાંને તો ક્યારેક ગાય, ભેંસને તો ક્યારેક કૂતરા કે હરણાંને વાતોમાં પરોવીને કોઈને ખબર ના પડે એવી રીતે છુપી રીતે સિંહની ગુફામાં લઈ જાય. પછી જેવી સિંહ પોતાની મિજબાની પુરી કરે એટલે વધેલું ઝરખ...