Skip to main content

વર્લ્ડ ફાર્મસી ઇન્ડિયા : કહીં નજર ના લગ જાયે



હજુ તો 2023નો પ્રથમ મહિનો પૂરો થવામાં પણ કેટલાક દિવસોની વાર હતી ત્યાં અમેરિકાથી સેન્ટર ફોર ડ્રગ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) દ્વારા ન્યુ યોર્ક ટાઈમ્સમાં એક ખબર પ્રકાશિત થઈ જેમાં Ezricare Artificial Tears નામના આંખના ટીપાંને પ્રાણઘાતક જાહેર કરવામાં આવ્યા. આ ટીપાંનો ઉપયોગ આમ તો હજારો લોકોએ કરેલો હશે પણ તેમાંથી 3 લોકોએ જીવ ગુમાવ્યા અને 8 લોકો કાયમી અંધાપાનો ભોગ બન્યા. બાકી ઘણા લોકોને નાની મોટી બીમારીઓ થઈ જેમાં ફેફસાંની બીમારીથી લઈને ઘા ન રૂઝાવા સુધીના અનેક પ્રશ્નો સામે આવ્યા. આ દવાને ભારતની તમિલનાડુમાં આવેલી ગ્લોબલ ફાર્મા હેલ્થકેર દ્વારા બનાવીને અમેરિકા એક્સપોર્ટ કરવામાં આવેલ અને ફરી એકવાર ભારતની ફાર્મા કંપની દુનિયાની શંકાશીલ નજરોમાં આવી ગઈ.


આ Ezricare આંખના ટીપાં એટલે કાર્બોક્સી મિથાઇલ સેલ્યુલોઝ કે જે કૃત્રિમ આંસુ તરીકે વપરાય છે. નામની જેમ જ જ્યારે આંખ સૂકી લાગે અને ઇરિટેશન જેવું થાય ત્યારે આ ટીપાં આંખમાં 'ઓઈલિંગ' કરીને આંખનો ઘસારો અટકાવવાની સેવા બજાવે છે. તો આવી સેવા જીવલેણ કેમ બની? CDC અને USFDAનું જો કહેવું માનીએ તો આ આંખની દવાના બંધ સિલપેક વાયલમાંથી Pseudomonas aeruginosa નામક એક ખુબજ શક્તિશાળી એન્ટિબાયોટિક પ્રતિરોધક બેક્ટેરિયાનો ગ્રોથ જોવામાં આવ્યો. જેને કારણે આ બધા કોમ્પ્લિકેશન્સ જોવા મળતા હતા.


પરંતુ આરોપી કંપનીનું કહેવું માનીએ તો તામિલનાડુની ડ્રગ ઓથોરિટીએ આ જ બેચના સેમ્પલ ટેસ્ટ કર્યા અને ઉપરાંતના અવેલેબલ બીજી પણ Ezricareની 24 બેચ તપાસી જોઈ તો તેમાં આવા કોઈ બેક્ટેરિયા જોવા મળેલ નથી તેવું જાહેર કર્યું. આવું જાહેર કરવા છતાં ગ્લોબલ ફાર્માએ પોતાની આ પ્રોડક્ટ USમાંથી પાછી ખેંચવાની શરૂ કરી દીધી અને જે લોકો ઉપયોગ કરતા હોય તેને પણ ઉપયોગ ન કરવાની વિનમ્ર ચેતવણી આપી! આ રિકોલ પણ જેવું તેવું નહિ પરંતુ કંપની દ્વારા ક્લાસ 1 કક્ષાનું રિકોલ શરૂ કરાયું. 


[રિકોલને મુખ્યત્વે FDA મુજબ ત્રણ ક્લાસમાં વ્યાખ્યાયિત કરેલ છે. 

  • જો માર્કેટમાં કોઈ ગંભીર બીમારી કે ઇજા પહોંચાડે એવી પ્રોડક્ટ હોય તો રિકોલ કલાસ 1. 
  • જો ગંભીર બીમારી કે આડઅસરની શકયતા લાગતી હોય પણ ચોક્કસ ન હોય ત્યારે રિકોલ કલાસ 2. 
  • કોઈ ગંભીર આડઅસર કે બીમારી ન ફેલાવે પણ તે તેના રેગ્યુલેશન પ્રમાણે તૈયાર થયેલ ન હોય ત્યારે રિકોલ કલાસ 3 અમલમાં મુકાય છે.]


આરોપી ગ્લોબલ ફાર્મા એકબાજુ પોતાને નિર્દોષ બતાવે છે અને બીજી બાજુ કલાસ 1 રિકોલ માટે ફેબ્રુઆરીના અંતમાં જ ઓર્ડર આપે છે. આ બાજુ આદુ ખાઈને પાછળ પડેલી CDC અને USFDA વારંવાર દુનિયાના પ્લેટફોર્મ પર આ જોખમી બેક્ટેરિયાની હેડલાઈન્સ મુકતું રહે છે. તો સમજવું શું? આખિર કાતિલ હૈ કૌન...? CDCના નામમાં જેમ પ્રિવેન્શનનો P સાયલન્ટ છે એમ ક્યાંક CDCના ઇરાદાઓ તો ક્યાંક સાયલન્ટ નથી ને..?


ચાલો તેનો તાગ મેળવવા માટે સિઝન 2 તરફ આગળ વધીએ.


2022 ના જુલાઈ-ઓગસ્ટમાં પણ આવી જ એક ન્યુઝ હેડલાઇને આખા વિશ્વમાં વર્લ્ડ ફાર્મસી ભારતની ફજેતી કરવાની તક ઝડપી હતી. આફ્રિકાના ગામ્બિયા દેશમાંથી ખબર આવી કે ભારતની મેઇડન ફાર્મા નામની કંપનીએ એક્સપોર્ટ કરેલ કફ સીરપ પીવાથી 66 જેટલા બાળકો મૃત્યુ પામ્યા. (આંકડા તરફ ન જતાં કારણ કે WHOએ આ આંકડો અત્યારે 300 બાળકો સુધી પહોંચાડી દીધો છે.) 


ગામ્બિયા એક ગરીબ દેશ છે કે જેની પાસે પૂરતી ટેસ્ટિંગની સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી તેણે આ કેસમાં ઊંડું ઉતરવા માટે ટેસ્ટિંગનો સઘળો કારભાર CDCને સોંપી દીધો. જગત જમાદાર અમેરિકાની આ એજન્સી ફરી એકવાર ભારતના કેસમાં દાખલ થઈ અથવા કરવામાં આવી જે સંયોગ ગણો એ પણ તેણે ગામ્બિયાનો વિકટીમ કાર્ડ તરીકે ઉપયોગ કરવાનો શરૂ કરી દીધો. ફરી એકવાર ગ્લોબલ મીડિયામાં પોતે એક ગરીબ દેશની વ્હારે આવ્યું છે એવી છાપ ઉભી કરવાની સાથે મેઇડન ફાર્મા પર આરોપ પણ લગાવ્યા.


આરોપ સંગીન હોય તો તપાસ તો થવી જ રહી. ભારત સરકારે ફાર્માકોલોજીસ્ટ ડૉ.વાય. કે. ગુપ્તાના વડપણ હેઠળ એક તપાસ કમિટીની રચના કરી જેમાં નમુનાની તપાસ બાદ આ કફ સીરપ અને ગામ્બિયામાં થયેલા બાળકોના મૃત્યુ વચ્ચે કોઈ કોરિલેશન નથી એવું સામે આવ્યું. (અથવા લાવવામાં આવ્યું એ ભગવાનને ખબર) પણ મેઇડન ફાર્માનો હરિયાણા પ્લાન્ટ કે જ્યાં આ સીરપ બન્યા તેને તરત જ તાળાં મારવામાં આવ્યા. હેલ્થ મિનિસ્ટ્રિના સૂત્રો જણાવે છે કે આ રિપોર્ટ જ્યારે WHO દ્વારા માંગવામાં આવ્યો ત્યારે આ WHOનો ડોમેઈન એરિયા નથી એવું કહીને ભારત દ્વારા તેને બધા જ રિપોર્ટ આપવામાં આવ્યા નહિ. બીજી બાજુ ગામ્બિયાની ઓથોરિટીએ જે સેમ્પલ્સને ડેન્જર જાહેર કરેલા એ કફ સિરપના સેમ્પલ ભારત સરકારે WHO પાસે માંગ્યા ત્યારે તેનો પણ હજુ સુધી કોઈ જ વળતો જવાબ WHO એ આપ્યો નહિ . 


આ બ્લેમ ગેમ વચ્ચે મૃત્યુ પામેલા બાળકોનું રહસ્ય દરેક પોતપોતાના સત્યના ચશ્માંથી બતાવવાની કોશિશ કરી રહ્યા છે. છતાં કોઈ એક અપરાધી પર વિશ્વાસથી કોઈ આંગળી મૂકી શકતું નથી. આવું કેમ? 


ચાલો હજુ એક સિઝન 3 ફેંદી લઈએ...


ગત ડિસેમ્બરમાં ફરી એકવાર એક કફ સીરપે 18 બાળકોનો ભોગ લીધો. આ વખતે દેશ હતો ઉઝબેકિસ્તાન અને આ ભારતની કફ સીરપ બનાવનાર કંપની હતી મેરીઓન બાયોટેક. ઉઝબેકિસ્તાનની ઓથોરિટીએ ભારત સરકારને સીધી જ આ અંગે જાણ કરી જેમાં વચ્ચે કોઇ જગત જમાદારની જરૂર ના પડી. ભારત સરકારે તરત જ આ કફ સિરપના સેમ્પલ ચંદીગઢ લેબમાં તપાસ અર્થે મોકલ્યા. થોડા જ દિવસોમાં ઉત્તરપ્રદેશ સરકારે પણ તેની રીતે આ સેમ્પલને ટેસ્ટ કર્યા અને આ વખતે ઉઝબેકિસ્તાન સાચું ઠર્યું. ઘણા સેમ્પલ તેની સ્ટાન્ડર્ડ ક્વોલિટીથી જોજનો દૂર નીકળ્યા તેમજ કેટલાક ભેળસેળવાળા બનાવટી કેમિકલ પણ મળ્યા. આ કંપનીના ત્રણ મોટા એમ્પ્લોયી અત્યારે સળિયા પાછળ છે.


પણ WHO ને ભાવતું'તું 'ને વૈધે કીધું જેવો તૈયાર લાડવો મળી ગયો અને આ કિસ્સાને પણ ગામ્બિયા સાથે જોડીને એક એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું. ટૂંકમાં કહીએ તો ભારતને નોટિસ ઇસ્યુ કરી દીધી. WHO સંસ્થા કોરોના કાળ પછી તેના ગણ્યા ગાંઠ્યા દેશ તરફી ઝુકાવ માટે બદનામ તો હતી જ હવે એ વધુ શંકાશીલ બની છે.


ઉપરોક્ત કિસ્સાઓ દર્શાવે છે કે પૂરતા પુરાવાઓ હોય તો ભૂલ સ્વીકાવામાં ભારતે પાછી પાની નથી કરી પણ જ્યારે કોઈ શંકાશીલ ષડયંત્રની ગંધ આવે ત્યારે રાજકીય કાવાદાવા ખેલવામાં વર્લ્ડ ફાર્મસી પણ કાંઈ ઉણી ઉત્તરે એમ નથી.


પરંતુ તેનો મતલબ એવો જરાય નથી કે વર્લ્ડ ફાર્મસીના ટેગ ખાતર આપણે ક્વોન્ટીટી ઉપર એટલો બધો ભાર આપી દઈએ કે કવોલિટી ક્યાંક ખોવાઈ જાય. હાલમાં જ દેશની અઢાર જેટલી કંપનીઓમાં સરકારની એજન્સીઓ દ્વારા રેઇડ પાડીને નકલી દવાઓનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ગત ડિસેમ્બરમાં સનફાર્માએ પણ પોતાની Diltiazem નામની હૃદયની દવાને અમેરિકાના માર્કેટમાંથી કન્ટેન્ટ યુનિફોરમિટી ટેસ્ટ ફેલ થવાના કારણે કલાસ 3 રિકોલ કરી હતી. આવું કરવાથી કોઈ નાનું નથી થઈ જવાનું. પરંતુ આંતરરાષ્ટ્રીય દ્વેષ અને ઈર્ષ્યાની માયાજાળમાં માસૂમ જિંદગીઓને પ્યાદા બનાવવાનું દુનિયાએ માંડી વાળવું જોઈએ.


સુપર ઓવર: 

દવાની આડઅસર દર્દીની તાસીર પર આધાર રાખે છે પણ દવાની સારી અસર ફક્ત અમારા પર આધાર રાખે છે. 

લી. ડૉ. જશવાલા
આપના ખભે બંદૂકવાળી ગલી,
કમિશનપુર ચાર રસ્તા,
અમથાવાદ

Comments

  1. Great.......analysis...... to sandip bhai

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

એડોલ્શન્સ: ટીનેજર સ્ટોરી કે પેરેન્ટિંગ ડોક્યુમેન્ટ્રી!?

                         વેબસિરિઝ: એડોલ્શન્સ             કેરેકટર: એડવર્ડ મિલર અને લ્યુક બેસકોમ્બ ચાર એપિસોડ વાળી અને દરેક એપિસોડ શરૂઆતથી અંત સુધી સિંગલ શોટમાં શૂટ થયેલી મિનિસિરિઝ આમ તો એકદમ બોરિંગ છે અને એકદમ સ્લો છે પણ જો તેને તમે એક ટીનેજરની લાઇફ આસપાસની ડોક્યુમેન્ટ્રી તરીકે જુઓ તો આ સિરીઝમાં ઘણો રસ પડશે. આ સિરીઝ શરૂ થાય ત્યારે એવું લાગે કે સસ્પેન્સ થ્રિલર છે પણ હકીકતમાં આ સિરીઝમાં આપણે જે નોર્મલ જોઈએ છીએ એવી ઘટના અંગેનું સસ્પેન્સ છે જ નહી પરતું આ ઘટનાનો જન્મ કેવી રીતે થયો તેના તાણાવાણા પર જ ચાર એપિસોડ ચાલે છે. ઘટનાના મૂળ સુધી જવામાં ટીનેજરના મનોવૈજ્ઞાનિક આવેશો, સોશિયલ મીડિયા, સ્કૂલ કલ્ચર, પોર્નોગ્રાફી આ બધું પેરેન્ટિંગ પર કઈ રીતે પાણી ફેરવે છે તેના પડ ધીમે ધીમે ખુલે છે. આગળ નાના મોટા સ્પોઇલર છે પણ તેનાથી સિરીઝ જોવામાં કોઈ ખાસ અસર નહી પહોંચે, જો તમે સિરીઝને ડોક્યુમેન્ટ્રી તરીકે લેવાના હો તો. સિરીઝનું નામ ભલે એડોલ્શન્સ હોય પણ ખરેખર તો આજે વાત આ ટીનેજરની નહીં પણ તેના એડલ્ટ પિતાની કરવા...

દવાઓ બેફામ: વરદાન કે અભિશાપ?

હોસ્પિટલ ફાર્માસિસ્ટ તરીકે નોકરી કરવી એ શરૂઆતના દિવસોમાં ખૂબ જ ધીરજ માંગી લે એવું કામ હતું.  કેમ? કારણ કે જે પણ એકેડેમિક નોલેજને બસ ઇમ્પ્લીમેન્ટ કરવાની તૈયારી કરતો હતો એ જ એકેડેમિક અહીં પેંડેમીક બનીને ઉભું હતું. આ પેંડેમીક એટલે દવાઓનો બેફામ ઉપયોગ. ના માત્ર એન્ટિબાયોટિકસ જ નહીં પણ સ્ટીરોઇડ્સ, પેઈન કિલર, એન્ટાસિડ દરેકનો આ જ હાલ હતો અને છે. એવું નથી કે આવું ફક્ત ગ્રામ્ય કક્ષાએ જ છે. મોટા શહેરોમાં પણ ઝડપથી સાજા થવાની લ્હાયમાં આવા દવાઓના બેફામવેડા ચાલુ જ છે. એલોપેથી દવાઓ ઝડપથી રાહત કરવા માટે પ્રખ્યાત છે પણ હવે લોકોની ધીરજ અને સહનશક્તિ એટલી હદે જવાબ દઈ ચુકી છે કે આ એલોપેથીની ઝડપ પણ તેને હવે ઓછી લાગે છે. આવા સમયમાં આયુર્વેદ થેરાપીની તો વાત જ કેમ કરવી? આયુર્વેદ ધીમી સારવાર માટે ભલે જાણીતું હોય પરંતુ તેની દરેક સારવારના પરિણામ ધીમા જ મળે એવું જરૂરી નથી હોતું. પણ આમ છતાં આયુર્વેદનો ચાર્મ હાલ તો એલોપેથી ની સાપેક્ષે ખૂબ જ પાછળ છે. વળી, મહેરબાની કરીને કોઈ હોમીઓપેથી, નેચરોપેથી કે યુનાની જેવી પધ્ધતિઓ ની તો વાત જ ન કરતા. એ તો હજુ લોકપ્રિયતાની એરણ પર જોજનો દૂર છે. અહીં વાત અસરકારકતાની નહ...

એક દિવસનો યોગ કેમ ભગાડે રોગ?

21 જૂનના રોજ આપણે યોગદિવસ મનાવી લીધો. આમ જોઈએ તો યોગાસન દિવસ મનાવી લીધો. યોગને વિશ્વ સ્તરે લાવનાર આપણે એ જ ભૂલી ગયા કે યોગ એટલે ફક્ત યોગાસન જ નહીં. યોગ આઠ અંગોનું બનેલું છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, આહાર, પ્રત્યાહાર, ધ્યાન, સમાધિ.  યોગ એ 21 જૂનના દિવસનો ટ્રેન્ડિંગ ટોપિક છે એથી વિશેષ કંઈ નથી એવું મને લાગે છે. એવું નથી કે રોજ યોગ, કસરત કે મેડિટેશન કરનારા નથી. કરે જ છે ઘણા લોકો પરતું આ દિવસે જો તમે કોઈ વિચિત્ર આસન કરેલ ફોટો સોશિયલ મીડિયા પર ન મૂકો તો તમે યોગી નથી. વિશ્વ યોગ દિવસની નિંદા કરવાનો મારો કોઈ ઉદ્દેશ નથી. વળી કેટલાક કહેશે કે દરેક દિવસ તો વર્ષે એક વાર જ ઉજવાતો હોય છે. એમાં વળી નવું શું છે? શું દિવાળીના ફટાકડા આખું વર્ષ ફોડી શકાય? શું પિચકારી લઈને આખું વર્ષ ધૂળેટી રમવાની તાકાત છે? શું આખું વર્ષ આપણે પતંગ ચગાવીને ઉતરાયણ મનાવીએ છીએ? બસ એમ જ યોગ દિવસ એક જ દિવસ મનાવવાનો હોય. વાત પૂરી. તહેવારો અને ઉત્સવો આપણા જીવનને રંગીન બનાવે છે. પણ યોગ દિવસ એ કોઈ તહેવાર કે ઉત્સવ નથી. યોગ દિવસ એ દર વર્ષે આવતું એક રીમાઇન્ડર છે. યોગ એ જીવન જીવવા માટેનું એક મેઇન્ટેનેન્સ મેન્યુઅલ છે. યોગના આઠ...

વાર્તા રે વાર્તા: એક જંગલ હતું.

  એક જંગલ હતું. રાજા તો સિંહ જ હોય. જંગલમાં બધા પ્રાણીઓ રાજા ના ગુણગાન કરતા કારણ કે તેને ખબર હતી કે જેટલા ગુણગાન કરીશું તેટલા રાજાના શિકાર બનવાથી બચી શકાય એમ છે. સિંહને પણ શિકારની સાથે સાથે જંગલના પ્રાણીઓના સાથની જરૂર હતી જેથી કરીને એ બીજા જંગલના રાજા વાઘ તથા નદીઓના રાજા મગરમચ્છ પાસે પોતાના જંગલના સુખી સામ્રાજ્યની મોટી મોટી વાતો કરી શકે.  પરંતુ આમ કરતા કરતા તેને લાગ્યું કે હું ખુલ્લેઆમ પ્રાણીઓનો શિકાર નહિ કરી શકું, નહિ તો સિંહની ઈમેજ બગડી શકે છે જંગલમાં. એટલે તેણે જંગલના ઝરખ ને બોલાવ્યું. ઝરખને ઑફર કરી કે આમ પણ તું વધેલો શિકાર જ ખાઈને ગુજરાન ચલાવે છે, જાતે તો સારો શિકાર કરી શકતો નથી. તેના કરતાં સારું છે કે તું દરરોજ નિયમતપણે મારી પાસે એક પ્રાણીને લઈ આવ, હું ખાઈ લઉં પછી બાકી વધે એ તમારું અને તમારે ક્યાંય દરરોજ એઠવાડ માટે આંટા પણ મારવા ન પડે. ઝરખ તો તેની ટીમ  સાથે સહમત થઈ ગયું. ઝરખ ક્યારેક સસલાંને તો ક્યારેક ગાય, ભેંસને તો ક્યારેક કૂતરા કે હરણાંને વાતોમાં પરોવીને કોઈને ખબર ના પડે એવી રીતે છુપી રીતે સિંહની ગુફામાં લઈ જાય. પછી જેવી સિંહ પોતાની મિજબાની પુરી કરે એટલે વધેલું ઝરખ...

પાબ્લો એસ્કોબાર એટલે દસ માથા વાળો રાવણ

વેબ સિરીઝ: નાર્કોસ  કેરેક્ટર: પાબ્લો એસ્કોબાર  નાર્કોસ સિરીઝ જોઈ હોય તો નીચેના શબ્દો સાથે વધુ તાદાત્મ્ય સાધી શકશો પણ જો ના જોઈ હોય તો કોઈ ચિંતા નથી, એવા પણ કોઈ ખાસ સ્પોઇલર નથી લખ્યા કે જે તમારી સિરીઝ જોવાની મજા બગાડે. સો પ્લીઝ કન્ટીન્યુ. નાર્કોસની વેબ સિરિઝોમાં પાબ્લોનું જે રીતે ચરિત્ર ચિત્રણ કરવામાં આવ્યું છે એ જોઈને ઉપરનું ટાઈટલનું વાક્ય તરત જ મારા મગજમાં ગુંજે. બાયોપિક હોય એટલે જરૂરી નથી કે બેઠેબેઠી જિંદગી ચિતરેલી હોય, પણ હા જે પણ સાહિત્ય કે મીડિયામાં ઉપલબ્ધ ઇતિહાસ હોય એ તમામનો નિચોડ કાઢીને તેને સ્ટોરીલાઈનમાં ફીટ કરીને પરોસેલું હોય. એટલે કે કેટલીક વાતો સ્ત્રીઓની ઓટલા પરિષદની જેમ કે'તો 'તો 'ને કે'તી 'તી ની જેમ મસાલેદાર બનાવેલી હોઈ શકે. આ બાબતને નજરઅંદાજ કરીને ફક્ત આ સિરીઝમાં દેખાતા પાબ્લોની વાત કરવી છે પાબ્લોની જિંદગી જોઈને દાઉદ પણ તેની પાસે નાનું બચ્ચું લાગે, એવી ભાયાનક ક્રુર અને છતાં પણ ક્યારેક દયા આવે એવું વ્યક્તિત્વ છે. જ્યારે જ્યારે એ ડ્રગ્સની સાથે સાથે હિંસા અને રાજકારણમાં અરાજકતા સર્જે છે ત્યારે ત્યારે એ દસ માથા વાળો રાવણ જ લાગે. પણ જ્યારે જ્યારે તેના ...