Skip to main content

Posts

સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલ વચ્ચેનો મોટો ફરક: સ્વચ્છતા

સરકારી હોસ્પિટલમાં સારવાર લેવી એ લગભગ સિત્તેર ટકા લોકોની મજબૂરી હોય છે. આર્થિક રીતે જો સક્ષમ હોય તો એ ક્યારેય સરકારી દવાખાનાના પગથિયાં ચડે નહીં. બીજા વધેલા ત્રીસ ટકા લોકોને સરકારી દવાખાનામાં થયેલ અમુક સારા અનુભવને કારણે આવતા હોય છે જેમાં સૌથી મોટો ફાળો સ્ટાફના વર્તનનો હોય છે. સરકારી સંસ્થાઓ દ્વારા અપાતી સેવાઓ પૈકી હોસ્પિટલની બાબતમાં લોકોની પહેલી પસંદગી હંમેશા પ્રાઇવેટ સેકટર જ હોય છે. જે એડમિનિસ્ટ્રેશનના કામો સરકારી ઓફિસો સિવાય પ્રાઇવેટમાં શક્ય નથી તેના માટે લોકો અનાયાસે સરકારી કચેરીઓમાં ધક્કા ખાય છે. પરંતુ જ્યારે વિકલ્પ મળ્યો ત્યારે સરકારી તંત્રથી દૂર ભાગવાની જ લોકોની તૈયારી હોય છે. ખુદ સરકારી તંત્રમાં કામ કરતા લોકો પણ તેની જ સિસ્ટમથી દૂર ભાગતા જોવા મળતા હોય છે. આ બધા માટે ઉપર કહ્યુ એમ સ્ટાફના વર્તન સાથે પણ કેટલાક ફેક્ટર હોય છે જે આ પસંદગીમાં મૂળભૂત ભાગ ભજવે છે. પરંતુ તેમાં સૌથી મોટો ભાગ જો કોઈ ભજવતું હોય તો એ છે સ્વચ્છતા. થોડા દિવસ પહેલા જ પંજાબની બાબા ફરીદ યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સના વાઇસ ચાન્સેલર અને જાણીતા સર્જન ડૉ. રાજ બહાદુરને તેમની જ હોસ્પિટલની ગંદી બેડશીટ પર સુવડાવવામાં આવ્યા...

હોસ્પિલમાં હિંસા: આમ હૈ જનાબ!

એકાદ મહિના પહેલાંની જ વાત છે જ્યારે અમારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો પૂરેપૂરો સ્ટાફ પોલીસ સ્ટેશનમાં બેઠેલો હતો. વાત ફકત એટલી જ હતી કે એક દર્દી દ્વારા નર્સ સાથે બોલાચાલી થઈ ગઈ અને એ બોલાચાલી તમામ મર્યાદાઓ ચૂકીને ડૉકટરથી માંડીને તમામ સ્ટાફ સાથે કરવામાં આવી. દર્દીને એટેન્ડ કરવામાં ફ્કત પાંચ મિનિટનો સમય લાગતા એ દર્દીની ધીરજ ખૂટી ગઈ હતી, બસ વાત ફ્કત એટલી જ હતી. દર્દીને કોઈ ઇમરજન્સી ન હોવા છતાં પોતાના નંબરની રાહ જોવા તૈયાર ન હતો. આવી સામન્ય ધીરજના આભાવને કારણે તેણે પોતાનો મિજાજ ગુમાવ્યો. કોઈ જ પ્રકારની મારામારી થઈ ન હતી, થોડી ઘણી પાયાવિહોણી ધાકધમકીઓ હતી. આમછતાં તમામ સ્ટાફ દ્વારા તરત જ આ વાત સામે બાંયો ચડાવીને ફરિયાદ દાખલ કરી જેને કારણે થોડા ઘણા અંશે પણ લોકોમાં એક ઉદાહરણ બેસાડી શકાય. ખરાબ માનસિકતા અને દાદાગીરીના પવનમાં ભાન ભૂલી ગયેલા એ 'કહેવાતા' દર્દીએ એ રાત્રિ પોલીસ સ્ટેશનમાં વિતાવી. આ વાત આજે યાદ કરવાનું કારણ રાજસ્થાનમાં થયેલ એક દુર્ઘટના છે. અહીં લોકોની નજરમાં જે દુર્ઘટના છે તેના કરતાં અલગ દુર્ઘટના દેશના ડૉકટર અને મેડિકલ સ્ટાફની નજરમાં છે. આ બંને દુર્ઘટનામાં જીવ ગયા જેમાં એક દર્દીની ...

બહુજન હિતાય બહુજન સુખાય, નિયમોને કદીએ નેવે ન મુકાય?

એક બગીચાની બેન્ચ પાસે દરરોજ રાત દિવસ એક પોલીસ કર્મચારી સિક્યુરિટી માટે ઉભો રહે. કોઈએ તેને પુછયું કે તેને અહીં કેમ ઉભો રાખ્યો તો જવાબમાં બસ એટલું જ કહે કે અમારા સરનો ઓર્ડર છે ,તેને ખબર. જ્યારે તેના સરને પૂછવામાં આવ્યું કે અહીં પોલીસ સિક્યુરિટી કેમ?  તો જવાબ ફરી પાછો એ જ કે મારી બદલી થઈને હું અહી આવ્યો એ પહેલાની અહીં ડયુટી શરૂ છે. તેની પહેલાના નિવૃત અધિકારીઓ સુધી આ સવાલ લંબાતો ગયો પણ જવાબ એક જ મળ્યો કે પહેલાથી જ ત્યાં પોલીસનો પોઇન્ટ છે. હકીકત જાણવા ઈચ્છુક એક વ્યક્તિ ત્રીસ વર્ષ પહેલાના તે સ્થળ પર ફરજ બજાવતા એક અધિકારી સુધી પહોંચ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે જે તે સમયે એક નેતાએ લગાવેલા તે નવા બાંકડાને પોતાની ગ્રાન્ટમાંથી તાજો રંગ કરેલ હોવાથી લીલા બાંકડા પર કોઈ બેસે નહિ એ માટે ત્યાં એક માણસ ચોકીદાર તરીકે લગાવાનો નેતાશ્રીએ પોલીસ કચેરીને કહેલું અને કચેરીમાંથી તેના માટે એક માણસનો ઓર્ડર છૂટી ગયો. બાંકડાનો રંગ સુકાય એ પહેલાં પોલીસ ઇન્ચાર્જની બદલી થઈ ગઈ અને આજે પણ બદલી પછી આવેલ દરેક  ઓફિસર તે ઓર્ડરનું આંધળું પાલન કરાવે છે. આજે પણ તે કારણે એક પોલીસ સ્ટાફ બેન્ચ પાસે વેડફાય છે. મુંબઈમાં બહુમાળી...

કોવિડપેથી: તમે કઈ દવા લીધી?

  વોર્નિંગ: કોરોનામાં કઈ દવા લેવી જોઈએ એનો જવાબ શોધવા અહીં ક્લિક કર્યું હોય તો પાછા વળી જજો. કોરોના થયા પછીનો ભય તેના લક્ષણો કરતા પણ વધુ હાનિકારક હોય છે. જેવી રીતે અજ્ઞાની હોવું એ સારું નથી તેમ અધૂરા જ્ઞાની હોવું પણ એટલું જ હાનિકારક છે. સૌથી વધુ મૂંઝવણ ત્યારે ઉભી થાય જ્યારે તમને એક સાથે બે કે ત્રણ પેથીઓમાંથી દરેકની ચાર થી પાંચ પ્રકારની સારવાર પદ્ધતિઓ આપના સ્વજનો અને હિતેચ્છુઓ પાસેથી મળે. આવા સમયે આવા સ્વજનોનો હેતુ એકદમ શુદ્ધ હોય છે તો વળી ક્યારેક તેનો પોતાનો અનુભવ પણ હોય છે. માટે દોષ એ લોકોનો અંશમાત્ર પણ ન કહી શકાય. દોષ છે એ કોરોના ગ્રસ્ત દર્દીનો કે જે આટલા બધા ઑપશનમાં મૂંઝાઈને પોતાના માટે ઉત્તમ શું એ પસંદ ન કરી શકે. ખાસ કરીને આઇસોલેશનમાં દર્દીની વિચારક્ષમતા અને કોવિડ પોઝિટિવનો મનમાં ઊંડે લાગેલો ટેગ પણ નિર્ણય ક્ષમતામાં મોટી અસર કરે છે. SOP કે ગાઈડલાઈન એ એવી વસ્તુ છે કે જે મોટાભાગના લોકો માટે સાચી હોય. પરંતુ અહીં મોટાભાગના એટલે દરેક એવું સમજવું ભૂલ ભરેલું છે. જેવી રીતે વેક્સિન લીધા બાદ તેની સાઈડ ઇફેક્ટ કે અસર દરેક શરીર પર થોડા ઘણે અંશે જુદી જુદી થાય એવી જ રીતે કોરોનાની અસર પણ દરેકને...

સ્વ સાથે સંવાદ

એકલતા પણ કેવી ખતરનાક વસ્તુ છે! જિંદગીમાં એકલું હોવું કે સિંગલ હોવું એ અર્થમાં નહિ પરંતુ ખરેખર ચાર દીવાલ વચ્ચે જેમ જેલમાં વીર સાવરકર રહ્યા હતા તે એકલતાની વાત કરું છું. આ એકલતાના બે પાસા છે, એક તો દુન્વયી વાતોથી દૂર થવાનો એક આસાન મોકો અને બીજો પોતાની જાતને દુન્વયી બાબતોથી દૂર લઈ જવામાં અનુભવાતી અકળામણ. જેવી રીતે વ્યસનીને વ્યસન છોડવામાં તકલીફ પડે તેવી જ રીતે આ ચાર દીવાલો વચ્ચે દુનિયાને ભૂલીને 'સ્વ' સાથે મળવામાં તકલીફ પડે છે.  'સ્વ' સાથે મળવું આટલું અઘરું હશે એવું કોઈએ સ્વપ્નેય નહિ વિચાર્યું હોય! પોતાની સાથે સંવાદ કરવો એ જેટલું ફિલ્મોમાં બતાવાય છે એટલું સહેલું હોતું નથી. માથું ઓળતા ઓળતા અરીસામાં જોઈને કહેવું કે "વાહ, આજે તું મસ્ત લાગે છે." એ કાંઈ સ્વ સાથેનો સંવાદ નથી. પોતાના મતને સર્વોપરી ગણીને તેનો જ કક્કો ઘૂંટવો એ દરેક વિકસિત મનુષ્યનો દુર્ગુણ છે. આ કક્કો સાચો હોય તો પણ તેને પોતાના સ્વ પાસે જ્યા સુધી સર્ટિફાઇડ ના કરાવીએ ત્યાં સુધી બધુ મિથ્યા છે. આ સ્વ સાથે સર્ટિફિકેશનની પ્રોસેસમાં પહોચવા માટે સ્વ ને પૂરેપૂરી સમાનતા આપવી પડે. કહેવા ખાતર તો આપણે કહી દઈએ છીએ કે દિલન...

ઓમિક્રોન એટલે કોરોનાએ માનવજાતને સંધિ માટે મોકલેલો દૂત...⁉️

  Sorry Omicron, you are still on second position. આવું જ કંઈક ગઇકાલે ICMR દ્વારા કહેવામાં આવ્યું. એટલે કે ICMRના ડેટા મુજબ હજુ પણ ડેલ્ટા વેરિએન્ટની સરખામણીમાં ઓમિક્રોન વેરિએન્ટ ઓછો ઘાતકી છે. વિશ્વભરમાંથી ટૂંકા સમય દરમિયાન મળેલ રિસર્ચ ડેટા પણ એવું જ કંઈક કહે છે કે ઓમિક્રોનથી સાવચેત રહેવાની જરૂર છે પણ નવા વાયરસમાં ખપાવીને ડરવાની જરૂર નથી. ઓમિક્રોન પરના કોઈ જ ડેટા કે ઇન્ફોર્મેશન કે બ્લા બ્લા બ્લા આગળ આ બ્લોગમાં તમને મળશે નહીં. માટે એવી આશા હોય તો અહીંથી જ અટકી જવું અને ગૂગલ પ્રભુનું શરણ લેવું. અહીં કઈક અલગ જ વિષય પર વાત કરવાની ઈચ્છા છે. કોરોના વાઇરસથી આપણે જેવી રીતે છેલ્લા બે વર્ષથી લડી રહયા છીએ એવી જ રીતે કોરોના વાઇરસ પણ મનુષ્ય સામે છેલ્લા બે વર્ષથી લડી રહ્યો છે એવું કહી શકાય. જો આ વાઈરસની નજરોથી જોવા જઈએ તો ભલે તેનું જીવન ક્ષણિક હોય પણ તેની ઈચ્છા પણ જીવી જવાની અને પોતાની પેઢીઓને જીવતી રાખવાની હોય છે. આવી રીતે કોઈ પણ પ્રકારે નવા નવા વેરીએન્ટ લોન્ચ કરીને કોરોના માનવજાત સાથે એક પ્રકારની ડીલ કરી રહ્યો છે. માનવજાત પણ નવા વેરીએન્ટ આવતાની સાથે જ પોતાને સજ્જ કરીને જાણે આ ડીલમાં તોલભાવ કરી ...

મેનિપ્યુલેશન: તોડજોડનું સગવડીયું શાસ્ત્ર

હાલમાં જ આયર્લેન્ડની એક ગ્લોબલ એજન્સી કે જે દર વર્ષે ભૂખથી પીડિત દેશોનો સુચકઆંક બહાર પાડે છે જેને હંગર ઇન્ડેક્સ (Hunger Index) કહે છે તેમાં ભારત 101 નંબરે ખૂબ જ ખરાબ રીતે ચિત્રિત થયું. આપણા બાંગ્લાદેશ, પાકિસ્તાન અને નેપાળ જેવા પડોશીઓ પણ આ સર્વે મુજબ ભારત કરતા સારી સ્થિતિમાં છે. એટલે કે ભારતનો ભૂખમરો આ લોલીપોપ પાડોશીઓ કરતા પણ ખરાબ છે, બોલો! આ પાડોશીઓ સાથેની સરખામણી બાદ તમને એમ થશે કે નક્કી કઈક લોચો છે આ સર્વેમાં. આવું જ ભારત સરકારને પણ થયું. તેણે આ સર્વે માટે ભારતના ફૂડ અને એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ તરફથી મોકલવામાં આવેલ ડેટાનું અલગ રીતે ખોટું ઇન્ટરપ્રિટેશન થયું છે એમ કહીને આ હંગર ઈન્ડેક્સ કાઢવાની પદ્ધતિને જ 'અનસાયન્ટિફિક મેથોડોલોજી' (Unscientific Methodology)ગણાવીને નકારી કાઢી. પોલિટિકલી જોઈએ તો આપણે સમજી શકીએ કે કોઈ પણ ડેટા જે સરકારના પક્ષમાં બોલતો હોય એ સાચો અને સરકારની ખરાબ કામગીરી બતાવતો હોય તો એ તરત જ 'અનસાયન્ટિફિક' કેટેગરીમાં આવી જાય છે. મતલબ કે મનને ગમે એ મોરલો! કોઈપણ સર્વે કે ડેટાને એવી રીતે સુવ્યવસ્થિત ગોઠવીને લોકોને અભિભૂત કરી દેવા કે લોકોના વિચારો પર તેની ઊંડી અ...