Skip to main content

હોસ્પિલમાં હિંસા: આમ હૈ જનાબ!


એકાદ મહિના પહેલાંની જ વાત છે જ્યારે અમારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો પૂરેપૂરો સ્ટાફ પોલીસ સ્ટેશનમાં બેઠેલો હતો. વાત ફકત એટલી જ હતી કે એક દર્દી દ્વારા નર્સ સાથે બોલાચાલી થઈ ગઈ અને એ બોલાચાલી તમામ મર્યાદાઓ ચૂકીને ડૉકટરથી માંડીને તમામ સ્ટાફ સાથે કરવામાં આવી. દર્દીને એટેન્ડ કરવામાં ફ્કત પાંચ મિનિટનો સમય લાગતા એ દર્દીની ધીરજ ખૂટી ગઈ હતી, બસ વાત ફ્કત એટલી જ હતી. દર્દીને કોઈ ઇમરજન્સી ન હોવા છતાં પોતાના નંબરની રાહ જોવા તૈયાર ન હતો. આવી સામન્ય ધીરજના આભાવને કારણે તેણે પોતાનો મિજાજ ગુમાવ્યો. કોઈ જ પ્રકારની મારામારી થઈ ન હતી, થોડી ઘણી પાયાવિહોણી ધાકધમકીઓ હતી. આમછતાં તમામ સ્ટાફ દ્વારા તરત જ આ વાત સામે બાંયો ચડાવીને ફરિયાદ દાખલ કરી જેને કારણે થોડા ઘણા અંશે પણ લોકોમાં એક ઉદાહરણ બેસાડી શકાય. ખરાબ માનસિકતા અને દાદાગીરીના પવનમાં ભાન ભૂલી ગયેલા એ 'કહેવાતા' દર્દીએ એ રાત્રિ પોલીસ સ્ટેશનમાં વિતાવી.


આ વાત આજે યાદ કરવાનું કારણ રાજસ્થાનમાં થયેલ એક દુર્ઘટના છે. અહીં લોકોની નજરમાં જે દુર્ઘટના છે તેના કરતાં અલગ દુર્ઘટના દેશના ડૉકટર અને મેડિકલ સ્ટાફની નજરમાં છે. આ બંને દુર્ઘટનામાં જીવ ગયા જેમાં એક દર્દીની સાથે એક ડૉકટર પણ જીંદગી હારી ગઇ. ગાયનેકોલોજિસ્ટ ડૉકટર અર્ચના શર્માની પ્રાઇવેટ કલીનિકમાં એક દર્દીનું પ્રસૂતિ બાદ પોસ્ટ પાર્ટમ હેમેરેજને કારણે લોહી વહી જવાથી મૃત્યુ થયું પણ બાળકને બચાવી લેવાયું. આ મૃત્ય બાદ મૃતદેહને ઘરે લઈ જવાયો પણ ત્યારબાદ કેટલાક રાજનૈતિક અને ગુંડાગીરી ધરાવતા આગેવાનો આગળ આવ્યા અને મૃતદેહને પાછો હોસ્પિટલ લાવીને હંગામો ઊભો કર્યો, કેસ કર્યો અને એટલી માનસિક સતામણી કરવામાં આવી કે બે બાળકોની માતા કે જેનો પતિ એક મનોચિકત્સક હોય તેણે પોતાના સ્વમાન ખાતર આત્મહત્યા કરવી પડી. અહીં કેટલાકના મતે દર્દીનું મૃત્યુ મર્ડર હશે તો કેટલાક માટે ડૉકટરની આત્મહત્યા પણ મર્ડર જ ગણાશે.


હોસ્પિટલમાં થતી ભાંગફોડ કે હિંસા એ કોઈ નવી વાત નથી. આમ છતાં આ હિંસાને કોઈ કોમી હિંસા જેવું કે આંદોલન જેવું માઇલેજ મીડિયામાં ભાગ્યે જ મળે છે. હકીકતે મોટાભાગના કિસ્સામાં મીડિયાનુ નેરેટિવ સેટ કરીને જ લેભાગુ તત્વો તેના આશરે હોસ્પિટલમાં ખેપાની ખેલ ખેલતા હોય છે. હવે તો દરેકના ખિસ્સામાં રહેલો મોબાઈલ જ જાણે રિપોર્ટિંગ નું સાધન બની ગયું હોય એમ કોઈ પણ પ્રકારની પ્રાઈવસી કે કોઈના સ્વમાનની પરવા કર્યા વગર જ દરેક અર્ધસત્ય કે અસત્ય વાઇરલ કરીને જનહિતમાં જારી કરી દેવામાં આવે છે. દરેક ઘટનાઓની બે બાજુઓ હોય છે પણ સામાન્ય અભિપ્રાયને જ વાયરલ કરીને તેનો ગેરલાભ ઉઠાવતા લોકોને જ આજે 'જાગૃત' નાગરિકનું બિરુદ મળે છે. 


આવી ઘટનાઓ છાશવારે બનતી રહે છે તેનું કારણ આવી ઘટનાઓને હજુ આપણા ન્યાયક્ષેત્રમાં પ્રાયોરીટીની નજરથી જોવાતી નથી. જ્યાં ગંભીર બોમ્બ વિસ્ફોટ જેવા મુદ્દાઓમાં પણ સાચો છતાં દસ કે પંદર વર્ષે ન્યાય મળતો હોય તો પછી આવી બાબતોને પ્રાધાન્ય થોડું મળે! ન્યાયમાં વિલંબ એ લગભગ અન્યાય બરાબર જ માનવામાં આવે છે. 

🔗આ પણ વાંચો: હોસ્પિટલમાં લાગણીઓનું 'તાણ' કે લાગણીઓની 'તાણ'?

એક્સિડન્ટના કેસમાં દાખલ થયેલ દર્દીનું મૃત્યુ થાય એટલે ડૉકટર જવાબદાર, વીસ બાળકોના વેક્સિનેશન બાદ તેમાંથી જો એક બાળકને પણ આડઅસર થાય એટલે નર્સ જવાબદાર, મેડીકો લીગલ કેસમાં પોલીસની મદદ માટે આગળ આવતા ડૉકટરની ગુંડાઓ દ્વારા સતામણી, સરકારી હોસ્પિટલમાં ઈન્ફ્રાસ્ટ્રકચર કે પૂરતા સ્ટાફની સુવિધાઓના અભાવે દર્દીઓને પડતી હાલાકીઓ માટે પણ જવાબદાર ડૉકટર... આમ આવી દરેક બાબતોમાં આપણે ડૉકટર જવાબદાર કે મેડિકલ સ્ટાફને શૂળીએ ચડાવીને છીએ અને તેની જ ટેવ પડતી જાય છે. મૂળ અસુવિધાનું કારણ કે તેનું સોલ્યુશન શોધવાની તસ્દી કોઈ લેવા તૈયાર નથી.


એવું નથી હોતું કે દર વખતે ડૉકટર નિર્દોષ જ હોય, પણ જાણીજોઈને કોઈ ડૉકટર બેદરકારી દ્વારા જીવ લેવા તો તૈયાર હોતો નથી. કેટલીકવાર બેદરકારી તો કેટલીકવાર દર્દીઓની લાગણી સભર નાજુક ક્ષણો પણ આવી હિંસા માટે ટ્રિગરનું કામ કરે છે. આવી સ્થિતિમાં ડોકટર પણ દર્દીઓ અને તેના સગાવહાલાઓની લાગણીઓને ધ્યાને લઇને વિવેકપૂર્ણ વર્તન અને વ્યવહાર કરે એ જરૂરી છે, કારણ કે આ સમયે એક પણ જડ શબ્દ દર્દીઓના સ્વજનોને તીર જેવો ખૂંપી જતો હોય છે. દરેક મેડિકલ સ્ટાફે આ વાત ગળે બાંધી જ લેવી જોઈએ કે સામેનો વ્યક્તિ લાગણીના તાણમાં હોય છે પણ પોતે હમેશાં સ્થિતપ્રજ્ઞ રહેવો જોઈએ. મોટાભાગના કેસોમાં હિંસા અથવા ધાકધમકી એ લાભ ખાટવાનું સાધન હોય એવું બને છે પરંતુ જેટલા કિસ્સાઓમાં ફક્ત લાગણીઓને કારણે આવું બનતું હોય ત્યારે મેડિકલ સ્ટાફ અને હોસ્પિટલની જવાબદારી પણ દર્દીઓ પ્રત્યે એટલી જ હોય છે. 


હોસ્પિટલ અને દર્દી વચ્ચે વિશ્વાસનું વાતવરણ ઉભુ થાય એ જરૂરી છે જેની જવાબદારી બંને પક્ષે સરખી રહે છે. આ વિશ્વાસના વાતાવરણને ડહોળવાનો પ્રયાસ કરનાર સામે યોગ્ય પગલા ભરાય અને ન્યાય મળે એ જવાબદારી પણ સામે સરકારની તેમજ ન્યાયતંત્રની બને છે.


સુપર ઓવર: "એ'લા ગાડી ઉભી તો રાખ. આ હોસ્પિટલ પાસે આટલી ભીડ કેમ છે?"

"કોઈક એક્સિડન્ટનો કેસ હશે અથવા બધા ડૉક્ટરને લમધારવા આવ્યા હશે. તું સીધી ગાડી જવા દે ને, ભાઈ."

Comments

Popular posts from this blog

દવાઓ બેફામ: વરદાન કે અભિશાપ?

હોસ્પિટલ ફાર્માસિસ્ટ તરીકે નોકરી કરવી એ શરૂઆતના દિવસોમાં ખૂબ જ ધીરજ માંગી લે એવું કામ હતું.  કેમ? કારણ કે જે પણ એકેડેમિક નોલેજને બસ ઇમ્પ્લીમેન્ટ કરવાની તૈયારી કરતો હતો એ જ એકેડેમિક અહીં પેંડેમીક બનીને ઉભું હતું. આ પેંડેમીક એટલે દવાઓનો બેફામ ઉપયોગ. ના માત્ર એન્ટિબાયોટિકસ જ નહીં પણ સ્ટીરોઇડ્સ, પેઈન કિલર, એન્ટાસિડ દરેકનો આ જ હાલ હતો અને છે. એવું નથી કે આવું ફક્ત ગ્રામ્ય કક્ષાએ જ છે. મોટા શહેરોમાં પણ ઝડપથી સાજા થવાની લ્હાયમાં આવા દવાઓના બેફામવેડા ચાલુ જ છે. એલોપેથી દવાઓ ઝડપથી રાહત કરવા માટે પ્રખ્યાત છે પણ હવે લોકોની ધીરજ અને સહનશક્તિ એટલી હદે જવાબ દઈ ચુકી છે કે આ એલોપેથીની ઝડપ પણ તેને હવે ઓછી લાગે છે. આવા સમયમાં આયુર્વેદ થેરાપીની તો વાત જ કેમ કરવી? આયુર્વેદ ધીમી સારવાર માટે ભલે જાણીતું હોય પરંતુ તેની દરેક સારવારના પરિણામ ધીમા જ મળે એવું જરૂરી નથી હોતું. પણ આમ છતાં આયુર્વેદનો ચાર્મ હાલ તો એલોપેથી ની સાપેક્ષે ખૂબ જ પાછળ છે. વળી, મહેરબાની કરીને કોઈ હોમીઓપેથી, નેચરોપેથી કે યુનાની જેવી પધ્ધતિઓ ની તો વાત જ ન કરતા. એ તો હજુ લોકપ્રિયતાની એરણ પર જોજનો દૂર છે. અહીં વાત અસરકારકતાની નહ...

સાયનોકોબાલની મોટી બબાલ: અથ શ્રી વિટામિન B12 કથા

  "તમારામાં વિટામિન B12ની ખામી છે, દવાનો કોર્સ કરવો પડશે." આવી વાતો આજકાલ કોમન થઈ ગઈ છે. તેનાથી પણ વધુ પ્રચલિત થયા છે એકાંતરા વાળા વિટામિન B12ના ઇન્જેક્શન. વળી હવે તો આ ઇન્જેક્ટેબલ સારવાર પણ OTC (ઓવર ધ કાઉન્ટર) બનતી જાય છે. એટલે જ્યારે પણ ભળતાં લક્ષણો જોવા મળે તો લગાઓ B12. વિટામિન D પછી સૌથી વધુ કોઈ વિટામીનની ખામી માણસોમાં જોવા મળે છે તો એ છે વિટામિન B12 જેને સાયનોકોબાલામાઈન ના હુલામણાં નામથી પણ બોલાવામાં આવે છે. 🤔 પણ આ B12 શા માટે આટલું જરૂરી છે? તેના વગર ચાલે એમ નથી? એવું તો શું કામ કરે છે આ VIP વિટામિન?  વિટામિન B12 એ આપણા DNA એટલે કે આપણો પાયો બાંધવામાં સૌથી મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત આપણા RBC એટલે કે રક્તકણોનું નિર્માણ થવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે. શરીરમાં એનર્જી પ્રોડ્યુસ કરતી કેટલીક ક્રિયાઓમાં જરૂરી ઘણા બધા ઉદ્દીપક (enzymes) ના બનવા માટે પણ આપણું લાડકવાયું વિટામિન B12 જ ભાગ ભજવે છે. ચેતાતંતુઓમાં પણ સંવેદનાના વહન માટે B12 જ મેઇન્ટેનન્સ પાર્ટનર તરીકે કામ કરે છે. મગજ જેવા મૂળભૂત અંગોનું સારી રીતે સંચાલન કરવા બદલ પણ હે વિટામિન B12! આપનો ખૂબ ખૂબ આભાર. 😱 ...

એડોલ્શન્સ: ટીનેજર સ્ટોરી કે પેરેન્ટિંગ ડોક્યુમેન્ટ્રી!?

                         વેબસિરિઝ: એડોલ્શન્સ             કેરેકટર: એડવર્ડ મિલર અને લ્યુક બેસકોમ્બ ચાર એપિસોડ વાળી અને દરેક એપિસોડ શરૂઆતથી અંત સુધી સિંગલ શોટમાં શૂટ થયેલી મિનિસિરિઝ આમ તો એકદમ બોરિંગ છે અને એકદમ સ્લો છે પણ જો તેને તમે એક ટીનેજરની લાઇફ આસપાસની ડોક્યુમેન્ટ્રી તરીકે જુઓ તો આ સિરીઝમાં ઘણો રસ પડશે. આ સિરીઝ શરૂ થાય ત્યારે એવું લાગે કે સસ્પેન્સ થ્રિલર છે પણ હકીકતમાં આ સિરીઝમાં આપણે જે નોર્મલ જોઈએ છીએ એવી ઘટના અંગેનું સસ્પેન્સ છે જ નહી પરતું આ ઘટનાનો જન્મ કેવી રીતે થયો તેના તાણાવાણા પર જ ચાર એપિસોડ ચાલે છે. ઘટનાના મૂળ સુધી જવામાં ટીનેજરના મનોવૈજ્ઞાનિક આવેશો, સોશિયલ મીડિયા, સ્કૂલ કલ્ચર, પોર્નોગ્રાફી આ બધું પેરેન્ટિંગ પર કઈ રીતે પાણી ફેરવે છે તેના પડ ધીમે ધીમે ખુલે છે. આગળ નાના મોટા સ્પોઇલર છે પણ તેનાથી સિરીઝ જોવામાં કોઈ ખાસ અસર નહી પહોંચે, જો તમે સિરીઝને ડોક્યુમેન્ટ્રી તરીકે લેવાના હો તો. સિરીઝનું નામ ભલે એડોલ્શન્સ હોય પણ ખરેખર તો આજે વાત આ ટીનેજરની નહીં પણ તેના એડલ્ટ પિતાની કરવા...

એક દિવસનો યોગ કેમ ભગાડે રોગ?

21 જૂનના રોજ આપણે યોગદિવસ મનાવી લીધો. આમ જોઈએ તો યોગાસન દિવસ મનાવી લીધો. યોગને વિશ્વ સ્તરે લાવનાર આપણે એ જ ભૂલી ગયા કે યોગ એટલે ફક્ત યોગાસન જ નહીં. યોગ આઠ અંગોનું બનેલું છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, આહાર, પ્રત્યાહાર, ધ્યાન, સમાધિ.  યોગ એ 21 જૂનના દિવસનો ટ્રેન્ડિંગ ટોપિક છે એથી વિશેષ કંઈ નથી એવું મને લાગે છે. એવું નથી કે રોજ યોગ, કસરત કે મેડિટેશન કરનારા નથી. કરે જ છે ઘણા લોકો પરતું આ દિવસે જો તમે કોઈ વિચિત્ર આસન કરેલ ફોટો સોશિયલ મીડિયા પર ન મૂકો તો તમે યોગી નથી. વિશ્વ યોગ દિવસની નિંદા કરવાનો મારો કોઈ ઉદ્દેશ નથી. વળી કેટલાક કહેશે કે દરેક દિવસ તો વર્ષે એક વાર જ ઉજવાતો હોય છે. એમાં વળી નવું શું છે? શું દિવાળીના ફટાકડા આખું વર્ષ ફોડી શકાય? શું પિચકારી લઈને આખું વર્ષ ધૂળેટી રમવાની તાકાત છે? શું આખું વર્ષ આપણે પતંગ ચગાવીને ઉતરાયણ મનાવીએ છીએ? બસ એમ જ યોગ દિવસ એક જ દિવસ મનાવવાનો હોય. વાત પૂરી. તહેવારો અને ઉત્સવો આપણા જીવનને રંગીન બનાવે છે. પણ યોગ દિવસ એ કોઈ તહેવાર કે ઉત્સવ નથી. યોગ દિવસ એ દર વર્ષે આવતું એક રીમાઇન્ડર છે. યોગ એ જીવન જીવવા માટેનું એક મેઇન્ટેનેન્સ મેન્યુઅલ છે. યોગના આઠ...

પાબ્લો એસ્કોબાર એટલે દસ માથા વાળો રાવણ

વેબ સિરીઝ: નાર્કોસ  કેરેક્ટર: પાબ્લો એસ્કોબાર  નાર્કોસ સિરીઝ જોઈ હોય તો નીચેના શબ્દો સાથે વધુ તાદાત્મ્ય સાધી શકશો પણ જો ના જોઈ હોય તો કોઈ ચિંતા નથી, એવા પણ કોઈ ખાસ સ્પોઇલર નથી લખ્યા કે જે તમારી સિરીઝ જોવાની મજા બગાડે. સો પ્લીઝ કન્ટીન્યુ. નાર્કોસની વેબ સિરિઝોમાં પાબ્લોનું જે રીતે ચરિત્ર ચિત્રણ કરવામાં આવ્યું છે એ જોઈને ઉપરનું ટાઈટલનું વાક્ય તરત જ મારા મગજમાં ગુંજે. બાયોપિક હોય એટલે જરૂરી નથી કે બેઠેબેઠી જિંદગી ચિતરેલી હોય, પણ હા જે પણ સાહિત્ય કે મીડિયામાં ઉપલબ્ધ ઇતિહાસ હોય એ તમામનો નિચોડ કાઢીને તેને સ્ટોરીલાઈનમાં ફીટ કરીને પરોસેલું હોય. એટલે કે કેટલીક વાતો સ્ત્રીઓની ઓટલા પરિષદની જેમ કે'તો 'તો 'ને કે'તી 'તી ની જેમ મસાલેદાર બનાવેલી હોઈ શકે. આ બાબતને નજરઅંદાજ કરીને ફક્ત આ સિરીઝમાં દેખાતા પાબ્લોની વાત કરવી છે પાબ્લોની જિંદગી જોઈને દાઉદ પણ તેની પાસે નાનું બચ્ચું લાગે, એવી ભાયાનક ક્રુર અને છતાં પણ ક્યારેક દયા આવે એવું વ્યક્તિત્વ છે. જ્યારે જ્યારે એ ડ્રગ્સની સાથે સાથે હિંસા અને રાજકારણમાં અરાજકતા સર્જે છે ત્યારે ત્યારે એ દસ માથા વાળો રાવણ જ લાગે. પણ જ્યારે જ્યારે તેના ...