Skip to main content

હોસ્પિટલમાં લાગણીઓનું 'તાણ' કે લાગણીઓની 'તાણ'?



"વી આર નોટ હીઅર ટુ મેક ફ્રેન્ડસ. આઇ ડુ નોટ લવ માય પેશન્ટસ્. ઇસ હાથ કો દેખો. હજારો ઓપરેશન કીએ હૈ ઇસ હાથને લેકીન યે કભી નહી કાંપા. મગર મેં અપની હી બેટીકા ઓપરેશન કરું તો યે હાથ જરૂર કાંપેગા." મુન્નાભાઈ એમબીબીએસ માંથી ડો.અસ્થાનાનો આ ડાયલોગ મને યાદ આવે છે જ્યારે કબીરસિંધ ફિલ્મમાં કોલેજ ડીન પણ ફૂટબોલમાં ઝઘડો કરીને આવેલા શાહિદ કપૂરને આવી જ કંઈક સલાહ આપે છે, "એન્ગર મેનેજમેન્ટમે તુમ ઝીરો હો. મેડિકલ પ્રોફેશનમે જો ઇન્સાન અપના ગુસ્સા કંટ્રોલ નહિ કર શકતા વો સર્જીકલ બ્લેડ હાથમે લિયે એક મર્ડરર સે જ્યાદા કુછ નહીં હૈ." 

આ બંને ડાયલોગ આમ તો એકબીજાના પૂરક છે, પરંતુ બંનેમાં બે જુદી જુદી લાગણીઓને સંબોધવામાં આવી છે. પહેલા ડાયલોગમાં ડોકટરને દર્દી પ્રત્યેની હમદર્દી અને પ્રેમથી દૂર રહેવાનું સૂચન છે તો બીજા ડાયલોગમાં નફરત અને આવેશથી પણ ડોકટરોએ જોજનો દૂર રહેવું એવી ફિલોસોફી બતાવી છે. ડોકટર કે કોઈ પણ મેડિકલ પ્રોફેશન સાથે સંકળાયેલો વ્યક્તિ બીજા ગ્રહ પરથી આવેલો નથી. એ પણ આજ સમાજમાં ઉછરેલો હોમો સેપિયન્સ છે અને એટલે તેનામાં પણ સામાજિક સંવેદનાઓ અને લાગણીઓ હોવાની જ. પરંતુ શું આ લાગણીઓ તેને પોતાની ફરજમાં રુકાવટ કરવા માટે રોકી શકે ખરી? એક ફાર્મસિસ્ટ તરીકે હું જ્યારે દિવસમાં સેંકડો લોકોને દવાઓ આપતો હોવ ત્યારે જે વિશ્વાસ અને સલાહ હું દર્દીને આપતો હોવ એ જ દવાને જ્યારે હું કોઈ સંબંધીઓને કે ઘરમાં ઉપયોગમાં લેવાની થાય ત્યારે એ દવા વિશે મિત્ર ડોકટરની સલાહ લેવાનું અનિવાર્ય સમજુ છું. આવું કેમ થાય છે? શું પોતાના પર અજમાઈશ કરવામાં નિષ્ફળ જવાથી ડરીએ છીએ કે પછી પોતાના પર વિશ્વાસનો અભાવ હોય છે? ના, પોતાના શિક્ષણ કે નોલેજ ઉપર જરાય શંકા નથી હોતી. એક રીતે આ તરફથી કોઈ વાંધો નથી હોતો. પણ આપણી સાથે જેનો તાર જોડાયેલો છે એ સામે છેડે થોડીઘણી લાગણીઓ જન્મે છે એ આ તાર વાટે આપણા સુધી પહોંચીને આપણા મનોબળમાં ખચકાટ પેદા કરે છે. આવા સમયે ટ્રીટમેન્ટ મેળવનારનો રિસ્પોન્સ આપણી લાગણીઓ અને આપણા વર્તન સાથે સીધો જ વણાઈ જાય છે. એ રિસ્પોન્સ સારો હોય કે નરસો હોય, થોડી ઘણી અજાણતાં અસર તો પહોચાડે જ છે. પરંતુ આવું દરેક માટે સાચું હોય એમ બ્રહ્મવાક્ય માની લેવાની જરૂર પણ નથી. મેં એવા ડોક્ટરના કિસ્સા સાંભળ્યા છે કે જેણે પોતાની જ પત્નીનું સિઝેરિયન ઓપરેશન કરીને પ્રસુતિ કરાવી હોય. ત્યારે તેનો હાથ ધ્રુજયો કે નહિ એ વાત ગૌણ બની જાય છે, મહત્વનું એ છે કે પોતે એ કરવા માનસિક રીતે તૈયાર કઇ રીતે થઈ શક્યા હશે?

આ વાત ફક્ત ડોક્ટર સુધી સીમિત ન રહેતા દવાખાનામાં કામ કરતા નર્સિંગ તેમજ અન્ય પેરા મેડીકલ્સને પણ સરખી રીતે જ લાગુ પડે છે. નર્સિંગ સ્ટાફ સ્કિલ્સની સાથે સાથે લાગણી અને મમતા માટે પણ જાણીતો છે. હા, ક્યારેક ખાનગી કે (ખાસ કરીને) સરકારી દવાખાનામાં ચીસો પાડીને દર્દીઓને ધમકાવીને સાજા કરતી નર્સ પણ જોવા મળે છે પરંતુ આ માટે શું તેનો આવેશ કે કટુતા હંમેશા એવી જ હોય છે કે પછી અમુક કડવા અનુભવો તેમને આવું બનવા માટે મજબૂર કરે છે? આજકાલ દવાખાનામાં અને તેમાં પણ ખાસ કરીને સરકારી દવાખાનાઓમાં વધી રહેલી હિંસા તો આવું થવા પ્રેરતી નહિ હોઈને? કદાચ કડવા અનુભવોએ તેને એટલા લાગણીવિહીન તો નથી બનાવી દીધાને કે જ્યાં ખરેખર દર્દીને વિશ્વાસ અને હૂંફની સાથે પોતાની માંદગીમાંથી ઉભા થવા માટે જે પ્રેરણાની જરૂર હોય છે તેનો જ દુષ્કાળ પડવા માંડ્યો હોય. દૂધનો દાઝયો છાસ પણ ફૂંકીને પીવે એ કહેવત અનુસાર કદાચ હવે દર્દીઓના દર્દથી વૈરાગ્ય આવી ગયો હોય એવું પણ બને. આજકાલ દર્દીઓની ટ્રીટમેન્ટ સાથે તેના કન્સેન્ટ પર ડોક્ટરનું વધુ ધ્યાન હોય છે. જોકે દર્દીઓની તોફાની લાગણીઓના ઘોડાપુર સામે આ કન્સેન્ટ ફોર્મની કોઈ જ વિસાત રહેતી નથી. આમ દવાખાનું એ હરખ, દુઃખ, ગુસ્સો, શરમ, ડર, ઘૃણા, આશ્ચર્ય, સંતોષ, રાહત એમ હાસ્યથી લઈને રુદન સુધીના તમામ આવેગોનો ઘાટ છે.



જુદા જુદા દર્દીઓ સાથે એક જ પ્રકારનું વર્તન અને એક જ પ્રકારની સારવાર શક્ય જ નથી. કૃત્રિમ રીતે પણ કદાચ તમે થોડા દિવસ અજમાવી શકો પરંતુ ત્યારબાદ કસ્ટમર કોલ એક્ઝિક્યુટિવ જેવી નકલી કૃત્રિમતા વધુ સમય તમને ચલાવી શકતી નથી. દરેક દર્દી સાથે ફ્રિકવન્સી મેચ કરવાની લ્હાયમાં ક્યાંક પોતાની મૂળ ફ્રિકવન્સી જ ખોવાઈ ના જાય એ પણ જરૂરી બની રહે છે. તો શું ડો. અસ્થાનાની વાત એકદમ સાચી કે દર્દીઓ જોડે હમદર્દીને કોઈ સ્થાન નથી? કેટલાક અસાધ્ય રોગો કે કેટલાક માનસિક રોગો કે જેમાં ફક્ત હિંમત અને પ્રેરણા તથા હોસ્પિટલનું વાતાવરણ જ દર્દી માટે જીવવાનો એકમાત્ર વિકલ્પ છે ત્યારે પ્રિસ્ક્રિપ્શનમાં દવા કરતા લાગણીનું લિસ્ટ વધી જાય છે. રહી વાત કબીરસિંધ જેવા માથા ફરેલ ડોકટરોની તો તેઓ પણ પોતાની લાગણીઓને આધીન છે અને આ લાગણીઓ જ્યાં સુધી પોતાના સુધી સીમિત રાખીને પોતાની અંદરના ડોકટરને પોતાનું કામ કરવા દે ત્યાં સુધી કોઈની સીમાઓનું ઉલ્લંઘન થાય એવું લાગતું નથી. પોતાના આવેગો પર કાબુ રાખ્યા વગર કામ કરનાર કોઈપણનો ગુનો અક્ષમ્ય બને છે પછી તે મેડિકલ સિવાયનો કોઈ પણ પ્રોફેશન કેમ ના હોય. આવેગોને પોતાના ઓફિસના ટેબલ પર ઓગાળતા સૌથી વધુ ઉદાહરણો કોર્પોરેટ વર્લ્ડમાં મળે છે. પણ અહીં લાગણીઓને પોતાના પર હાવી કરી દેવામાં જે નુકશાન છે તેની સાપેક્ષે માનવદેહ સાથે પ્રત્યક્ષ કામ પાર પાડનારા લોકોની લાગણીસહજ ભૂલો વધુ ઝડપથી અને વધુ સારી રીતે દ્રષ્ટિગોચર થાય છે અને તેના કારણે જ આવી જગ્યાઓ પર ઇમોશનલ અત્યાચારો થવાની શક્યતાઓ પણ હજાર ગણી વધી જાય છે. આ લેખમાં દર પાંચમી લાઈનમાં આવતો લાગણી શબ્દ ખરેખર બે ધારની તલવાર જેવો છે, તમારી પોતાની લાગણીઓને કાબુમાં રાખી તમે બચી નહીં શકો, સામેના લોકોની લાગણીઓ પણ એટલી જ મહત્વની છે. એક્સિડન્ટ ન થવા માટે એકલા તમને જ વાહન ચલાવતા આવડે એવું અભિમાન રાખવું પૂરતું નથી, સામેથી કે પાછળથી આવતા કરતબકારો પણ તમને આ બાબતે ખોટા પાડી શકે છે.


સુપર ઓવર: મારામારીની ઘટના બાદ  પોસ્ટમોર્ટમ માટે આવેલા મૃતદેહ પાસે ઉભેલા ડોકટરને બહારથી આદેશ આવ્યો, "રિપોર્ટમાં હાર્ટએટેક જ લખવાનું છે, હો." પછી શું? બીજું તો કાઈ કરી શકે એમ ન હોઈ ડોકટરે બધો જ ગુસ્સો સ્કાલપેલ વડે મૃતદેહ પર કાઢ્યો.

Comments

  1. Nice article.....tame khota pharmacist bani gaya....Lekhak to tame pelethi 6o j

    ReplyDelete
  2. Thank you.. pan pharmacist hovu e pan ek moto faydo chhe lekhak banava mate.. aatla anubhavo mate...

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

દવાઓ બેફામ: વરદાન કે અભિશાપ?

હોસ્પિટલ ફાર્માસિસ્ટ તરીકે નોકરી કરવી એ શરૂઆતના દિવસોમાં ખૂબ જ ધીરજ માંગી લે એવું કામ હતું.  કેમ? કારણ કે જે પણ એકેડેમિક નોલેજને બસ ઇમ્પ્લીમેન્ટ કરવાની તૈયારી કરતો હતો એ જ એકેડેમિક અહીં પેંડેમીક બનીને ઉભું હતું. આ પેંડેમીક એટલે દવાઓનો બેફામ ઉપયોગ. ના માત્ર એન્ટિબાયોટિકસ જ નહીં પણ સ્ટીરોઇડ્સ, પેઈન કિલર, એન્ટાસિડ દરેકનો આ જ હાલ હતો અને છે. એવું નથી કે આવું ફક્ત ગ્રામ્ય કક્ષાએ જ છે. મોટા શહેરોમાં પણ ઝડપથી સાજા થવાની લ્હાયમાં આવા દવાઓના બેફામવેડા ચાલુ જ છે. એલોપેથી દવાઓ ઝડપથી રાહત કરવા માટે પ્રખ્યાત છે પણ હવે લોકોની ધીરજ અને સહનશક્તિ એટલી હદે જવાબ દઈ ચુકી છે કે આ એલોપેથીની ઝડપ પણ તેને હવે ઓછી લાગે છે. આવા સમયમાં આયુર્વેદ થેરાપીની તો વાત જ કેમ કરવી? આયુર્વેદ ધીમી સારવાર માટે ભલે જાણીતું હોય પરંતુ તેની દરેક સારવારના પરિણામ ધીમા જ મળે એવું જરૂરી નથી હોતું. પણ આમ છતાં આયુર્વેદનો ચાર્મ હાલ તો એલોપેથી ની સાપેક્ષે ખૂબ જ પાછળ છે. વળી, મહેરબાની કરીને કોઈ હોમીઓપેથી, નેચરોપેથી કે યુનાની જેવી પધ્ધતિઓ ની તો વાત જ ન કરતા. એ તો હજુ લોકપ્રિયતાની એરણ પર જોજનો દૂર છે. અહીં વાત અસરકારકતાની નહ...

સાયનોકોબાલની મોટી બબાલ: અથ શ્રી વિટામિન B12 કથા

  "તમારામાં વિટામિન B12ની ખામી છે, દવાનો કોર્સ કરવો પડશે." આવી વાતો આજકાલ કોમન થઈ ગઈ છે. તેનાથી પણ વધુ પ્રચલિત થયા છે એકાંતરા વાળા વિટામિન B12ના ઇન્જેક્શન. વળી હવે તો આ ઇન્જેક્ટેબલ સારવાર પણ OTC (ઓવર ધ કાઉન્ટર) બનતી જાય છે. એટલે જ્યારે પણ ભળતાં લક્ષણો જોવા મળે તો લગાઓ B12. વિટામિન D પછી સૌથી વધુ કોઈ વિટામીનની ખામી માણસોમાં જોવા મળે છે તો એ છે વિટામિન B12 જેને સાયનોકોબાલામાઈન ના હુલામણાં નામથી પણ બોલાવામાં આવે છે. 🤔 પણ આ B12 શા માટે આટલું જરૂરી છે? તેના વગર ચાલે એમ નથી? એવું તો શું કામ કરે છે આ VIP વિટામિન?  વિટામિન B12 એ આપણા DNA એટલે કે આપણો પાયો બાંધવામાં સૌથી મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત આપણા RBC એટલે કે રક્તકણોનું નિર્માણ થવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે. શરીરમાં એનર્જી પ્રોડ્યુસ કરતી કેટલીક ક્રિયાઓમાં જરૂરી ઘણા બધા ઉદ્દીપક (enzymes) ના બનવા માટે પણ આપણું લાડકવાયું વિટામિન B12 જ ભાગ ભજવે છે. ચેતાતંતુઓમાં પણ સંવેદનાના વહન માટે B12 જ મેઇન્ટેનન્સ પાર્ટનર તરીકે કામ કરે છે. મગજ જેવા મૂળભૂત અંગોનું સારી રીતે સંચાલન કરવા બદલ પણ હે વિટામિન B12! આપનો ખૂબ ખૂબ આભાર. 😱 ...

એડોલ્શન્સ: ટીનેજર સ્ટોરી કે પેરેન્ટિંગ ડોક્યુમેન્ટ્રી!?

                         વેબસિરિઝ: એડોલ્શન્સ             કેરેકટર: એડવર્ડ મિલર અને લ્યુક બેસકોમ્બ ચાર એપિસોડ વાળી અને દરેક એપિસોડ શરૂઆતથી અંત સુધી સિંગલ શોટમાં શૂટ થયેલી મિનિસિરિઝ આમ તો એકદમ બોરિંગ છે અને એકદમ સ્લો છે પણ જો તેને તમે એક ટીનેજરની લાઇફ આસપાસની ડોક્યુમેન્ટ્રી તરીકે જુઓ તો આ સિરીઝમાં ઘણો રસ પડશે. આ સિરીઝ શરૂ થાય ત્યારે એવું લાગે કે સસ્પેન્સ થ્રિલર છે પણ હકીકતમાં આ સિરીઝમાં આપણે જે નોર્મલ જોઈએ છીએ એવી ઘટના અંગેનું સસ્પેન્સ છે જ નહી પરતું આ ઘટનાનો જન્મ કેવી રીતે થયો તેના તાણાવાણા પર જ ચાર એપિસોડ ચાલે છે. ઘટનાના મૂળ સુધી જવામાં ટીનેજરના મનોવૈજ્ઞાનિક આવેશો, સોશિયલ મીડિયા, સ્કૂલ કલ્ચર, પોર્નોગ્રાફી આ બધું પેરેન્ટિંગ પર કઈ રીતે પાણી ફેરવે છે તેના પડ ધીમે ધીમે ખુલે છે. આગળ નાના મોટા સ્પોઇલર છે પણ તેનાથી સિરીઝ જોવામાં કોઈ ખાસ અસર નહી પહોંચે, જો તમે સિરીઝને ડોક્યુમેન્ટ્રી તરીકે લેવાના હો તો. સિરીઝનું નામ ભલે એડોલ્શન્સ હોય પણ ખરેખર તો આજે વાત આ ટીનેજરની નહીં પણ તેના એડલ્ટ પિતાની કરવા...

એક દિવસનો યોગ કેમ ભગાડે રોગ?

21 જૂનના રોજ આપણે યોગદિવસ મનાવી લીધો. આમ જોઈએ તો યોગાસન દિવસ મનાવી લીધો. યોગને વિશ્વ સ્તરે લાવનાર આપણે એ જ ભૂલી ગયા કે યોગ એટલે ફક્ત યોગાસન જ નહીં. યોગ આઠ અંગોનું બનેલું છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, આહાર, પ્રત્યાહાર, ધ્યાન, સમાધિ.  યોગ એ 21 જૂનના દિવસનો ટ્રેન્ડિંગ ટોપિક છે એથી વિશેષ કંઈ નથી એવું મને લાગે છે. એવું નથી કે રોજ યોગ, કસરત કે મેડિટેશન કરનારા નથી. કરે જ છે ઘણા લોકો પરતું આ દિવસે જો તમે કોઈ વિચિત્ર આસન કરેલ ફોટો સોશિયલ મીડિયા પર ન મૂકો તો તમે યોગી નથી. વિશ્વ યોગ દિવસની નિંદા કરવાનો મારો કોઈ ઉદ્દેશ નથી. વળી કેટલાક કહેશે કે દરેક દિવસ તો વર્ષે એક વાર જ ઉજવાતો હોય છે. એમાં વળી નવું શું છે? શું દિવાળીના ફટાકડા આખું વર્ષ ફોડી શકાય? શું પિચકારી લઈને આખું વર્ષ ધૂળેટી રમવાની તાકાત છે? શું આખું વર્ષ આપણે પતંગ ચગાવીને ઉતરાયણ મનાવીએ છીએ? બસ એમ જ યોગ દિવસ એક જ દિવસ મનાવવાનો હોય. વાત પૂરી. તહેવારો અને ઉત્સવો આપણા જીવનને રંગીન બનાવે છે. પણ યોગ દિવસ એ કોઈ તહેવાર કે ઉત્સવ નથી. યોગ દિવસ એ દર વર્ષે આવતું એક રીમાઇન્ડર છે. યોગ એ જીવન જીવવા માટેનું એક મેઇન્ટેનેન્સ મેન્યુઅલ છે. યોગના આઠ...

પાબ્લો એસ્કોબાર એટલે દસ માથા વાળો રાવણ

વેબ સિરીઝ: નાર્કોસ  કેરેક્ટર: પાબ્લો એસ્કોબાર  નાર્કોસ સિરીઝ જોઈ હોય તો નીચેના શબ્દો સાથે વધુ તાદાત્મ્ય સાધી શકશો પણ જો ના જોઈ હોય તો કોઈ ચિંતા નથી, એવા પણ કોઈ ખાસ સ્પોઇલર નથી લખ્યા કે જે તમારી સિરીઝ જોવાની મજા બગાડે. સો પ્લીઝ કન્ટીન્યુ. નાર્કોસની વેબ સિરિઝોમાં પાબ્લોનું જે રીતે ચરિત્ર ચિત્રણ કરવામાં આવ્યું છે એ જોઈને ઉપરનું ટાઈટલનું વાક્ય તરત જ મારા મગજમાં ગુંજે. બાયોપિક હોય એટલે જરૂરી નથી કે બેઠેબેઠી જિંદગી ચિતરેલી હોય, પણ હા જે પણ સાહિત્ય કે મીડિયામાં ઉપલબ્ધ ઇતિહાસ હોય એ તમામનો નિચોડ કાઢીને તેને સ્ટોરીલાઈનમાં ફીટ કરીને પરોસેલું હોય. એટલે કે કેટલીક વાતો સ્ત્રીઓની ઓટલા પરિષદની જેમ કે'તો 'તો 'ને કે'તી 'તી ની જેમ મસાલેદાર બનાવેલી હોઈ શકે. આ બાબતને નજરઅંદાજ કરીને ફક્ત આ સિરીઝમાં દેખાતા પાબ્લોની વાત કરવી છે પાબ્લોની જિંદગી જોઈને દાઉદ પણ તેની પાસે નાનું બચ્ચું લાગે, એવી ભાયાનક ક્રુર અને છતાં પણ ક્યારેક દયા આવે એવું વ્યક્તિત્વ છે. જ્યારે જ્યારે એ ડ્રગ્સની સાથે સાથે હિંસા અને રાજકારણમાં અરાજકતા સર્જે છે ત્યારે ત્યારે એ દસ માથા વાળો રાવણ જ લાગે. પણ જ્યારે જ્યારે તેના ...