Skip to main content

Posts

ઓમિક્રોન એટલે કોરોનાએ માનવજાતને સંધિ માટે મોકલેલો દૂત...⁉️

  Sorry Omicron, you are still on second position. આવું જ કંઈક ગઇકાલે ICMR દ્વારા કહેવામાં આવ્યું. એટલે કે ICMRના ડેટા મુજબ હજુ પણ ડેલ્ટા વેરિએન્ટની સરખામણીમાં ઓમિક્રોન વેરિએન્ટ ઓછો ઘાતકી છે. વિશ્વભરમાંથી ટૂંકા સમય દરમિયાન મળેલ રિસર્ચ ડેટા પણ એવું જ કંઈક કહે છે કે ઓમિક્રોનથી સાવચેત રહેવાની જરૂર છે પણ નવા વાયરસમાં ખપાવીને ડરવાની જરૂર નથી. ઓમિક્રોન પરના કોઈ જ ડેટા કે ઇન્ફોર્મેશન કે બ્લા બ્લા બ્લા આગળ આ બ્લોગમાં તમને મળશે નહીં. માટે એવી આશા હોય તો અહીંથી જ અટકી જવું અને ગૂગલ પ્રભુનું શરણ લેવું. અહીં કઈક અલગ જ વિષય પર વાત કરવાની ઈચ્છા છે. કોરોના વાઇરસથી આપણે જેવી રીતે છેલ્લા બે વર્ષથી લડી રહયા છીએ એવી જ રીતે કોરોના વાઇરસ પણ મનુષ્ય સામે છેલ્લા બે વર્ષથી લડી રહ્યો છે એવું કહી શકાય. જો આ વાઈરસની નજરોથી જોવા જઈએ તો ભલે તેનું જીવન ક્ષણિક હોય પણ તેની ઈચ્છા પણ જીવી જવાની અને પોતાની પેઢીઓને જીવતી રાખવાની હોય છે. આવી રીતે કોઈ પણ પ્રકારે નવા નવા વેરીએન્ટ લોન્ચ કરીને કોરોના માનવજાત સાથે એક પ્રકારની ડીલ કરી રહ્યો છે. માનવજાત પણ નવા વેરીએન્ટ આવતાની સાથે જ પોતાને સજ્જ કરીને જાણે આ ડીલમાં તોલભાવ કરી ...

મેનિપ્યુલેશન: તોડજોડનું સગવડીયું શાસ્ત્ર

હાલમાં જ આયર્લેન્ડની એક ગ્લોબલ એજન્સી કે જે દર વર્ષે ભૂખથી પીડિત દેશોનો સુચકઆંક બહાર પાડે છે જેને હંગર ઇન્ડેક્સ (Hunger Index) કહે છે તેમાં ભારત 101 નંબરે ખૂબ જ ખરાબ રીતે ચિત્રિત થયું. આપણા બાંગ્લાદેશ, પાકિસ્તાન અને નેપાળ જેવા પડોશીઓ પણ આ સર્વે મુજબ ભારત કરતા સારી સ્થિતિમાં છે. એટલે કે ભારતનો ભૂખમરો આ લોલીપોપ પાડોશીઓ કરતા પણ ખરાબ છે, બોલો! આ પાડોશીઓ સાથેની સરખામણી બાદ તમને એમ થશે કે નક્કી કઈક લોચો છે આ સર્વેમાં. આવું જ ભારત સરકારને પણ થયું. તેણે આ સર્વે માટે ભારતના ફૂડ અને એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ તરફથી મોકલવામાં આવેલ ડેટાનું અલગ રીતે ખોટું ઇન્ટરપ્રિટેશન થયું છે એમ કહીને આ હંગર ઈન્ડેક્સ કાઢવાની પદ્ધતિને જ 'અનસાયન્ટિફિક મેથોડોલોજી' (Unscientific Methodology)ગણાવીને નકારી કાઢી. પોલિટિકલી જોઈએ તો આપણે સમજી શકીએ કે કોઈ પણ ડેટા જે સરકારના પક્ષમાં બોલતો હોય એ સાચો અને સરકારની ખરાબ કામગીરી બતાવતો હોય તો એ તરત જ 'અનસાયન્ટિફિક' કેટેગરીમાં આવી જાય છે. મતલબ કે મનને ગમે એ મોરલો! કોઈપણ સર્વે કે ડેટાને એવી રીતે સુવ્યવસ્થિત ગોઠવીને લોકોને અભિભૂત કરી દેવા કે લોકોના વિચારો પર તેની ઊંડી અ...

જો કોરોનાની વેક્સિન હજુ સુધી શોધાઈ ના હોત તો?

  ભારતમાં કોરોનાની વેક્સિન જાન્યુઆરીના મધ્યે લોન્ચ કરવામાં આવી. જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ફ્રન્ટલાઇન વોરિયર્સને પ્રાધાન્ય આપીને સૌપ્રથમ તેમને આપવામાં આવી. ત્યારબાદ ધીમે ધીમે 60 વર્ષ 45 વર્ષ અને 18 વર્ષ એમ ક્રમશઃ વેક્સિનના ઉત્પાદન સાથે સમન્વય કરીને દરેકને વારાફરતી આપવામાં આવી. વચ્ચે થોડા દિવસો અથવા તો અઠવાડિયાઓ સુધી વેક્સિનની ડિમાન્ડ તેની સપ્લાયની સરખામણીએ વધી ગયેલી અને એટલે ઘણા પ્રશ્નો પણ ઉદ્દભવેલા પણ ધીમે ધીમે હવે દરેક માટે કોરોનાની વેક્સિન લેવી સરળ બની ગઈ છે. જેમ જેમ વેક્સિન સરળતાથી ઉપલબ્ધ થવા માંડ્યું તેમ તેમ સરકારે પણ વેક્સિન મરજિયાત હોવા છતાં જાહેર સ્થળોએ વેક્સિનના ડોઝ વગર પ્રવેશબંધી કરીને આડકતરી રીતે વેક્સિન મુકાવવી ફરજિયાત કરી દેવામાં આવી. આવો ડિપ્લોમેટિક નિર્ણય લઈને સરકારે તો તેમની ચતુરાઈ બતાવી દીધી પરંતુ સામે વેક્સિન ન લેવા માંગતા લોકો પણ પોતાની ચતુરાઈ અને છટકબારીનો ઉપયોગ ખુબજ સારી રીતે કરી જાણે છે. આમ પણ મેનિપ્યુલેશન (manipulation) પણ હવે એક કળા બની ગઈ છે જેના પર આવતા અઠવાડિયે વાત કરીશું. ભારતમાં એક નહિ પણ બે બે વેક્સિન બની: કોવેકસીન અને કોવિશિલ્ડ. જો ભારતને આ વેક્સિન હજ...

સુપરપાવર ન હોવાનો અફસોસ થયો છે ક્યારેય?

મોટાભાગના નેવુંના દશકમાં જન્મેલા અલ્લાદીન અને તેના ઝીનીના દીવાના હતા. તો વળી એકવીસમી સદીના પહેલા દશકમાં સ્પાઇડર મેન અને ક્રિશ જેવા સુપરહીરોના પગરવ થયા. ત્યારબાદ મારવેલ અને ડિસીએ એટલી ધૂમ મચાવી એમાં પણ મારવેલના એવેન્જર્સ તો મોટાભાગના યુવાનો અને ટીનેજર્સ માટે ફક્ત એક ફિકશન ન રહેતા હકીકતની નજીક બની ગયા. આ બધા વચ્ચે આપણે જે. કે. રોલિંગના હેરી પોટરને થોડો ભૂલી શકીએ? એવી એકાદ જાદુઈ લાકડી આપણા હાથમાં પણ હોય અને બે ત્રણ આડા અવળાં મંત્રો બોલીને આપણે પણ જાદુ કરી શકીએ તો કેવું! આ બધી ઈચ્છાઓ પણ ધીમે ધીમે ઉંમરની સાથે બદલાતી જાય. પહેલા જે વસ્તુ ફક્ત ટીવી કે સિનેમા માં જોઈને તેનાથી ઘડી વાર અંજાઈ જતા એ ધીમે ધીમે મનમાં ઘર કરવા માંડે. એવું લાગવા માંડે કે આમાંનું કોઈ એકાદ પાત્ર હું પણ હોઉં! પણ શા માટે? તમને ક્યા સમયે આવો વિચાર આવે છે? જ્યારે તમે તમારી આજુબાજુ અકળામણ અનુભવો, અન્યાય અનુભવો ત્યારે તરત જ તમને થાય કે આવી કોઈ તાકાત મારી પાસે હોત તો બધાને સીધા કરી દેત. જ્યારે કોઈ ચેનલ પર આંતકવાદીના હુમલા ના સમાચાર જોઈને તમારી અંદર રહેલો સુપરમેનનો અવતાર જાગી ઉઠે અને મનમાં જ એ આતંકવાદીઓને પોતાના આંખની લેઝરથી ભષ્મ...

શું સોપારી ખાવાથી લોહી પાતળું થાય?

સોપારી એટલે દરેક તમાકુ સેવન કરનાર વ્યક્તિનો અંગત મિત્ર. આ મિત્ર ઘણા જુદા જુદા રંગવેશમાં મિત્રતા નિભાવે અને છેલ્લે લાલ પિચકારી સ્વરૂપે બીજા લોકોને પણ મિત્રતાનો પાકો કલર બતાવે. ખાસ કરીને પ્રથમ લોકડાઉનમાં સોપારીએ સોના સાથે જે રીતે હોડ લગાવેલી એ જોઈને એવું લાગેલું કે જો આવું લોકડાઉન એક વર્ષ રહે તો સોપારીનો ભાવ બીટકોઈનને પણ શરમાવે.  પણ વાત આપણે કોઈ કાળા બજારીની નથી કરવી કે નથી કોઈને તમાકુનું સેવન અથવા ધુમ્રપાન છોડવાનો ઉપદેશ આપવો. આપણે તો ફક્ત સોપારી વિશે ફેલાતી અફવાઓ પર થોડોક ઉપરછલ્લો પ્રકાશ પાડવો છે. કાઠિયાવાડમાં 'માવો' તરીકે પ્રખ્યાત સોપારી તમાકાનું મિશ્રણ ફક્ત સૌરાષ્ટ્રમાં જ નહીં પણ સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે. ઉત્તર પૂર્વના રાજ્યોમાં પણ અલગ અલગ સ્વરૂપે આ કોમ્બોનો રુઆબ છે. આ મજેદાર વ્યસનના મોટાભાગના અનુયાયીઓ પોતાના વ્યસનને જસ્ટિફાય કરવા અથવા બીજાને પોતાના વ્યસનના લાભની લાલચ આપવા એક વાત જરૂર કહેશે કે સોપારી તો બહુ સારી, તેનાથી લોહી પાતળું રહે અને હાર્ટ એટેક ના આવે. આવું કહેવા પાછળનું એ લોકોનું મનોવિજ્ઞાન બસ એટલું જ કે પોતે જે કરે છે એ કઈક બરાબર જ કરે છે. હવે આ અનુયાયીઓને તમે કઈ રી...

શું તમને દવા અસર નથી કરતી? તો આ વાંચો...

શું ક્યારેય એવું લાગ્યું છે કે કોઈ દવા તમે લેતા હો અને  એ દવા તમારા પર અસર કરવાનું જ છોડી દે? શું ક્યારેય એવું લાગ્યું કે તમે લીધેલી દવા શરીર પર હવે પહેલા જેટલી કારગત નથી રહી? આ એ જ દવા હતી જેનાથી તમે ભૂતકાળમાં સાજા પણ થઈ ગયેલા છો પણ હવે જોઈએ તેવું પરિણામ નથી મળતું. આવા સંજોગોમાં બે શક્યતાઓ રહેલી છે. 1. DRUG TOLERANCE (ડ્રગ ટોલરન્સ) 2. DRUG RESISTANCE (ડ્રગ રજીસ્ટન્સ) બન્ને બાબતો લગભગ શરૂઆતમાં એક સરખી લાગે પરંતુ બન્નેમાં ઘણું અંતર હોય છે. જો કે બન્નેના પરિણામ આપણા માટે વધુ ચિંતાજનક બની શકે છે જો તેને બરાબર સમયસર ઓળખી લેવામાં ના આવે.   દવા પહેલા જેટલી માત્રમાં લેવાથી શરીરને આરામ પહોંચાડતી હતી તેટલી માત્રમાં હવે કારગત ન હોય તો તેને ડ્રગ ટોલરન્સ કહેવાય. આવા કિસ્સામાં મોટાભાગે દવાનો ડોઝ વધારવાથી તેની મૂળ અસર પાછી ફરતી હોય છે પણ એ જ અસર કેટલા સમય સુધી ટકશે એ કહેવું મુશ્કેલ હોય છે. કારણ કે ઈચ્છિત ફાર્મકોલોજીકલ એક્શન (દવાની શરીર પર અસર) મેળવવા દવાના પ્રમાણમાં વધારો કરતા તેનું ફાર્મેકોકાઈનેટિક્સ અને ડાયનેમિક્સ (શરીરમાં દવાનું વિઘટન) બદલાઈ જાય છે. આવા સંજોગોમાં તે દવા ટૂંકા ગાળા માટે...

તંત્રની બેદરકારી એટલે શું?

 આજકાલ મીડિયા માટે લખવી જે ખૂબ જ સરળ બની ગઈ છે એવી આ હેડલાઈન દરેક લોકોના જીભે ચડી બેઠી છે. પણ આ તંત્રની વ્યાખ્યા થોડી સમજવાની જરૂર છે. આ તંત્ર એટલે કોણ? સરકારી કચેરી? સરકારી દવાખાના? સરકારી કર્મચારીઓ? સરકાર પોતે? આમાંથી કોણ? ખરેખર ઉપરના બધા તો તંત્રનો એક ચતુર્થ ભાગ સમાન જ છે. સાચું તંત્ર બનેલું છે લોકોનું. જ્યાં લોકો નથી, નાગરિકો નથી એ તંત્ર નથી. ઘણી વાર તંત્રમાં ઉપરનામાંથી એક પણ ન હોય છતાં એ તંત્ર હોઈ શકે. રેલીઓ સરકારે કરી તેને સફળ બનાવી લોકોએ. મેચોનું આયોજન થયું તેની ટિકિટો બેફામ વેચાઈ, લીધી કોણે, લોકોએ. એટલે જ્યારે જ્યારે તંત્ર સામે એક આંગળી ચીંધવામાં આવે છે ત્યારે ત્યારે ત્રણ આંગળીઓ આપણી તરફ પણ હોય છે અને આ આંગળીઓ ભેગી મળીને જ તંત્ર બનાવે છે. હવે બેદરકારી શબ્દ તરફ પ્રયાણ કરીએ. આવી મહામારીમાં પોતાની ફરજ બજાવતા (આને ઉપકાર ન સમજીને ફરજ સમજીએ તો પણ..) હેલ્થ સ્ટાફ ઉપર દરરોજ માછલાં ધોવા કેટલા વ્યાજબી છે? ક્યારેક કોઈના ટેસ્ટમાં ટેક્નિકલ ક્ષતિ આવે તો બેદરકારી. કોઈનો જીવ જાય તો હેલ્થ સ્ટાફની બેદરકારી. કોઈને બેડ ઉપલબ્ધ ન થાય તો હેલ્થસ્ટાફની બેદરકારી. કોઈને પૂરતી દવાઓ ઉપલબ્ધ ન થાય તો દવાખ...