Skip to main content

શું તમને દવા અસર નથી કરતી? તો આ વાંચો...


શું ક્યારેય એવું લાગ્યું છે કે કોઈ દવા તમે લેતા હો અને  એ દવા તમારા પર અસર કરવાનું જ છોડી દે? શું ક્યારેય એવું લાગ્યું કે તમે લીધેલી દવા શરીર પર હવે પહેલા જેટલી કારગત નથી રહી? આ એ જ દવા હતી જેનાથી તમે ભૂતકાળમાં સાજા પણ થઈ ગયેલા છો પણ હવે જોઈએ તેવું પરિણામ નથી મળતું. આવા સંજોગોમાં બે શક્યતાઓ રહેલી છે.

1. DRUG TOLERANCE (ડ્રગ ટોલરન્સ)

2. DRUG RESISTANCE (ડ્રગ રજીસ્ટન્સ)

બન્ને બાબતો લગભગ શરૂઆતમાં એક સરખી લાગે પરંતુ બન્નેમાં ઘણું અંતર હોય છે. જો કે બન્નેના પરિણામ આપણા માટે વધુ ચિંતાજનક બની શકે છે જો તેને બરાબર સમયસર ઓળખી લેવામાં ના આવે.

 

દવા પહેલા જેટલી માત્રમાં લેવાથી શરીરને આરામ પહોંચાડતી હતી તેટલી માત્રમાં હવે કારગત ન હોય તો તેને ડ્રગ ટોલરન્સ કહેવાય. આવા કિસ્સામાં મોટાભાગે દવાનો ડોઝ વધારવાથી તેની મૂળ અસર પાછી ફરતી હોય છે પણ એ જ અસર કેટલા સમય સુધી ટકશે એ કહેવું મુશ્કેલ હોય છે. કારણ કે ઈચ્છિત ફાર્મકોલોજીકલ એક્શન (દવાની શરીર પર અસર) મેળવવા દવાના પ્રમાણમાં વધારો કરતા તેનું ફાર્મેકોકાઈનેટિક્સ અને ડાયનેમિક્સ (શરીરમાં દવાનું વિઘટન) બદલાઈ જાય છે. આવા સંજોગોમાં તે દવા ટૂંકા ગાળા માટે તો આપને રાહત કરતી થઈ જાય છે પણ લાંબા ગાળે તેના ફાયદાના પ્રમાણમાં સાઈડ ઇફેક્ટ વધુ દેખાય છે.


દવાના ટોલરન્સ માટે દવા શરીરના જે કોષોના બાહ્યતંતુઓ (cell receptors) સાથે જોડાય છે એ તંતુઓ તે ખાસ પ્રકારની દવાથી એટલા સંતૃષ્ટ થઈ ગયા હોય છે કે પછી દવાને જોડાવા માટે રિસ્પોન્સ જ નથી આપતા અથવા કહો કે દવાને ઇગ્નોર કરવા માંડે છે. આવી પરિસ્થિતિમાં એ દવા વધુ જથ્થામાં જો એ તંતુઓ સામે બળવો કરે તો જ તે દવાને કોષો સાથે જોડીને આગળ પ્રક્રિયા કરવા રાજી થાય નહિ તો ભાવ ખાય. એટલે ડોઝની માત્રા દ્વારા આ નિષ્ક્રીય તંતુઓને કાબુમાં લઈ કામ તો કરાવી શકાય પણ કેટલા સમય સુધી કરાવી શકાય એ નક્કી નહિ.


આવું થવાનું પણ કારણ છે. એક ને એક દવાનો લાંબો સમય સુધી ઉપયોગ કરવામાં આવે તો તંતુઓ એક ની એક પ્રક્રિયા કરીને નિષ્ક્રિય થઈ જાય એ સ્વાભાવિક છે. બસ આ નિષ્ક્રિયતા એ જ ડ્રગ ટોલરન્સ. ભારત જેવા દેશમાં જ્યાં મેડિકલ સ્ટોર પર કરિયાણુ અને કરિયાણા સ્ટોર પર મેડિસિન મળતી હોય ત્યાં આવું થવું સ્વાભાવિક છે. લોકોનું ઓવર ધ કાઉન્ટર ડ્રગ ખરીદી કરવાનું આંધળું વલણ આ મુસીબત સર્જે છે. 


સમયની સાથે એવું પણ બને કે દવાનો ડોઝ વધારતા તેની આદત પડવા લાગે તો આ આદત ને ડ્રગ ડીપેન્ડન્સ (Drug dependence) કહેવાય અને જ્યારે આ આદતથી દુર થવાનો પ્રયત્ન કરવામાં આવે તો શરીર સાથ ના આપે કે બીમાર પડે તો તેને ડ્રગ એડીક્શન (Drug addiction) કહેવાય. ખાસ કરીને પેઈન કિલર તરીકે ઓપીઓઈડ એનલજેસિક્સ (Opioid analgesics) નો આંધળો ઉપયોગ એડિકશન સુધી લઈ જાય છે.


ઘણીવાર ડ્રગ ટોલરન્સમાં ક્રોસ ટોલરન્સ પણ જોવા મળે છે. જેમાં એક દવાનું ટોલરન્સ આવી જાય તો તે જ ક્લાસની બીજી દવા પણ અસર કરતી બંધ થઈ જાય છે કારણ કે સેમ ક્લાસની બન્ને દવાના કેમિકલ ફોર્મ્યુલા વધતા ઓછા અંશે એકબીજાને સમાન જ હોવાના. 


મતલબ કે ડ્રગ ટોલરન્સ એ દવાની આદત કે બંધાણી થવાનું પ્રથમ પગલું છે. તો આવી સ્થિતિમાં ટોલરન્સ વખતે જ અટકી જવું વધુ હિતાવહ છે.


ડ્રગ રજીસ્ટન્સ પણ આવી જ એક પ્રક્રિયા છે પણ એ લગભગ irreversible (ફરીથી નોર્મલ ન થઈ શકે એવી) પ્રક્રિયા છે. જેમાં દવા કે દવાનો કલાસ બદલાવવો જ પડે છે તો જ શરીર પર દવા થી પરિણામ મેળવી શકાય. જો કે ડ્રગ રજીસ્ટન્સ એ માત્ર એન્ટીમાઇક્રોબિયલ દવાઓ પૂરતું જ સીમિત છે જ્યારે ડ્રગ ટોલરન્સ કોઈ પણ દવાથી થઈ શકે. ડ્રગ રજીસ્ટન્સ વિશે વધુ માહિતી માટે તમે નીચેની લિંક પરના આ બ્લોગના આર્ટિકલ વાંચી શકો છો.

ઠગ્સ ઓફ એન્ટિબાયોટિક્સ: સુપરબગ્સ  

એન્ટિબાયોટિક રજીસ્ટન્સ: ગ્લોબલ વોર્મિગનો નાનો ભાઈ 

સુપર ઓવર: પહેલા એક વાર કહેતા તો પણ માની જાતો હવે તો કાયમ ટોક ટોક કરીયે તો પણ નથી માનતો...

- આજકાલના માતાપિતાની સામાન્ય ફરિયાદ




Comments

Popular posts from this blog

દવાઓ બેફામ: વરદાન કે અભિશાપ?

હોસ્પિટલ ફાર્માસિસ્ટ તરીકે નોકરી કરવી એ શરૂઆતના દિવસોમાં ખૂબ જ ધીરજ માંગી લે એવું કામ હતું.  કેમ? કારણ કે જે પણ એકેડેમિક નોલેજને બસ ઇમ્પ્લીમેન્ટ કરવાની તૈયારી કરતો હતો એ જ એકેડેમિક અહીં પેંડેમીક બનીને ઉભું હતું. આ પેંડેમીક એટલે દવાઓનો બેફામ ઉપયોગ. ના માત્ર એન્ટિબાયોટિકસ જ નહીં પણ સ્ટીરોઇડ્સ, પેઈન કિલર, એન્ટાસિડ દરેકનો આ જ હાલ હતો અને છે. એવું નથી કે આવું ફક્ત ગ્રામ્ય કક્ષાએ જ છે. મોટા શહેરોમાં પણ ઝડપથી સાજા થવાની લ્હાયમાં આવા દવાઓના બેફામવેડા ચાલુ જ છે. એલોપેથી દવાઓ ઝડપથી રાહત કરવા માટે પ્રખ્યાત છે પણ હવે લોકોની ધીરજ અને સહનશક્તિ એટલી હદે જવાબ દઈ ચુકી છે કે આ એલોપેથીની ઝડપ પણ તેને હવે ઓછી લાગે છે. આવા સમયમાં આયુર્વેદ થેરાપીની તો વાત જ કેમ કરવી? આયુર્વેદ ધીમી સારવાર માટે ભલે જાણીતું હોય પરંતુ તેની દરેક સારવારના પરિણામ ધીમા જ મળે એવું જરૂરી નથી હોતું. પણ આમ છતાં આયુર્વેદનો ચાર્મ હાલ તો એલોપેથી ની સાપેક્ષે ખૂબ જ પાછળ છે. વળી, મહેરબાની કરીને કોઈ હોમીઓપેથી, નેચરોપેથી કે યુનાની જેવી પધ્ધતિઓ ની તો વાત જ ન કરતા. એ તો હજુ લોકપ્રિયતાની એરણ પર જોજનો દૂર છે. અહીં વાત અસરકારકતાની નહ...

સાયનોકોબાલની મોટી બબાલ: અથ શ્રી વિટામિન B12 કથા

  "તમારામાં વિટામિન B12ની ખામી છે, દવાનો કોર્સ કરવો પડશે." આવી વાતો આજકાલ કોમન થઈ ગઈ છે. તેનાથી પણ વધુ પ્રચલિત થયા છે એકાંતરા વાળા વિટામિન B12ના ઇન્જેક્શન. વળી હવે તો આ ઇન્જેક્ટેબલ સારવાર પણ OTC (ઓવર ધ કાઉન્ટર) બનતી જાય છે. એટલે જ્યારે પણ ભળતાં લક્ષણો જોવા મળે તો લગાઓ B12. વિટામિન D પછી સૌથી વધુ કોઈ વિટામીનની ખામી માણસોમાં જોવા મળે છે તો એ છે વિટામિન B12 જેને સાયનોકોબાલામાઈન ના હુલામણાં નામથી પણ બોલાવામાં આવે છે. 🤔 પણ આ B12 શા માટે આટલું જરૂરી છે? તેના વગર ચાલે એમ નથી? એવું તો શું કામ કરે છે આ VIP વિટામિન?  વિટામિન B12 એ આપણા DNA એટલે કે આપણો પાયો બાંધવામાં સૌથી મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત આપણા RBC એટલે કે રક્તકણોનું નિર્માણ થવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે. શરીરમાં એનર્જી પ્રોડ્યુસ કરતી કેટલીક ક્રિયાઓમાં જરૂરી ઘણા બધા ઉદ્દીપક (enzymes) ના બનવા માટે પણ આપણું લાડકવાયું વિટામિન B12 જ ભાગ ભજવે છે. ચેતાતંતુઓમાં પણ સંવેદનાના વહન માટે B12 જ મેઇન્ટેનન્સ પાર્ટનર તરીકે કામ કરે છે. મગજ જેવા મૂળભૂત અંગોનું સારી રીતે સંચાલન કરવા બદલ પણ હે વિટામિન B12! આપનો ખૂબ ખૂબ આભાર. 😱 ...

એડોલ્શન્સ: ટીનેજર સ્ટોરી કે પેરેન્ટિંગ ડોક્યુમેન્ટ્રી!?

                         વેબસિરિઝ: એડોલ્શન્સ             કેરેકટર: એડવર્ડ મિલર અને લ્યુક બેસકોમ્બ ચાર એપિસોડ વાળી અને દરેક એપિસોડ શરૂઆતથી અંત સુધી સિંગલ શોટમાં શૂટ થયેલી મિનિસિરિઝ આમ તો એકદમ બોરિંગ છે અને એકદમ સ્લો છે પણ જો તેને તમે એક ટીનેજરની લાઇફ આસપાસની ડોક્યુમેન્ટ્રી તરીકે જુઓ તો આ સિરીઝમાં ઘણો રસ પડશે. આ સિરીઝ શરૂ થાય ત્યારે એવું લાગે કે સસ્પેન્સ થ્રિલર છે પણ હકીકતમાં આ સિરીઝમાં આપણે જે નોર્મલ જોઈએ છીએ એવી ઘટના અંગેનું સસ્પેન્સ છે જ નહી પરતું આ ઘટનાનો જન્મ કેવી રીતે થયો તેના તાણાવાણા પર જ ચાર એપિસોડ ચાલે છે. ઘટનાના મૂળ સુધી જવામાં ટીનેજરના મનોવૈજ્ઞાનિક આવેશો, સોશિયલ મીડિયા, સ્કૂલ કલ્ચર, પોર્નોગ્રાફી આ બધું પેરેન્ટિંગ પર કઈ રીતે પાણી ફેરવે છે તેના પડ ધીમે ધીમે ખુલે છે. આગળ નાના મોટા સ્પોઇલર છે પણ તેનાથી સિરીઝ જોવામાં કોઈ ખાસ અસર નહી પહોંચે, જો તમે સિરીઝને ડોક્યુમેન્ટ્રી તરીકે લેવાના હો તો. સિરીઝનું નામ ભલે એડોલ્શન્સ હોય પણ ખરેખર તો આજે વાત આ ટીનેજરની નહીં પણ તેના એડલ્ટ પિતાની કરવા...

એક દિવસનો યોગ કેમ ભગાડે રોગ?

21 જૂનના રોજ આપણે યોગદિવસ મનાવી લીધો. આમ જોઈએ તો યોગાસન દિવસ મનાવી લીધો. યોગને વિશ્વ સ્તરે લાવનાર આપણે એ જ ભૂલી ગયા કે યોગ એટલે ફક્ત યોગાસન જ નહીં. યોગ આઠ અંગોનું બનેલું છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, આહાર, પ્રત્યાહાર, ધ્યાન, સમાધિ.  યોગ એ 21 જૂનના દિવસનો ટ્રેન્ડિંગ ટોપિક છે એથી વિશેષ કંઈ નથી એવું મને લાગે છે. એવું નથી કે રોજ યોગ, કસરત કે મેડિટેશન કરનારા નથી. કરે જ છે ઘણા લોકો પરતું આ દિવસે જો તમે કોઈ વિચિત્ર આસન કરેલ ફોટો સોશિયલ મીડિયા પર ન મૂકો તો તમે યોગી નથી. વિશ્વ યોગ દિવસની નિંદા કરવાનો મારો કોઈ ઉદ્દેશ નથી. વળી કેટલાક કહેશે કે દરેક દિવસ તો વર્ષે એક વાર જ ઉજવાતો હોય છે. એમાં વળી નવું શું છે? શું દિવાળીના ફટાકડા આખું વર્ષ ફોડી શકાય? શું પિચકારી લઈને આખું વર્ષ ધૂળેટી રમવાની તાકાત છે? શું આખું વર્ષ આપણે પતંગ ચગાવીને ઉતરાયણ મનાવીએ છીએ? બસ એમ જ યોગ દિવસ એક જ દિવસ મનાવવાનો હોય. વાત પૂરી. તહેવારો અને ઉત્સવો આપણા જીવનને રંગીન બનાવે છે. પણ યોગ દિવસ એ કોઈ તહેવાર કે ઉત્સવ નથી. યોગ દિવસ એ દર વર્ષે આવતું એક રીમાઇન્ડર છે. યોગ એ જીવન જીવવા માટેનું એક મેઇન્ટેનેન્સ મેન્યુઅલ છે. યોગના આઠ...

પાબ્લો એસ્કોબાર એટલે દસ માથા વાળો રાવણ

વેબ સિરીઝ: નાર્કોસ  કેરેક્ટર: પાબ્લો એસ્કોબાર  નાર્કોસ સિરીઝ જોઈ હોય તો નીચેના શબ્દો સાથે વધુ તાદાત્મ્ય સાધી શકશો પણ જો ના જોઈ હોય તો કોઈ ચિંતા નથી, એવા પણ કોઈ ખાસ સ્પોઇલર નથી લખ્યા કે જે તમારી સિરીઝ જોવાની મજા બગાડે. સો પ્લીઝ કન્ટીન્યુ. નાર્કોસની વેબ સિરિઝોમાં પાબ્લોનું જે રીતે ચરિત્ર ચિત્રણ કરવામાં આવ્યું છે એ જોઈને ઉપરનું ટાઈટલનું વાક્ય તરત જ મારા મગજમાં ગુંજે. બાયોપિક હોય એટલે જરૂરી નથી કે બેઠેબેઠી જિંદગી ચિતરેલી હોય, પણ હા જે પણ સાહિત્ય કે મીડિયામાં ઉપલબ્ધ ઇતિહાસ હોય એ તમામનો નિચોડ કાઢીને તેને સ્ટોરીલાઈનમાં ફીટ કરીને પરોસેલું હોય. એટલે કે કેટલીક વાતો સ્ત્રીઓની ઓટલા પરિષદની જેમ કે'તો 'તો 'ને કે'તી 'તી ની જેમ મસાલેદાર બનાવેલી હોઈ શકે. આ બાબતને નજરઅંદાજ કરીને ફક્ત આ સિરીઝમાં દેખાતા પાબ્લોની વાત કરવી છે પાબ્લોની જિંદગી જોઈને દાઉદ પણ તેની પાસે નાનું બચ્ચું લાગે, એવી ભાયાનક ક્રુર અને છતાં પણ ક્યારેક દયા આવે એવું વ્યક્તિત્વ છે. જ્યારે જ્યારે એ ડ્રગ્સની સાથે સાથે હિંસા અને રાજકારણમાં અરાજકતા સર્જે છે ત્યારે ત્યારે એ દસ માથા વાળો રાવણ જ લાગે. પણ જ્યારે જ્યારે તેના ...