Skip to main content

મિઝલ્સ અને રુબેલા રસીકરણ અભિયાનનું અફવાશાસ્ત્ર


          બટુકભાઈ દરરોજ બગીચામાં ફરવા જાય અને એક બાંકડા પર બેસે. એ બાંકડો તેનો પ્રિય. બે-ચાર મિત્રો સાથે ગપ્પાબાજી કરીને જ દરરોજ સાંજે છુટા પડે. પણ એક દિવસ સાંજે છુટા પડતા પહેલાં તેને પગમાં કંઈક ચુભ્યું. જોયું તો કીટકના કરડવાનું નાનું ઝખમ થયું હતું. બધા એ વાત ને અવગણીને છુટા પડ્યા. બીજા દિવસે પાછા જ્યારે બધા એ બાંકડા પાસે ભેગા થયા ત્યારે જાણવા મળ્યું કે તે બાંકડા નીચે એક દર છે જેમાં ઘણા સમયથી એક સાપ રહે છે. બસ આ વાત બટુકભાઈના કાને પડતા જ તેને ચક્કર આવવા માંડ્યા અને પરસેવો છૂટી ગયો. તરત જ ઘરે ભાગ્યા. ઊલટીઓ થવા માંડી. તાવ ચડી ગયો અને હોસ્પિટલમાં દાખલ થઈ ગયા. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. બટુકભાઈને સાપ નહીં પણ કીટક જ કરડયું હતું. પરંતુ 24 કલાક પછી તેના મનમાં ઘુસેલ વહેમ અને ડરને કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. આ કાલ્પનિક ડરને કારણે ઉત્પન્ન થતી પરિસ્થિતિને વાસો વેગલ રીફલેક્સ (vaso vagal reflex) કહે છે, જે આજકાલ ગુજરાતમાં ઓરી રુબેલા(MR) રસીકરણ અભિયાનમાં બાળકો તથા વાલીઓમાં જોવા મળી રહ્યો છે.
          આ સઘળા રીફલેક્સ માટે જવાબદાર કોણ? બહુ સરળ જવાબ છે, આપણું બેજવાબદાર મીડિયા અને બેજવાબદાર લોકોથી છલકાતું સોશિઅલ મીડિયા. છેલ્લા 40 વર્ષોથી દુનિયામાં આ MR ની રસી વપરાઈ રહી છે. WHO ના લક્ષ્ય પ્રમાણે ભારત સિવાયના એશિયાના બીજા 10 દેશો ઓરી અને રુબેલા ને 2020 પહેલા નાબૂદ કરવા આ અભિયાનમાં જોડાયેલા છે. અરે, શ્રીલંકા અને બાંગ્લાદેશમાં તો આ રસી રોજબરોજના રસીકરણમાં વાપરવાની શરૂ થઈ ગઈ છે. આ ઉપરાંત ભારતના આશરે 20 જેટલા રાજ્યોમાં પણ આ રસીકરણ અભિયાન થઇ ગયા બાદ તેને રોજબરોજના રસીકરણપત્રક માં સામેલ કરી દીધી છે. આ રાજ્યોમાં ક્યાંય કોઈ ગંભીર આડઅસરો જોવા મળી નથી. હા, કેટલીક સામાન્ય અસરો જોવા મળી શકે જેમકે એકાદ દિવસ તાવ આવવો, ઉલટી થવી, ઇન્જેક્શન આપ્યાની જગ્યાએ લાલાશ આવી જવી વગેરે. પરંતુ આ બધી સામાન્ય અસરો છે જે બીજા કોઈ પણ વેકસીનથી કે કોઈ દવા થી પણ આવી શકે છે. આ અસરોને આડઅસરો કહેવાને બદલે આપણે સાઈડ ઇફેક્ટ કહીએ તો વધુ સારું કેમકે આવી ક્ષણિક અવગણી શકાય તેવી અસરોની સામે મળતો ઓરી અને રુબેલા સામે લડવાનો આજીવન ફાયદો વધુ મહત્વનો છે. પણ આવું બધું આપણને કોણ સમજાવે? 
          બ્રેકીંગ ન્યુઝ માટે વલખાં મારતા આપણાં PhD પત્રકારો પોતાના મનનાં માનેલા સૂત્રો પાસેથી ખબર લઈને પહોંચી જાય છે કે MR રસીને કારણે આડઅસરો નો દોર ચાલુ થતા સરકાર સામે પ્રશ્નો ઉઠયા છે. અરે મારા માઈકવાળા ભાઈ ! આ રસી વર્ષોથી પ્રાઇવેટ હોસ્પિટલમાં અપાઈ રહી છે તેની સામે કોઈ પ્રશ્ન ના ઉઠ્યો પણ જયારે વિનામૂલ્યે સરકારશ્રી તરફથી સામાન્ય લોકોની સ્વાસ્થ્યની કાળજી રાખવા પ્રયત્ન થઈ રહ્યો છે તો શા માટે તમે તમારા હરખપદુડા સુત્રોને લઈને શોરબકોર કરો છો. તમે ગઈકાલે દહીં વડા ખાધા હતા તો તેનું પણ તમને રિએક્શન આવી શકે છે અને ક્યારેક પ્રદુષિત હવા શ્વાસમાં જશે તો તેનું પણ રિએક્શન આવી શકે છે તો શું તમે શ્વાસ લેવાનું પણ બંધ કરી દેશો? 
         
MR વેકસીન એ એક Live Attenuated વેકસીન છે એટલે કે તેમાં MR ના જ નિષ્ક્રિય કરેલા જીવંત વાયરસ છે જે નવી રોગપ્રતિકારક શક્તિ પેદા કરી શકે પણ રોગ પેદા ન કરી શકે. પરંતુ આપણને આ કોઈ તથ્યોમાં રસ નથી. આપણે તો આ વાયરસ શાકાહારી છે કે માંસાહારી, હિન્દુને અપાય કે મુસ્લિમને, નપુંસક બનાવે કે નહીં... આવી બધી પળોજણમાં અને તેને ફેલાવવામાં જ રસ છે.
          જમાલપુરાના કોંગ્રેસના MLA ઇમરાન ખેડાવાલા અને દરિયાપુરના કોંગ્રેસના MLA ગ્યાસુદીન શેખ આ બંનેએ પોતાના વિસ્તારના લોકોમાં જાગૃતિ લાવવા લોકોને આ રસી અપાવવા ભલામણ કરી અને સમજાવ્યું કે આ રસીથી કોઈજ નપુંશકતા આવતી નથી. ધન્ય છે આ નેતાઓને જે આવા સમયે રાજકારણની દુશ્મનાવટ ભૂલીને અભિયાનની વહારે આવ્યા. જોકે આવું ફક્ત ગુજરાતમાં જ નહીં પણ આ જ વર્ષના મે મહિનામાં લુધિયાનામાં થયેલા રસીકરણ અભિયાનમાં પણ MR રસીની આડઅસરો બતાવતો ફોટોશોપ કરેલો ફેક વીડિયો વાઇરલ થયો હતો જેને કારણે વાલીઓ ચિંતામાં મુકાયા હતા. આપણી નબળી માનસિકતા જ એવી છે કે આપણે મોટા પીડિયાટ્રિક ડોકટરો, આરોગ્ય કર્મીઓ અને આ ઝુંબેશને વેગવાન બનાવતા અમિતાભ બચ્ચન અને બીજા લોકલ સેલિબ્રિટી જેવા મહાનુભાવોનું નહીં માનીએ પણ પાનના ગલ્લે બીડી ફૂંકતો નથ્થુ જો એમ કહે કે આ રસી જીવલેણ છે એટલે માની જશું અને કરી દેશું વાયરલ. વાહ રે આપણા બુદ્ધિજીવીઓ!
          ફાર્મસીસ્ટ દ્વારા રાતદિવસ એક કરીને આવડી મોટી વસ્તીને પૂરું પાડવા માટે મોટા પ્રમાણમાં આ
વેકસીનનું ઉત્પાદન કરવામાં આવે છે અને છેક અંતરિયાળ ગામડાઓ સુધી આ જ ફાર્મસીસ્ટ તે રસીની ગુણવત્તા જાળવણી ની મહામૂલી જવાબદારી સંભાળીને તમને ખાતરી આપે છે કે આપનું બાળક સુરક્ષિત છે. પણ અહીં કોઈ અમિતાભ બચ્ચનનું માનવા તૈયાર નથી તો ફાર્મસીસ્ટ નું તો શું માનવાના?
          ગુજરાતમાં NHMના મિશન ડાયરેકટર ડો.ગૌરવ દહીયાએ લોકોમાં જાગૃતિ લાવવા અને ખોટી ગેરસમજો ન ફેલાવવા ભલામણ કરી છે. આજે બાળકો અને વાલીઓ MR વેકસીનની આડઅસરનો નહીં પણ vaso vagal reflex નો ભોગ બની રહ્યા છે જેનું નિયંત્રણ આપણે જ કરવું પડશે. નહીં તો પાકિસ્તાનમાં પોલિયો રસી પીવડાવવા નીકળતા આરોગ્ય કર્મીઓ પર આતંકવાદીઓ દ્વારા થતા ગોળીબારમાં અને કંઈ જાણ્યા વગર જ ખોટા મેસેજ પાસ કરતા સોશિઅલ મીડિયાના આઈન્સ્ટાઈન મિત્રો, પેપર મીડિયા કે ઇલેક્ટ્રોનિક મીડિયા માં કોઈ ખાસ ફરક રહેશે નહીં!!! પ્રભુને પ્રાર્થના કે ગુજરાતની શાણી પ્રજા થોડું શાણપણ વાપરે!

Comments

Post a Comment

Popular posts from this blog

એડોલ્શન્સ: ટીનેજર સ્ટોરી કે પેરેન્ટિંગ ડોક્યુમેન્ટ્રી!?

                         વેબસિરિઝ: એડોલ્શન્સ             કેરેકટર: એડવર્ડ મિલર અને લ્યુક બેસકોમ્બ ચાર એપિસોડ વાળી અને દરેક એપિસોડ શરૂઆતથી અંત સુધી સિંગલ શોટમાં શૂટ થયેલી મિનિસિરિઝ આમ તો એકદમ બોરિંગ છે અને એકદમ સ્લો છે પણ જો તેને તમે એક ટીનેજરની લાઇફ આસપાસની ડોક્યુમેન્ટ્રી તરીકે જુઓ તો આ સિરીઝમાં ઘણો રસ પડશે. આ સિરીઝ શરૂ થાય ત્યારે એવું લાગે કે સસ્પેન્સ થ્રિલર છે પણ હકીકતમાં આ સિરીઝમાં આપણે જે નોર્મલ જોઈએ છીએ એવી ઘટના અંગેનું સસ્પેન્સ છે જ નહી પરતું આ ઘટનાનો જન્મ કેવી રીતે થયો તેના તાણાવાણા પર જ ચાર એપિસોડ ચાલે છે. ઘટનાના મૂળ સુધી જવામાં ટીનેજરના મનોવૈજ્ઞાનિક આવેશો, સોશિયલ મીડિયા, સ્કૂલ કલ્ચર, પોર્નોગ્રાફી આ બધું પેરેન્ટિંગ પર કઈ રીતે પાણી ફેરવે છે તેના પડ ધીમે ધીમે ખુલે છે. આગળ નાના મોટા સ્પોઇલર છે પણ તેનાથી સિરીઝ જોવામાં કોઈ ખાસ અસર નહી પહોંચે, જો તમે સિરીઝને ડોક્યુમેન્ટ્રી તરીકે લેવાના હો તો. સિરીઝનું નામ ભલે એડોલ્શન્સ હોય પણ ખરેખર તો આજે વાત આ ટીનેજરની નહીં પણ તેના એડલ્ટ પિતાની કરવા...

દવાઓ બેફામ: વરદાન કે અભિશાપ?

હોસ્પિટલ ફાર્માસિસ્ટ તરીકે નોકરી કરવી એ શરૂઆતના દિવસોમાં ખૂબ જ ધીરજ માંગી લે એવું કામ હતું.  કેમ? કારણ કે જે પણ એકેડેમિક નોલેજને બસ ઇમ્પ્લીમેન્ટ કરવાની તૈયારી કરતો હતો એ જ એકેડેમિક અહીં પેંડેમીક બનીને ઉભું હતું. આ પેંડેમીક એટલે દવાઓનો બેફામ ઉપયોગ. ના માત્ર એન્ટિબાયોટિકસ જ નહીં પણ સ્ટીરોઇડ્સ, પેઈન કિલર, એન્ટાસિડ દરેકનો આ જ હાલ હતો અને છે. એવું નથી કે આવું ફક્ત ગ્રામ્ય કક્ષાએ જ છે. મોટા શહેરોમાં પણ ઝડપથી સાજા થવાની લ્હાયમાં આવા દવાઓના બેફામવેડા ચાલુ જ છે. એલોપેથી દવાઓ ઝડપથી રાહત કરવા માટે પ્રખ્યાત છે પણ હવે લોકોની ધીરજ અને સહનશક્તિ એટલી હદે જવાબ દઈ ચુકી છે કે આ એલોપેથીની ઝડપ પણ તેને હવે ઓછી લાગે છે. આવા સમયમાં આયુર્વેદ થેરાપીની તો વાત જ કેમ કરવી? આયુર્વેદ ધીમી સારવાર માટે ભલે જાણીતું હોય પરંતુ તેની દરેક સારવારના પરિણામ ધીમા જ મળે એવું જરૂરી નથી હોતું. પણ આમ છતાં આયુર્વેદનો ચાર્મ હાલ તો એલોપેથી ની સાપેક્ષે ખૂબ જ પાછળ છે. વળી, મહેરબાની કરીને કોઈ હોમીઓપેથી, નેચરોપેથી કે યુનાની જેવી પધ્ધતિઓ ની તો વાત જ ન કરતા. એ તો હજુ લોકપ્રિયતાની એરણ પર જોજનો દૂર છે. અહીં વાત અસરકારકતાની નહ...

એક દિવસનો યોગ કેમ ભગાડે રોગ?

21 જૂનના રોજ આપણે યોગદિવસ મનાવી લીધો. આમ જોઈએ તો યોગાસન દિવસ મનાવી લીધો. યોગને વિશ્વ સ્તરે લાવનાર આપણે એ જ ભૂલી ગયા કે યોગ એટલે ફક્ત યોગાસન જ નહીં. યોગ આઠ અંગોનું બનેલું છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, આહાર, પ્રત્યાહાર, ધ્યાન, સમાધિ.  યોગ એ 21 જૂનના દિવસનો ટ્રેન્ડિંગ ટોપિક છે એથી વિશેષ કંઈ નથી એવું મને લાગે છે. એવું નથી કે રોજ યોગ, કસરત કે મેડિટેશન કરનારા નથી. કરે જ છે ઘણા લોકો પરતું આ દિવસે જો તમે કોઈ વિચિત્ર આસન કરેલ ફોટો સોશિયલ મીડિયા પર ન મૂકો તો તમે યોગી નથી. વિશ્વ યોગ દિવસની નિંદા કરવાનો મારો કોઈ ઉદ્દેશ નથી. વળી કેટલાક કહેશે કે દરેક દિવસ તો વર્ષે એક વાર જ ઉજવાતો હોય છે. એમાં વળી નવું શું છે? શું દિવાળીના ફટાકડા આખું વર્ષ ફોડી શકાય? શું પિચકારી લઈને આખું વર્ષ ધૂળેટી રમવાની તાકાત છે? શું આખું વર્ષ આપણે પતંગ ચગાવીને ઉતરાયણ મનાવીએ છીએ? બસ એમ જ યોગ દિવસ એક જ દિવસ મનાવવાનો હોય. વાત પૂરી. તહેવારો અને ઉત્સવો આપણા જીવનને રંગીન બનાવે છે. પણ યોગ દિવસ એ કોઈ તહેવાર કે ઉત્સવ નથી. યોગ દિવસ એ દર વર્ષે આવતું એક રીમાઇન્ડર છે. યોગ એ જીવન જીવવા માટેનું એક મેઇન્ટેનેન્સ મેન્યુઅલ છે. યોગના આઠ...

વાર્તા રે વાર્તા: એક જંગલ હતું.

  એક જંગલ હતું. રાજા તો સિંહ જ હોય. જંગલમાં બધા પ્રાણીઓ રાજા ના ગુણગાન કરતા કારણ કે તેને ખબર હતી કે જેટલા ગુણગાન કરીશું તેટલા રાજાના શિકાર બનવાથી બચી શકાય એમ છે. સિંહને પણ શિકારની સાથે સાથે જંગલના પ્રાણીઓના સાથની જરૂર હતી જેથી કરીને એ બીજા જંગલના રાજા વાઘ તથા નદીઓના રાજા મગરમચ્છ પાસે પોતાના જંગલના સુખી સામ્રાજ્યની મોટી મોટી વાતો કરી શકે.  પરંતુ આમ કરતા કરતા તેને લાગ્યું કે હું ખુલ્લેઆમ પ્રાણીઓનો શિકાર નહિ કરી શકું, નહિ તો સિંહની ઈમેજ બગડી શકે છે જંગલમાં. એટલે તેણે જંગલના ઝરખ ને બોલાવ્યું. ઝરખને ઑફર કરી કે આમ પણ તું વધેલો શિકાર જ ખાઈને ગુજરાન ચલાવે છે, જાતે તો સારો શિકાર કરી શકતો નથી. તેના કરતાં સારું છે કે તું દરરોજ નિયમતપણે મારી પાસે એક પ્રાણીને લઈ આવ, હું ખાઈ લઉં પછી બાકી વધે એ તમારું અને તમારે ક્યાંય દરરોજ એઠવાડ માટે આંટા પણ મારવા ન પડે. ઝરખ તો તેની ટીમ  સાથે સહમત થઈ ગયું. ઝરખ ક્યારેક સસલાંને તો ક્યારેક ગાય, ભેંસને તો ક્યારેક કૂતરા કે હરણાંને વાતોમાં પરોવીને કોઈને ખબર ના પડે એવી રીતે છુપી રીતે સિંહની ગુફામાં લઈ જાય. પછી જેવી સિંહ પોતાની મિજબાની પુરી કરે એટલે વધેલું ઝરખ...

પાબ્લો એસ્કોબાર એટલે દસ માથા વાળો રાવણ

વેબ સિરીઝ: નાર્કોસ  કેરેક્ટર: પાબ્લો એસ્કોબાર  નાર્કોસ સિરીઝ જોઈ હોય તો નીચેના શબ્દો સાથે વધુ તાદાત્મ્ય સાધી શકશો પણ જો ના જોઈ હોય તો કોઈ ચિંતા નથી, એવા પણ કોઈ ખાસ સ્પોઇલર નથી લખ્યા કે જે તમારી સિરીઝ જોવાની મજા બગાડે. સો પ્લીઝ કન્ટીન્યુ. નાર્કોસની વેબ સિરિઝોમાં પાબ્લોનું જે રીતે ચરિત્ર ચિત્રણ કરવામાં આવ્યું છે એ જોઈને ઉપરનું ટાઈટલનું વાક્ય તરત જ મારા મગજમાં ગુંજે. બાયોપિક હોય એટલે જરૂરી નથી કે બેઠેબેઠી જિંદગી ચિતરેલી હોય, પણ હા જે પણ સાહિત્ય કે મીડિયામાં ઉપલબ્ધ ઇતિહાસ હોય એ તમામનો નિચોડ કાઢીને તેને સ્ટોરીલાઈનમાં ફીટ કરીને પરોસેલું હોય. એટલે કે કેટલીક વાતો સ્ત્રીઓની ઓટલા પરિષદની જેમ કે'તો 'તો 'ને કે'તી 'તી ની જેમ મસાલેદાર બનાવેલી હોઈ શકે. આ બાબતને નજરઅંદાજ કરીને ફક્ત આ સિરીઝમાં દેખાતા પાબ્લોની વાત કરવી છે પાબ્લોની જિંદગી જોઈને દાઉદ પણ તેની પાસે નાનું બચ્ચું લાગે, એવી ભાયાનક ક્રુર અને છતાં પણ ક્યારેક દયા આવે એવું વ્યક્તિત્વ છે. જ્યારે જ્યારે એ ડ્રગ્સની સાથે સાથે હિંસા અને રાજકારણમાં અરાજકતા સર્જે છે ત્યારે ત્યારે એ દસ માથા વાળો રાવણ જ લાગે. પણ જ્યારે જ્યારે તેના ...