Skip to main content

કોવિશિલ્ડ વેક્સિનનો બીજો ડોઝ 28 દિવસે લઉં કે 42 દિવસે?


"વેક્સિનનો બીજો ડોઝ 28 દિવસે લઉં તો શું વાંધો?"

 

અત્યાર સુધીમાં ગયા મહિને પ્રથમ ડોઝ લીધેલા ઘણાં લોકોના અત્યારે 28 દિવસ પુરા થઈ ગયા છે કે થવા આવ્યા છે. ત્યારે બધાના મનમાં ફરીથી એક નવી ગૂંચવળ ઉભી થઇ છે કે હવે બીજા ડોઝનું અંતર પંદર દિવસ મોડું કરવાનું કારણ શું? શું સરકાર પાસે પૂરતી રસી નથી એટલે આવા પોતાના નિયમો લાવી રહી છે? હું જો બીજો ડોઝ મોડો લઇશ તો પહેલાં મને કોરોના થઈ જશે તો? આવા પ્રશ્નો સાથે વેક્સિનેશન સેન્ટર પર આવતા લોકો અવઢવમાં તો હોય છે પણ સાથે થોડો ગુસ્સો અને વિશ્વાસ પણ ડગેલો જોવા મળે છે.

 

સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ કોવેક્સિનનો બીજો ડોઝ હજુ 28 દિવસના અંતરે છે( અને તેની પણ ભવિષ્યમાં દોઢ થી ત્રણ મહિને થવાની પુરી શક્યતા છે) અને કોવિશિલ્ડનો બીજો ડોઝ ફેરફાર કરીને 42 થી 56 દિવસના અંતરે આપવાનું નક્કી થયું છે. વાતનો પ્રસાર પ્રચાર છાપાઓમાં અને ટીવીના સમાચારોમા થયો છે પરંતુ આમ છતાં કેટલાક લોકોના પ્રથમ ડોઝ લેતી વખતે નોંધેલા મોબાઈલ નંબર પર 27 માં દિવસે એક મેસેજ આવે છે જેમાં તમારે આવતીકાલે વેક્સિન લેવાનું છે તેનું રિમાઇન્ડર હોય છે જે સરકારશ્રીના કોવિન પોર્ટલ પરથી ઓટો જનરેટ થતો હોય છે. મેસેજ વાંચીને ખાસ કરીને ગામડામાં લોકો વેક્સિનેશન સેન્ટર પર આવીને કડાકૂટ કરતા હોય છે. તેમનો ગુસ્સો પણ સ્વાભાવિક છે. કારણ કે તેમને પહેલા ડોઝ વખતે કહેવાયું હતું કે હવે પછીનો ડોઝ તમારે 28 માં દિવસે લેવાનો છે. બીજીબાજુ આરોગ્ય કર્મચારીઓ પણ તેમને સમજાવતા હોય છે કે તમે નવી ગાઈડલાઈન પ્રમાણે ડોઝ લો તો લોકો પાસેથી દલીલ આવે છે કે તમે આરોગ્યવાળાઓએ તો બધાએ 28 દિવસે લઈ લીધો.   સામે પક્ષે હવે 'થાકેલો' આરોગ્ય કર્મી વધુ માથાકૂટ ના કરતા ડોઝ આપી દેશે અને પછી શરૂ થશે મારી તારી... 'તમે છગનભાઇ ને તો 28 દિવસે આપી દીધો મને કેમ 42 દિવસે કહો છો?'

 

અહીં મુખ્ય બે કારણો છે ગૂંચવણના.. એક તો પોર્ટલની ટેક્નિકલ ખામી અને બીજી દલીલ કરવા માત્ર પણ હવે જેની પાસે શક્તિ નથી રહી એવા માનસિક રીતે થાકેલા આરોગ્ય કર્મચારીઓની લોકોને ગળે વાત ઉતારી શકવાની મજબૂરી.

 

વેક્સિન હજુ પ્રથમ વર્ષગાંઠ પણ નથી આવી એટલી નાની છે મતલબ કે હજુ સમય જતાં તેમાં રિસર્ચના પરિણામે નવી નવી શક્યતાઓ ખુલશે અને વેક્સિન પાસેથી મહત્તમ આઉટપુટ કઈ રીતે મળે તમામ પરિબળોને ધ્યાને લઈને ચકાસણી સતત ચાલુ રહેશે. સંશોધનની પ્રક્રિયા ક્યારેય અટકતી નથી. દસ વર્ષ પહેલા જો નોકિયા 1100 ના ફોન પર દુનિયા અટકી ગઈ હોત તો આજે તમારા હાથમાં સ્માર્ટફોન હોત. સતત પરિવર્તન આપણને દુનિયા પર ટકી રહેવા માટે સક્ષમ બનાવે છે. કોવિશિલ્ડ વેક્સિન બાબતે પણ આવું છે. ટૂંકા સમયમાં જેટલું પણ આપણે જાણી શક્યા તેને તાત્કાલિક અમલમાં મૂકવું પડે એવી ભયાવહ પરિસ્થિતિ છે. એટલે 28 દિવસના પરીક્ષણો બાદ જે પ્રયાસો થયાં તેને અમલી બનાવી આગળ નવા પ્રયાસો શરૂ રહ્યા અને તેના તારણો એવા આવ્યા કે 42 દિવસથી 56 દિવસે બીજો બુસ્ટર ડોઝ લેવાથી વેક્સિનની કાર્યક્ષમતા 90 ટકા જેટલી વધી જાય છે જે 28 દિવસે મહત્તમ 70 ટકા જેટલી મળતી હતી. જો કે તેનો મતલબ એવો જરાય નથી કે 28 દિવસે લેવા વાળાને પ્રોટેક્શન નહિ મળે. તેને પણ મળશે પણ તેની સાપેક્ષે દોઢ થી બે મહિને વધુ સારા પરિણામો મળે છે. વાત સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા ના વડા અદાર પુનાવાલાએ જાહેર કરી છે. બસ વાત સમજી જશો તો ખોટી દલીલો કરીને તમે કોરોના વોરિયર્સ સાથે ઘર્ષણમાં નહિ ઉતરો.

 

કોરોનાની લહેરથી ડરીને કેટલાક લોકો કે જે ગઈકાલ સુધી વેક્સિનને પાણી કહીને હસી કાઢતાં હતા પણ લાઈનમાં ઉભા રહી ગયા છે. લોકો એવું સમજે છે કે એક સોય ખાઈને આપણે રાજા થઈ જશું. આવી માનસિકતાએ કોરોનાને છૂટો દોર આપ્યો છે. વેક્સિન લીધા બાદ પણ કોરોના થઈ શકે છે પણ તેની તીવ્રતાથી બચી શકાય છે. પણ વેક્સિનને તમે કોઈ પણ રીતે લાગવગ લગાવીને કે પૈસા આપીને પણ મજબુર નહિ કરી શકો કે બે દિવસમાં તમને પ્રોટેક્શન આપતી થઈ જાય. પોતાનો સમય લઈને કામ કરશે. રહી વાત વેક્સિનની તંગીની તો અત્યારે હાલની તારીખ સુધી એવી કોઈ તંગી જણાતી નથી એટલે એવી ખોટી અફવાઓ ફેલાવવી નહિ કે પોલિટિકલ માઇલેજ આપવું નહિ. જો સરકારશ્રી નક્કી કરેલ વયજુથ મુજબ લોકો ધીરજ રાખશે તો બધું સમુસુતરુ પાર પડશે. પણ હાલમાં બહાર આવેલા કેટલાક કિસ્સાઓ મુજબ જો ફ્રન્ટ લાઇન વર્કરના નામે આડેધડ વેક્સિન લઈને સ્વાર્થી થઈશું તો આપણે ભોગવશું. કોરોના કાંઈ અમથો પાછો નથી વળ્યો. પોતાના સ્વાર્થી માનસમાંથી બહાર આવીને આપણે આપણા આસપાસના લોકોનો પણ વિચાર કરતા શીખશું તો આમાંથી બહાર નીકળી શકીશું નહિ તો અંદર ને અંદર ખૂંપતા જઈશું.

 

સુપર ઓવર: વેક્સિનને પાણી ગણાવતા કેટલાક બુદ્ધિજીવીઓને પણ કોરોનાની બીજી લહેરે મોં છુપાવીને વેક્સિનેશનની લાઇનમાં ઉભા કરી દીધા છે.


Comments

  1. Replies
    1. Thank you for going through whole article 🙏

      Delete
  2. Informative note 📝 good job brother 👍🏻👍🏻👌🏼

    ReplyDelete
  3. Informative note 📝 good job brother 👍🏻👍🏻👌🏼

    ReplyDelete
  4. ખૂબ સુંદર વાસ્તવિક વર્ણન

    ReplyDelete
  5. Very well explained... Nice job bhai

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

દવાઓ બેફામ: વરદાન કે અભિશાપ?

હોસ્પિટલ ફાર્માસિસ્ટ તરીકે નોકરી કરવી એ શરૂઆતના દિવસોમાં ખૂબ જ ધીરજ માંગી લે એવું કામ હતું.  કેમ? કારણ કે જે પણ એકેડેમિક નોલેજને બસ ઇમ્પ્લીમેન્ટ કરવાની તૈયારી કરતો હતો એ જ એકેડેમિક અહીં પેંડેમીક બનીને ઉભું હતું. આ પેંડેમીક એટલે દવાઓનો બેફામ ઉપયોગ. ના માત્ર એન્ટિબાયોટિકસ જ નહીં પણ સ્ટીરોઇડ્સ, પેઈન કિલર, એન્ટાસિડ દરેકનો આ જ હાલ હતો અને છે. એવું નથી કે આવું ફક્ત ગ્રામ્ય કક્ષાએ જ છે. મોટા શહેરોમાં પણ ઝડપથી સાજા થવાની લ્હાયમાં આવા દવાઓના બેફામવેડા ચાલુ જ છે. એલોપેથી દવાઓ ઝડપથી રાહત કરવા માટે પ્રખ્યાત છે પણ હવે લોકોની ધીરજ અને સહનશક્તિ એટલી હદે જવાબ દઈ ચુકી છે કે આ એલોપેથીની ઝડપ પણ તેને હવે ઓછી લાગે છે. આવા સમયમાં આયુર્વેદ થેરાપીની તો વાત જ કેમ કરવી? આયુર્વેદ ધીમી સારવાર માટે ભલે જાણીતું હોય પરંતુ તેની દરેક સારવારના પરિણામ ધીમા જ મળે એવું જરૂરી નથી હોતું. પણ આમ છતાં આયુર્વેદનો ચાર્મ હાલ તો એલોપેથી ની સાપેક્ષે ખૂબ જ પાછળ છે. વળી, મહેરબાની કરીને કોઈ હોમીઓપેથી, નેચરોપેથી કે યુનાની જેવી પધ્ધતિઓ ની તો વાત જ ન કરતા. એ તો હજુ લોકપ્રિયતાની એરણ પર જોજનો દૂર છે. અહીં વાત અસરકારકતાની નહ...

સાયનોકોબાલની મોટી બબાલ: અથ શ્રી વિટામિન B12 કથા

  "તમારામાં વિટામિન B12ની ખામી છે, દવાનો કોર્સ કરવો પડશે." આવી વાતો આજકાલ કોમન થઈ ગઈ છે. તેનાથી પણ વધુ પ્રચલિત થયા છે એકાંતરા વાળા વિટામિન B12ના ઇન્જેક્શન. વળી હવે તો આ ઇન્જેક્ટેબલ સારવાર પણ OTC (ઓવર ધ કાઉન્ટર) બનતી જાય છે. એટલે જ્યારે પણ ભળતાં લક્ષણો જોવા મળે તો લગાઓ B12. વિટામિન D પછી સૌથી વધુ કોઈ વિટામીનની ખામી માણસોમાં જોવા મળે છે તો એ છે વિટામિન B12 જેને સાયનોકોબાલામાઈન ના હુલામણાં નામથી પણ બોલાવામાં આવે છે. 🤔 પણ આ B12 શા માટે આટલું જરૂરી છે? તેના વગર ચાલે એમ નથી? એવું તો શું કામ કરે છે આ VIP વિટામિન?  વિટામિન B12 એ આપણા DNA એટલે કે આપણો પાયો બાંધવામાં સૌથી મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત આપણા RBC એટલે કે રક્તકણોનું નિર્માણ થવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે. શરીરમાં એનર્જી પ્રોડ્યુસ કરતી કેટલીક ક્રિયાઓમાં જરૂરી ઘણા બધા ઉદ્દીપક (enzymes) ના બનવા માટે પણ આપણું લાડકવાયું વિટામિન B12 જ ભાગ ભજવે છે. ચેતાતંતુઓમાં પણ સંવેદનાના વહન માટે B12 જ મેઇન્ટેનન્સ પાર્ટનર તરીકે કામ કરે છે. મગજ જેવા મૂળભૂત અંગોનું સારી રીતે સંચાલન કરવા બદલ પણ હે વિટામિન B12! આપનો ખૂબ ખૂબ આભાર. 😱 ...

એડોલ્શન્સ: ટીનેજર સ્ટોરી કે પેરેન્ટિંગ ડોક્યુમેન્ટ્રી!?

                         વેબસિરિઝ: એડોલ્શન્સ             કેરેકટર: એડવર્ડ મિલર અને લ્યુક બેસકોમ્બ ચાર એપિસોડ વાળી અને દરેક એપિસોડ શરૂઆતથી અંત સુધી સિંગલ શોટમાં શૂટ થયેલી મિનિસિરિઝ આમ તો એકદમ બોરિંગ છે અને એકદમ સ્લો છે પણ જો તેને તમે એક ટીનેજરની લાઇફ આસપાસની ડોક્યુમેન્ટ્રી તરીકે જુઓ તો આ સિરીઝમાં ઘણો રસ પડશે. આ સિરીઝ શરૂ થાય ત્યારે એવું લાગે કે સસ્પેન્સ થ્રિલર છે પણ હકીકતમાં આ સિરીઝમાં આપણે જે નોર્મલ જોઈએ છીએ એવી ઘટના અંગેનું સસ્પેન્સ છે જ નહી પરતું આ ઘટનાનો જન્મ કેવી રીતે થયો તેના તાણાવાણા પર જ ચાર એપિસોડ ચાલે છે. ઘટનાના મૂળ સુધી જવામાં ટીનેજરના મનોવૈજ્ઞાનિક આવેશો, સોશિયલ મીડિયા, સ્કૂલ કલ્ચર, પોર્નોગ્રાફી આ બધું પેરેન્ટિંગ પર કઈ રીતે પાણી ફેરવે છે તેના પડ ધીમે ધીમે ખુલે છે. આગળ નાના મોટા સ્પોઇલર છે પણ તેનાથી સિરીઝ જોવામાં કોઈ ખાસ અસર નહી પહોંચે, જો તમે સિરીઝને ડોક્યુમેન્ટ્રી તરીકે લેવાના હો તો. સિરીઝનું નામ ભલે એડોલ્શન્સ હોય પણ ખરેખર તો આજે વાત આ ટીનેજરની નહીં પણ તેના એડલ્ટ પિતાની કરવા...

ફાસ્ટ ફૂડ એટલે મેન્ટલ હેલ્થનું બ્લાસ્ટ ફૂડ

જીભનું પ્રિયતમ પણ જીવ માટે યમ એવા તસતસતા જંક ફૂડ કે ફાસ્ટ ફૂડ દ્વારા થતી આપણા શરીરની ખાનાખરાબી તો આપણે જાણીએ જ છીએ અને આંખ આડા કાન કરીને આ જંક ફૂડને આટલું નુકશાનકર્તા હોવા છતાં આપણા શરીર રૂપી ઘરના પાટલે બેસાડીએ છીએ. એમાં શું નવું છે? સિગારેટ તમાકુ કદાચ આ જંક ફૂડથી વધુ ઘાતક હોવા છતાં આપણે તેને આટલી નવાબીથી નથી નવાજતા જેટલું આપણે જંક ફુડને વ્હાલ આપીએ છીએ! જંક ફુડ નુકશાનકારક છે એ બધાને ખબર જ છે એટલે અહીં કોઈ સિક્રેટ શેર કરવાનો નથી. પણ હા કેવી રીતે નુકશાન કરે છે એ કદાચ તમને કહીશ તો આશ્ચર્ય થશે! જીભ માટે તસતસતું ભોજન પેટ માટે કેટલું અઘરું બને છે એ તો ખબર છે પણ આ જીભનો ચટાકો પેટને તો પકડે જ છે પણ સાથે સાથે આપણું મગજ પણ જકડે છે. સિંથેટિક કલર્સ અને મસાલાથી ભરપૂર જંક મિસાઈલ જ્યારે પેટમાં પડે છે ત્યારે ત્યાં તો નુકશાન થવાનું જ છે પણ સાથે સાથે આપણા મેન્ટલ હેલ્થને પણ કોલેટરલ ડેમેજ કરતું જાય છે! મેન્ટલ હેલ્થના ચાર કોલેટરલ ડેમેજનું એસેસમેન્ટ કરી લઈએ. 😵‍💫એડિક્શન પહેલા તો ખાલી દારૂ તમાકુ ને જ વ્યસન ગણવામાં આવતું. પછી જમાનો ડિજિટલ થયો એટલે નેવુંના દશકમાં ટીવીના વ્યસનીઓ થઇ ગયા. ત્યારે એમ લ...

એક દિવસનો યોગ કેમ ભગાડે રોગ?

21 જૂનના રોજ આપણે યોગદિવસ મનાવી લીધો. આમ જોઈએ તો યોગાસન દિવસ મનાવી લીધો. યોગને વિશ્વ સ્તરે લાવનાર આપણે એ જ ભૂલી ગયા કે યોગ એટલે ફક્ત યોગાસન જ નહીં. યોગ આઠ અંગોનું બનેલું છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, આહાર, પ્રત્યાહાર, ધ્યાન, સમાધિ.  યોગ એ 21 જૂનના દિવસનો ટ્રેન્ડિંગ ટોપિક છે એથી વિશેષ કંઈ નથી એવું મને લાગે છે. એવું નથી કે રોજ યોગ, કસરત કે મેડિટેશન કરનારા નથી. કરે જ છે ઘણા લોકો પરતું આ દિવસે જો તમે કોઈ વિચિત્ર આસન કરેલ ફોટો સોશિયલ મીડિયા પર ન મૂકો તો તમે યોગી નથી. વિશ્વ યોગ દિવસની નિંદા કરવાનો મારો કોઈ ઉદ્દેશ નથી. વળી કેટલાક કહેશે કે દરેક દિવસ તો વર્ષે એક વાર જ ઉજવાતો હોય છે. એમાં વળી નવું શું છે? શું દિવાળીના ફટાકડા આખું વર્ષ ફોડી શકાય? શું પિચકારી લઈને આખું વર્ષ ધૂળેટી રમવાની તાકાત છે? શું આખું વર્ષ આપણે પતંગ ચગાવીને ઉતરાયણ મનાવીએ છીએ? બસ એમ જ યોગ દિવસ એક જ દિવસ મનાવવાનો હોય. વાત પૂરી. તહેવારો અને ઉત્સવો આપણા જીવનને રંગીન બનાવે છે. પણ યોગ દિવસ એ કોઈ તહેવાર કે ઉત્સવ નથી. યોગ દિવસ એ દર વર્ષે આવતું એક રીમાઇન્ડર છે. યોગ એ જીવન જીવવા માટેનું એક મેઇન્ટેનેન્સ મેન્યુઅલ છે. યોગના આઠ...

પાબ્લો એસ્કોબાર એટલે દસ માથા વાળો રાવણ

વેબ સિરીઝ: નાર્કોસ  કેરેક્ટર: પાબ્લો એસ્કોબાર  નાર્કોસ સિરીઝ જોઈ હોય તો નીચેના શબ્દો સાથે વધુ તાદાત્મ્ય સાધી શકશો પણ જો ના જોઈ હોય તો કોઈ ચિંતા નથી, એવા પણ કોઈ ખાસ સ્પોઇલર નથી લખ્યા કે જે તમારી સિરીઝ જોવાની મજા બગાડે. સો પ્લીઝ કન્ટીન્યુ. નાર્કોસની વેબ સિરિઝોમાં પાબ્લોનું જે રીતે ચરિત્ર ચિત્રણ કરવામાં આવ્યું છે એ જોઈને ઉપરનું ટાઈટલનું વાક્ય તરત જ મારા મગજમાં ગુંજે. બાયોપિક હોય એટલે જરૂરી નથી કે બેઠેબેઠી જિંદગી ચિતરેલી હોય, પણ હા જે પણ સાહિત્ય કે મીડિયામાં ઉપલબ્ધ ઇતિહાસ હોય એ તમામનો નિચોડ કાઢીને તેને સ્ટોરીલાઈનમાં ફીટ કરીને પરોસેલું હોય. એટલે કે કેટલીક વાતો સ્ત્રીઓની ઓટલા પરિષદની જેમ કે'તો 'તો 'ને કે'તી 'તી ની જેમ મસાલેદાર બનાવેલી હોઈ શકે. આ બાબતને નજરઅંદાજ કરીને ફક્ત આ સિરીઝમાં દેખાતા પાબ્લોની વાત કરવી છે પાબ્લોની જિંદગી જોઈને દાઉદ પણ તેની પાસે નાનું બચ્ચું લાગે, એવી ભાયાનક ક્રુર અને છતાં પણ ક્યારેક દયા આવે એવું વ્યક્તિત્વ છે. જ્યારે જ્યારે એ ડ્રગ્સની સાથે સાથે હિંસા અને રાજકારણમાં અરાજકતા સર્જે છે ત્યારે ત્યારે એ દસ માથા વાળો રાવણ જ લાગે. પણ જ્યારે જ્યારે તેના ...

એક અજાણી આફત: રીલની રામાયણ

રીલની દુનિયાની શરૂઆત મને યાદ છે ત્યાં સુધી ટિકટોક નામક ઝેરી જીવડાંથી થઈ. આ ટિકટોકિયું ભારતમાંથી કાયદેસર રીતે પ્રતિબંધિત થઈ ગયું પણ તેના ઝેરને બીજા તમામ સોશિયલ મીડિયામાં ઘોળતું ગયું. ફેસબુક થી લઈને ઇન્સ્ટા અને યુટ્યુબ સુધી પણ આ ટૂંકા વીડિયોનો ચેપ એવો ફેલાયો કે આપણે બધા આ બીમારી સાથે રાજીખુશી(?)થી જીવી રહ્યા છીએ. આ રીલનો રેલો આવ્યો કેમ? લાંબા લચક નવલકથા જેવા લાગતા વર્ણનો અને ઔપચારિક વાતોથી કંટાળેલી નવી જનરેશન હવે ફક્ત ટુ ધ પોઇન્ટ વાત કરવા અને સાંભળવા માંગે છે એ તો નક્કી. વધારાનો બકવાસ તેને ગમતો નથી અથવા તો 1.5x ની સ્પીડ પર આ લાંબુ લચક સ્કીપ થતું જાય છે. ચાલો રીલ બનાવવા વાળાને તો કંઈક મળતું હશે પણ આ રીલની રેલમછેલમ કરીને આખો દિવસ જોવાવાળાને વળી શું મળતું હશે?  ડોપામાઇન સ્પાઈક. જી, આ જ એ કેમિકલ લોચો છે જે તમારા ટેરવાને સ્ક્રીન પર દોડતો રાખે છે. હું તો કહું છું આ ચાલવાના સ્ટેપ્સ ગણવા વાળી એેપ્લિકેશન આવે એમ આપણો અંગૂઠો કે આંગળી આપણી સ્ક્રીન પર આખા દિવસમાં કેટલા કિલોમીટર દોડ્યા એનો કોઈ હિસાબ રાખી શકે એવી એપ આવવી જોઈએ. આવે છે? આવતી હોય તો નીચે કોઈક કમેન્ટ કરીને કે'જો.  રીલ...

વર્લ્ડ ફાર્મસી ઇન્ડિયા : કહીં નજર ના લગ જાયે

હજુ તો 2023નો પ્રથમ મહિનો પૂરો થવામાં પણ કેટલાક દિવસોની વાર હતી ત્યાં અમેરિકાથી સેન્ટર ફોર ડ્રગ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) દ્વારા ન્યુ યોર્ક ટાઈમ્સમાં એક ખબર પ્રકાશિત થઈ જેમાં Ezricare Artificial Tears નામના આંખના ટીપાંને પ્રાણઘાતક જાહેર કરવામાં આવ્યા. આ ટીપાંનો ઉપયોગ આમ તો હજારો લોકોએ કરેલો હશે પણ તેમાંથી 3 લોકોએ જીવ ગુમાવ્યા અને 8 લોકો કાયમી અંધાપાનો ભોગ બન્યા. બાકી ઘણા લોકોને નાની મોટી બીમારીઓ થઈ જેમાં ફેફસાંની બીમારીથી લઈને ઘા ન રૂઝાવા સુધીના અનેક પ્રશ્નો સામે આવ્યા. આ દવાને ભારતની તમિલનાડુમાં આવેલી ગ્લોબલ ફાર્મા હેલ્થકેર દ્વારા બનાવીને અમેરિકા એક્સપોર્ટ કરવામાં આવેલ અને ફરી એકવાર ભારતની ફાર્મા કંપની દુનિયાની શંકાશીલ નજરોમાં આવી ગઈ. આ Ezricare આંખના ટીપાં એટલે કાર્બોક્સી મિથાઇલ સેલ્યુલોઝ કે જે કૃત્રિમ આંસુ તરીકે વપરાય છે. નામની જેમ જ જ્યારે આંખ સૂકી લાગે અને ઇરિટેશન જેવું થાય ત્યારે આ ટીપાં આંખમાં 'ઓઈલિંગ' કરીને આંખનો ઘસારો અટકાવવાની સેવા બજાવે છે. તો આવી સેવા જીવલેણ કેમ બની? CDC અને USFDAનું જો કહેવું માનીએ તો આ આંખની દવાના બંધ સિલપેક વાયલમાંથી Pseudomonas aeruginosa ન...

વાર્તા રે વાર્તા: એક જંગલ હતું.

  એક જંગલ હતું. રાજા તો સિંહ જ હોય. જંગલમાં બધા પ્રાણીઓ રાજા ના ગુણગાન કરતા કારણ કે તેને ખબર હતી કે જેટલા ગુણગાન કરીશું તેટલા રાજાના શિકાર બનવાથી બચી શકાય એમ છે. સિંહને પણ શિકારની સાથે સાથે જંગલના પ્રાણીઓના સાથની જરૂર હતી જેથી કરીને એ બીજા જંગલના રાજા વાઘ તથા નદીઓના રાજા મગરમચ્છ પાસે પોતાના જંગલના સુખી સામ્રાજ્યની મોટી મોટી વાતો કરી શકે.  પરંતુ આમ કરતા કરતા તેને લાગ્યું કે હું ખુલ્લેઆમ પ્રાણીઓનો શિકાર નહિ કરી શકું, નહિ તો સિંહની ઈમેજ બગડી શકે છે જંગલમાં. એટલે તેણે જંગલના ઝરખ ને બોલાવ્યું. ઝરખને ઑફર કરી કે આમ પણ તું વધેલો શિકાર જ ખાઈને ગુજરાન ચલાવે છે, જાતે તો સારો શિકાર કરી શકતો નથી. તેના કરતાં સારું છે કે તું દરરોજ નિયમતપણે મારી પાસે એક પ્રાણીને લઈ આવ, હું ખાઈ લઉં પછી બાકી વધે એ તમારું અને તમારે ક્યાંય દરરોજ એઠવાડ માટે આંટા પણ મારવા ન પડે. ઝરખ તો તેની ટીમ  સાથે સહમત થઈ ગયું. ઝરખ ક્યારેક સસલાંને તો ક્યારેક ગાય, ભેંસને તો ક્યારેક કૂતરા કે હરણાંને વાતોમાં પરોવીને કોઈને ખબર ના પડે એવી રીતે છુપી રીતે સિંહની ગુફામાં લઈ જાય. પછી જેવી સિંહ પોતાની મિજબાની પુરી કરે એટલે વધેલું ઝરખ...

સુપરપાવર ન હોવાનો અફસોસ થયો છે ક્યારેય?

મોટાભાગના નેવુંના દશકમાં જન્મેલા અલ્લાદીન અને તેના ઝીનીના દીવાના હતા. તો વળી એકવીસમી સદીના પહેલા દશકમાં સ્પાઇડર મેન અને ક્રિશ જેવા સુપરહીરોના પગરવ થયા. ત્યારબાદ મારવેલ અને ડિસીએ એટલી ધૂમ મચાવી એમાં પણ મારવેલના એવેન્જર્સ તો મોટાભાગના યુવાનો અને ટીનેજર્સ માટે ફક્ત એક ફિકશન ન રહેતા હકીકતની નજીક બની ગયા. આ બધા વચ્ચે આપણે જે. કે. રોલિંગના હેરી પોટરને થોડો ભૂલી શકીએ? એવી એકાદ જાદુઈ લાકડી આપણા હાથમાં પણ હોય અને બે ત્રણ આડા અવળાં મંત્રો બોલીને આપણે પણ જાદુ કરી શકીએ તો કેવું! આ બધી ઈચ્છાઓ પણ ધીમે ધીમે ઉંમરની સાથે બદલાતી જાય. પહેલા જે વસ્તુ ફક્ત ટીવી કે સિનેમા માં જોઈને તેનાથી ઘડી વાર અંજાઈ જતા એ ધીમે ધીમે મનમાં ઘર કરવા માંડે. એવું લાગવા માંડે કે આમાંનું કોઈ એકાદ પાત્ર હું પણ હોઉં! પણ શા માટે? તમને ક્યા સમયે આવો વિચાર આવે છે? જ્યારે તમે તમારી આજુબાજુ અકળામણ અનુભવો, અન્યાય અનુભવો ત્યારે તરત જ તમને થાય કે આવી કોઈ તાકાત મારી પાસે હોત તો બધાને સીધા કરી દેત. જ્યારે કોઈ ચેનલ પર આંતકવાદીના હુમલા ના સમાચાર જોઈને તમારી અંદર રહેલો સુપરમેનનો અવતાર જાગી ઉઠે અને મનમાં જ એ આતંકવાદીઓને પોતાના આંખની લેઝરથી ભષ્મ...