Skip to main content

જાપાનના કાંઠે કોરોના કન્ટેનર બનીને ઊભેલું ડાયમંડ પ્રિન્સેસ ક્રુઝ


      

80 વર્ષના એક વૃદ્ધને ચાઇના ઉતાર્યા બાદ ડાયમંડ પ્રિન્સેસ ક્રુઝ આગળ વધી ગયું. ક્રુઝ ઉપર કોઈને સ્વપ્નેય ખ્યાલ નહીં હોય કે પોતાની સાથે 5 દિવસ સુધી મુસાફરી કરેલો એકદમ સ્વસ્થ લાગતો આ માણસ આખેઆખા ક્રુઝને જેલ બનાવી દેશે. ક્રુઝ જાપાનના રસ્તે વળ્યું અને 1 ફેબ્રુઆરી 2020 ના રોજ ક્રુઝ કંપનીને એક મેઈલ મળ્યો. આ મેઇલને અજાણતા કે જાણીજોઈને અવગણવામાં આવ્યો હોય તેમ છેક 3 ફેબ્રુઆરી 2020 ના રોજ ક્રુઝના તમામ યાત્રીઓને આ મેઈલથી અવગત કરવામાં આવ્યા. હવે કદાચ મામલો હાથમાંથી નીકળી રહ્યો હોય એવું લાગ્યું. ડોકટરોની ટીમ દ્વારા તથા ક્રુઝની ઓથોરિટી દ્વારા કદાચ ખૂબજ પ્રાયમરી કહી શકાય એવા પગલાં ન લેવાયા. અવગણેલા એ 48 કલાક આ ક્રુઝ પર જાણે યમરાજ બનીને ત્રાટકયા.

એ મેઈલ દ્વારા હોંગકોંગની  હેલ્થટીમ વતી ક્રુઝને જાણ કરવામાં આવી હતી કે આપના ક્રુઝ પર દિવસો વિતાવેલો માણસ અહીં ઉતરીને તરતજ કોરોના પોઝિટિવ આવ્યો છે. આ તકેદારીના પગલાં લેખે કે માનવતાના ધોરણે કરવામાં આવેલી જાણ કદાચ તેના હેતુ સુધી ના પહોંચી અથવા મોડી પહોંચી. પરિણામ એ આવ્યું કે આ જાણ બાદ ડાયમંડ પ્રિન્સેસ ક્રુઝ 2700 મુસાફરો અને 1000 ક્રૂ મેમ્બર્સ સાથે જાપાનના  યોકોહામા ના કાંઠે જેલ બનીને ઉભું રહી ગયું. 3 ફેબ્રુઆરીથી લોકોને કોરોનાની બીકે ગોંધી રાખવામાં આવ્યા. અત્યાર સુધીમાં 696 કોરોના પોઝિટિવ કેસ અને 7 મૃતઆંક સાથે આ ક્રુઝ જાણે એક સ્વતંત્ર કોરોના સંક્રમિત દેશની જેમ દુનિયાના નકશા પર ઉભરી રહ્યો છે.

3 ફેબ્રુઆરી 2020 પછી એક જ દિવસમાં 10 લોકો સર્વપ્રથમ કોરોના પોઝિટિવ બન્યા જેના પરિણામે જાપાનની હેલ્થ મિનિસ્ટ્રીએ 14 દિવસ માટે શિપને કિનારા પર જ ક્વોરોન્ટાઇન સ્ટેટમાં રાખવા આદેશ આપ્યો અને એ સાથે જ અંદરના બધા જ લોકો માટે કિનારા પર ઉતરવાની મનાઈ ફરમાવાઈ. 

જોકે હવે પુરી શિપને ક્વોરોન્ટાઈન કરવામાં પણ ઘણું મોડું થઈ ગયું હતું કારણ કે દરેક લોકો છેલ્લા 15 દિવસથી ક્રુઝ પર એક યા બીજી રીતે એકબીજાના સંપર્કમાં આવ્યા જ હતા. ઓપેરા, પાર્ટીઝ, સ્વિમિંગ પૂલ્સ અને એવી દરેક મનોરંજનની જગ્યા પર કોઈ જ પ્રતિબંધ શિપ પર હતો નહિ. 

ધીમે ધીમે જાપાનની હેલ્થ ફેસિલિટીએ બીજા  શંકાસ્પદ પેસેન્જર્સના પણ વારાફરતી ટેસ્ટ કર્યા અને જે લોકો પોઝિટિવ આવે તેને યોકોહામામાં નજીકની હેલ્થ ફેસિલિટીમાં ટ્રાન્સફર કરવામાં આવતા ગયા.

સ્પેન્સર નામના એક અમેરિકન ગ્રેજયુએટ વિદ્યાર્થીએ મીડિયા સાથે જે વાતચીત શેર કરી એ મુજબ તેણે ખૂબ જ અસંતોષ વ્યક્ત કર્યો. તેણે જણાવ્યું કે મારા પોતાના રિપોર્ટ માટે મારે બે દિવસ રાહ જોવી પડી હતી અને આ દરમિયાન હું ક્રુઝ પર જ હતો. આ સમય દરમિયાન હું ક્રુઝ પર જાહેર જગ્યાએ દરેક સાથે સંપર્કમાં હતો. તો આ સમયગાળા દરમિયાન કોઈને પણ ચેપ લાગી શકે. શિપ પર રહેલા દરેક લોકો એકદમ કન્ફ્યુઝડ હતા અને તેઓ પાસે કોઈ પણ પ્રકારની પ્રાયમરી ઇન્ફોર્મેશન પણ ન હતી કે કઈ રીતે પ્રિવેંટિવ એક્શન લઈ શકાય. એમ્બ્યુલન્સમાં પેસેન્જરને ટ્રાન્સફર કરતા બધા જોઈ રહ્યા હતા પણ કોઈને ફાઇનલ આંકડો જણાવાયો ન હતો. કેટલાક પેસેન્જર્સની ફરિયાદ એ પણ હતી કે અમારું સ્ક્રીનીંગ વ્યવસ્થિત કરાયું નથી. સરખી રીતે થર્મોમીટર મુકયા વગર અમારા ચેક અપ કરવામાં આવી રહ્યા હતા, જેનાથી કેટલાક લોકો ખરેખર અસંતૃષ્ટ હતા. 

11 ફેબ્રુઆરી 2020 ના રોજ એક ક્રૂ મેમ્બરે જણાવ્યું કે 1850 જેટલા લોકોને હાલમાં દવાની જરૂરિયાત છે અને શિપ પર હવે આટલા લાંબા ગાળા માટે દવાનો જથ્થો ટકી શકે એમ નથી. કેટલાક લોકોએ જાપાનના રાષ્ટ્રધ્વજ પર 'દવાની અછત' અને 'થેંક્યું મીડિયા' જેવા સૂત્રો લખીને કિનારા પર લહેરાવ્યા. 

એલન સ્ટીલ નામના એક મુસાફરે જણાવ્યુ કે અમને એક કેદી જેવો અનુભવ થઈ રહ્યો હતો જેને પોતાના ગુનાની જ ખબર ના હોય. ધીમે ધીમે પેસેન્જર્સ પોતાને મળતા ફૂડ થી લઈને માસ્ક સુધીના બધા જ ફોટા ટ્વીટર અને અન્ય સોશિઅલ મીડિયા દ્વારા વહેતા કરવા માંડ્યા. શરૂઆતના દિવસોમાં ખરેખર કોની ગફલત થઈ એ જવાબદારી નક્કી કરવામાં જાપાન સરકાર થાપ ખાઈ ગઈ. દરેક પેસેન્જર્સને એકબીજાથી મિનિમમ 6 ફુટ દૂર રહેવાની સૂચના આપાઈ હતી. કેટલાક બાયોએથીસ્ટ અને અન્ય એક્સપર્ટના મત મુજબ લોકોને ગોંધી રાખવા એ વધુ ભયજનક હતું. કારણ કે આખેઆખું શિપ પોતે એક કોરોના વાઇરસ ઈંક્યુબેટર તરીકે કામ કરી રહ્યું હતું. વાઇરસને એક લિમિટેડ જગ્યામાં ફેલાવા માટે વધુ લોકોની ગીચતા મળી રહી હતી. ટોરેંટો યુનિવર્સિટીના એપિડેમીઓલોજીના પ્રોફેસર ડેવિડ ફિશમેનના મતે આ શિપ એક વાઇરસ કન્ટેનર બની ગયું છે જેમાં લોકોને પણ સાથે રાખવામાં આવ્યા છે. કેલી હિલ્સ નામના બાયોએથીસ્ટના મતે ક્રૂઝની સપાટી વાઇરસના ચિપકવા માટે એકદમ અનુકૂળ છે. જે વાઇરસને આ શિપ પર જ જકડી રાખે છે. ઇન્ફેક્શન ડીસિઝ સ્પેસિયાલિસ્ટ કેન્ટારો ઈવાટાએ એક યુટ્યુબ વિડિયો દ્વારા શિપની પોલ ખોલી. જેમાં તેણે કહ્યું કે ઇન્ફેક્શન કંટ્રોલને લગતા કોઈ જ સ્ટાન્ડર્ડ આ ક્રુઝમાં જળવાતા નથી. ગ્રીન ઝોન અને રેડ ઝોન વચ્ચે કોઈ જ સ્પેસિફિક અંતર રાખવામાં આવ્યું નથી. આ શિપ પરના કેટલાક યાત્રીઓ કે જે ખરેખર કોરોના શંકાસ્પદ કે કોરોના પોઝિટિવ પણ નથી તેઓએ નારાજગી વ્યક્ત કરી કે તેમને શા માટે આટલા દિવસો સુધી કેદી બનાવવામાં આવી રહ્યા છે. કેટલાક લોકોને ક્રૂ મેમ્બર્સ તેના રૂમમાં જ સર્વ કરી રહયા હતા, પરંતુ દરેક માટે એક જ ગ્લોવ્ઝ પહેરીને આ કામ કરી રહ્યા હતા. વળી, આ લોકો આખા શિપની સેવા કરીને પોતે પાછા ભેગા મળીને જમતા હતા. સોનાલી ઠક્કર નામની એક ભારતીય ક્રુઝ વર્કરના જણાવ્યા મુજબ પ્રથમ સપ્તાહે નીકળેલા કોરોના પોઝિટિવ કેસોમાં 140 જેટલા તો ક્રૂ વર્કર્સ જ હતા.

જાપાનના ડીસીઝ કન્ટ્રોલ અને પ્રિવેંશન સેન્ટરના ડિરેક્ટર ડો. નોરીઓ ઓહમાગરીએ આ અંગે દુઃખ વ્યક્ત કર્યું. તેણે કહ્યું કે માનવાધિકાર અને અન્ય લોકોની નારાજગી છતાં આ કઠોર નિર્ણય લેવો એકદમ જરૂરી હતો અને એટલા માટે જ આ ક્રુઝને ત્યાં ક્વોરન્ટાઈન કરવામાં આવી છે. જ્યારે પોઝિટિવ આંકડો 200 ને પાર થયો ત્યારે કેટલાક લોકો ક્રુઝને જ પોતાનો અંતિમ પડાવ માની રહયા હતા. હવે એ લોકોને જમીન નસીબ થશે કે કેમ એ જ એક કોયડો બની ગયો હતો. આખરે 12 ફેબ્રુઆરી 2020 ના રોજ જાપાનની મિનિસ્ટ્રીએ એક નિર્ણય લીધો. 80 વર્ષથી ઉપરના લોકો પોતાનો ક્વોરોન્ટાઇન પિરિયડ જમીન પર તૈયાર કરવામાં આવેલ આઇસોલેશન સેન્ટરમાં પૂરો કરી શકે છે. વેલેન્ટાઈન ડે ના દિવસે જાપાનની મિનિસ્ટ્રીએ ક્રુઝ પર ફૂલોના ગુલદસ્તાઓ અને ચોકલેટ્સ પણ મોકલ્યા. તે ગમે તેમ કરીને લોકોના હમદર્દ બનવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. શિપ પરથી જમીન પર ટ્રાન્સફર કરાયેલા પોઝિટિવ કેસોમાંથી પ્રથમ મૃત્યુ 18 ફેબ્રુઆરી 2020 ના રોજ થયું. એક સાથે બે વ્યક્તિએ દમ તોડ્યો. તે પછી 5 દિવસના ગાળામાં બીજા 4 લોકોએ પણ દમ તોડ્યો. આ તમામ 6 મૃતકોમાંથી 5ની ઉંમર 70 વર્ષથી પણ વધારે હતી. પછીના અઠવાડિયામાં 240 ક્રૂ મેમ્બર્સને પણ ટ્રાન્સફર કરીને ટોક્યો શહેરની બહાર બનાવાયેલા ક્વોરોન્ટાઈન એરિયામાં બીજા 14 દિવસ માટે નજર કેદ કરવામાં આવ્યા. બહાર નીકળેલા બધા જ પેસેન્જરોમાંથી કેટલાય લોકો પોતાના ઘરે કે પોતાના દેશમાં પહોંચીને પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા. 

જાપાન સરકાર માટે ના ગળાય કે ના થૂંકાય એવી રીતે માથાનો દુખાવો બની ગયેલું આ શિપ હજુ ખાલી થાય એ પહેલા તો પ્રિન્સેસ કાર્નિવલ કંપનીનું જ બીજું એક ક્રુઝ આવી જ રીતે સાન્ફ્રાન્સિસ્કોના કાંઠે ક્વોરોન્ટાઈન થઈને તૈયાર પડ્યુ છે. ગ્રાન્ડ પ્રિન્સેસ નામના આ જહાજ પર પણ અત્યાર સુધીમાં 21 લોકો કોરોના પોઝિટિવ મળ્યા છે અને 45 લોકોના ટેસ્ટ રિઝલ્ટ હજુ આવવાના બાકી છે. ભગવાનની દયાથી હજુ કોઈ મૃત્યુ થયું નથી પરંતુ યોકોહામાના કાંઠે જે ટ્રેજેડી બની ગઈ તેના પરથી શીખીને તેવી જ ભુલોનું પુનરાવર્તન આ ક્રુઝ પર ના થાય એવી જ પ્રભુને પ્રાર્થના.
 

(નોંધ: આ લેખ ન્યુયોર્ક ટાઈમ્સ, બિઝનેશ ઇનસાઈડર, સીએનએન ન્યૂઝલેટર્સ, સાયન્સન્યુઝ તેમજ જાપાન ટાઈમ્સ જેવા પ્રતિષ્ઠિત મીડિયા નેટવર્કમાંથી સંકલિત કરેલ છે.)


સુપર ઓવર: કોરોના વાઇરસ માટે ન્યુયોર્કમાં એક કોંફરન્સ યોજાવાની હતી જે હવે કોરોનાને કારણે જ બંદ રહી છે.

Comments

Popular posts from this blog

સાયનોકોબાલની મોટી બબાલ: અથ શ્રી વિટામિન B12 કથા

  "તમારામાં વિટામિન B12ની ખામી છે, દવાનો કોર્સ કરવો પડશે." આવી વાતો આજકાલ કોમન થઈ ગઈ છે. તેનાથી પણ વધુ પ્રચલિત થયા છે એકાંતરા વાળા વિટામિન B12ના ઇન્જેક્શન. વળી હવે તો આ ઇન્જેક્ટેબલ સારવાર પણ OTC (ઓવર ધ કાઉન્ટર) બનતી જાય છે. એટલે જ્યારે પણ ભળતાં લક્ષણો જોવા મળે તો લગાઓ B12. વિટામિન D પછી સૌથી વધુ કોઈ વિટામીનની ખામી માણસોમાં જોવા મળે છે તો એ છે વિટામિન B12 જેને સાયનોકોબાલામાઈન ના હુલામણાં નામથી પણ બોલાવામાં આવે છે. 🤔 પણ આ B12 શા માટે આટલું જરૂરી છે? તેના વગર ચાલે એમ નથી? એવું તો શું કામ કરે છે આ VIP વિટામિન?  વિટામિન B12 એ આપણા DNA એટલે કે આપણો પાયો બાંધવામાં સૌથી મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત આપણા RBC એટલે કે રક્તકણોનું નિર્માણ થવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે. શરીરમાં એનર્જી પ્રોડ્યુસ કરતી કેટલીક ક્રિયાઓમાં જરૂરી ઘણા બધા ઉદ્દીપક (enzymes) ના બનવા માટે પણ આપણું લાડકવાયું વિટામિન B12 જ ભાગ ભજવે છે. ચેતાતંતુઓમાં પણ સંવેદનાના વહન માટે B12 જ મેઇન્ટેનન્સ પાર્ટનર તરીકે કામ કરે છે. મગજ જેવા મૂળભૂત અંગોનું સારી રીતે સંચાલન કરવા બદલ પણ હે વિટામિન B12! આપનો ખૂબ ખૂબ આભાર. 😱 ...

દવાઓ બેફામ: વરદાન કે અભિશાપ?

હોસ્પિટલ ફાર્માસિસ્ટ તરીકે નોકરી કરવી એ શરૂઆતના દિવસોમાં ખૂબ જ ધીરજ માંગી લે એવું કામ હતું.  કેમ? કારણ કે જે પણ એકેડેમિક નોલેજને બસ ઇમ્પ્લીમેન્ટ કરવાની તૈયારી કરતો હતો એ જ એકેડેમિક અહીં પેંડેમીક બનીને ઉભું હતું. આ પેંડેમીક એટલે દવાઓનો બેફામ ઉપયોગ. ના માત્ર એન્ટિબાયોટિકસ જ નહીં પણ સ્ટીરોઇડ્સ, પેઈન કિલર, એન્ટાસિડ દરેકનો આ જ હાલ હતો અને છે. એવું નથી કે આવું ફક્ત ગ્રામ્ય કક્ષાએ જ છે. મોટા શહેરોમાં પણ ઝડપથી સાજા થવાની લ્હાયમાં આવા દવાઓના બેફામવેડા ચાલુ જ છે. એલોપેથી દવાઓ ઝડપથી રાહત કરવા માટે પ્રખ્યાત છે પણ હવે લોકોની ધીરજ અને સહનશક્તિ એટલી હદે જવાબ દઈ ચુકી છે કે આ એલોપેથીની ઝડપ પણ તેને હવે ઓછી લાગે છે. આવા સમયમાં આયુર્વેદ થેરાપીની તો વાત જ કેમ કરવી? આયુર્વેદ ધીમી સારવાર માટે ભલે જાણીતું હોય પરંતુ તેની દરેક સારવારના પરિણામ ધીમા જ મળે એવું જરૂરી નથી હોતું. પણ આમ છતાં આયુર્વેદનો ચાર્મ હાલ તો એલોપેથી ની સાપેક્ષે ખૂબ જ પાછળ છે. વળી, મહેરબાની કરીને કોઈ હોમીઓપેથી, નેચરોપેથી કે યુનાની જેવી પધ્ધતિઓ ની તો વાત જ ન કરતા. એ તો હજુ લોકપ્રિયતાની એરણ પર જોજનો દૂર છે. અહીં વાત અસરકારકતાની નહ...

ફાસ્ટ ફૂડ એટલે મેન્ટલ હેલ્થનું બ્લાસ્ટ ફૂડ

જીભનું પ્રિયતમ પણ જીવ માટે યમ એવા તસતસતા જંક ફૂડ કે ફાસ્ટ ફૂડ દ્વારા થતી આપણા શરીરની ખાનાખરાબી તો આપણે જાણીએ જ છીએ અને આંખ આડા કાન કરીને આ જંક ફૂડને આટલું નુકશાનકર્તા હોવા છતાં આપણા શરીર રૂપી ઘરના પાટલે બેસાડીએ છીએ. એમાં શું નવું છે? સિગારેટ તમાકુ કદાચ આ જંક ફૂડથી વધુ ઘાતક હોવા છતાં આપણે તેને આટલી નવાબીથી નથી નવાજતા જેટલું આપણે જંક ફુડને વ્હાલ આપીએ છીએ! જંક ફુડ નુકશાનકારક છે એ બધાને ખબર જ છે એટલે અહીં કોઈ સિક્રેટ શેર કરવાનો નથી. પણ હા કેવી રીતે નુકશાન કરે છે એ કદાચ તમને કહીશ તો આશ્ચર્ય થશે! જીભ માટે તસતસતું ભોજન પેટ માટે કેટલું અઘરું બને છે એ તો ખબર છે પણ આ જીભનો ચટાકો પેટને તો પકડે જ છે પણ સાથે સાથે આપણું મગજ પણ જકડે છે. સિંથેટિક કલર્સ અને મસાલાથી ભરપૂર જંક મિસાઈલ જ્યારે પેટમાં પડે છે ત્યારે ત્યાં તો નુકશાન થવાનું જ છે પણ સાથે સાથે આપણા મેન્ટલ હેલ્થને પણ કોલેટરલ ડેમેજ કરતું જાય છે! મેન્ટલ હેલ્થના ચાર કોલેટરલ ડેમેજનું એસેસમેન્ટ કરી લઈએ. 😵‍💫એડિક્શન પહેલા તો ખાલી દારૂ તમાકુ ને જ વ્યસન ગણવામાં આવતું. પછી જમાનો ડિજિટલ થયો એટલે નેવુંના દશકમાં ટીવીના વ્યસનીઓ થઇ ગયા. ત્યારે એમ લ...

શું તમે પણ મોસ્કિટો મેગ્નેટ (Mosquito magnet) છો?

શું તમને એવું લાગે છે કે તમારી સાથે ઉઠતા બેસતા લોકો કરતા તમને વધુ મચ્છર કરડે છે? બીજા બધાને છોડીને આ મચ્છર મને જ કેમ વધુ વ્હાલ કરે છે એવું લાગ્યું છે ક્યારેય? આવો ભેદભાવ માણસ કરે એ તો સમજ્યા પણ આ નાનકડું મચ્છર આ ભેદભાવ કરવાનું ક્યાંથી શીખતું હશે?  પહેલાં તો એ ચોખવટ કરી લઈએ કે માણસને કરડવાવાળું આ મચ્છર નહીં પણ મચ્છરી (માદા મચ્છર) જ હોય છે. મારા ફેમિનિસ્ટ મિત્રોને કદાચ ખોટું લાગી શકે પણ હકીકતમાં માદા મચ્છરને જ માણસનું લોહી પીવાની જરૂરિયાત વધુ હોય છે! માદા મચ્છરને ઈંડા બનાવવા માટે પ્રોટીનની ભરપૂર જરૂર પડે છે. આ પ્રોટીન તે મનુષ્યના લોહીમાંથી મેળવે છે. તો તમને વળી એમ થશે કે પેલા નર મચ્છર કેમ જીવતાં હશે? નર મચ્છર વૃક્ષો અને છોડના ફૂલોની પરાગરજ અને ફૂલોના રસ પર આધાર રાખે છે. જેવી રીતે આખી નર મચ્છર જાત મનુષ્યને થતાં રોગો માટે જવાબદાર નથી એવી જ રીતે બિચારો એકલો ભમરો જ ફુલના રસ માટે ગુનેગાર નથી, કેટલાંક છીછરાં ફૂલોમાંથી આ નરબંકા મચ્છરો પણ રસપાન કરી લેતા હોય છે. જો કે આ પરાગરજ વાળી થાળી નર સાથે માદા મચ્છરોને પણ લાગુ પડે. જો કે મનુષ્યનું લોહી પીવાનો ઇજારો ખાલી મચ્છર બાયું પાસે જ છે....

કાન અને ખભા વચ્ચે દબાયેલા મોબાઈલ ફોનની આપવીતી

  ઓળખ્યો? હું તમારો સાવકો જીવનસાથી. સવારે ઊઠતાં અને રાત્રે સૂતા પહેલા મારા દર્શન અચૂક કરો છો પણ દિવસ દરમિયાન નર્યો અત્યાચાર કેમ કરો છો? આજની ડિજિટલ દુનિયામાં મારા વગર તમને નથી ચાલતું કે નથી ચાલવાનું એ નક્કી હોવા છતાં મારી સાથે સાવકો વ્યવહાર કેમ?  સવારે ઉઠીને તરત જ તમે જ્યારે મને આળસ મરડીને તમારી હથેળીમાં ધારણ કરો છો ત્યારે સાક્ષાત કરાગ્રે વસતા લક્ષ્મીજી, કરમુલે વસતા સરસ્વતીજી અને કરમધ્યે વસતા ગોવિંદને પણ મારી ઈર્ષ્યા થતી હશે. આટલું મહત્વ મારું હશે એવું વિચારીને મને જરાય અભિમાન આવતું નથી. કારણકે ઘણી વાર મારે ઓશિકા નીચે તમારા માથાના વજન તળે દબાઈને આખી રાત કાઢવી પડે છે તે કોઈને દેખાતું નથી. ઘણા તો મને સવાર સવારમાં ટોયલેટના દર્શને પણ લઈ જાય છે. શું મારો જન્મ આના માટે જ થયો હતો? સવારમાં ટોયલેટની સફર કર્યા બાદ અમે અમારા લેન્ડલાઇન પૂર્વજની નજરમાં એકદમ ઊતરી ગયેલા માનીએ છીએ. હવે તો અમારા પૂર્વજો પણ અમને કહે છે કે ભલે અમે તમારા જેવા સ્માર્ટ અને હોશિયાર ન હતા પણ સવાર સવારમાં કોઈના ટોયલેટમાં સાથે જવું પડે એવી ગુલામી ક્યારેય નથી કરી!  આ બધું તો હજુ હું જેમ તેમ કરીને સહન કરી લઉ...

એક દિવસનો યોગ કેમ ભગાડે રોગ?

21 જૂનના રોજ આપણે યોગદિવસ મનાવી લીધો. આમ જોઈએ તો યોગાસન દિવસ મનાવી લીધો. યોગને વિશ્વ સ્તરે લાવનાર આપણે એ જ ભૂલી ગયા કે યોગ એટલે ફક્ત યોગાસન જ નહીં. યોગ આઠ અંગોનું બનેલું છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, આહાર, પ્રત્યાહાર, ધ્યાન, સમાધિ.  યોગ એ 21 જૂનના દિવસનો ટ્રેન્ડિંગ ટોપિક છે એથી વિશેષ કંઈ નથી એવું મને લાગે છે. એવું નથી કે રોજ યોગ, કસરત કે મેડિટેશન કરનારા નથી. કરે જ છે ઘણા લોકો પરતું આ દિવસે જો તમે કોઈ વિચિત્ર આસન કરેલ ફોટો સોશિયલ મીડિયા પર ન મૂકો તો તમે યોગી નથી. વિશ્વ યોગ દિવસની નિંદા કરવાનો મારો કોઈ ઉદ્દેશ નથી. વળી કેટલાક કહેશે કે દરેક દિવસ તો વર્ષે એક વાર જ ઉજવાતો હોય છે. એમાં વળી નવું શું છે? શું દિવાળીના ફટાકડા આખું વર્ષ ફોડી શકાય? શું પિચકારી લઈને આખું વર્ષ ધૂળેટી રમવાની તાકાત છે? શું આખું વર્ષ આપણે પતંગ ચગાવીને ઉતરાયણ મનાવીએ છીએ? બસ એમ જ યોગ દિવસ એક જ દિવસ મનાવવાનો હોય. વાત પૂરી. તહેવારો અને ઉત્સવો આપણા જીવનને રંગીન બનાવે છે. પણ યોગ દિવસ એ કોઈ તહેવાર કે ઉત્સવ નથી. યોગ દિવસ એ દર વર્ષે આવતું એક રીમાઇન્ડર છે. યોગ એ જીવન જીવવા માટેનું એક મેઇન્ટેનેન્સ મેન્યુઅલ છે. યોગના આઠ...

નવરત્ન દર્દીઓની શૌર્ય કથાઓ

દરેક વ્યવસાયમાં કેટલાક એવા લોકો સાથે સામનો થાય છે જ્યાં તમારું લોજીક અને વિનમ્રતા પાણી ભરતી હોય છે. કોઇપણ પ્રકારે આવા જીવો તમને તમારી કાર્યશૈલી છોડવા મજબૂર કરીને મગજના તાર છંછેડી દેતા હોય છે. મારા કિસ્સામાં આજકાલ અનુભવેલા કેટલાક કાયમી ઉદાહરણો આપની સમક્ષ રજૂ કરું છું.  ઘણી બધી કાપકૂપ મૂકીને છેલ્લે આ નવરત્ન તમારી સાથે વાગોળવા મૂકું છું પણ એ પહેલા એક ડિસક્લેમર આપી દઉં. આ નવેનવ પ્રકારના રત્નો જરાય કાલ્પનિક નથી અને એક એક રત્ન સાથે ઘણા બધા લોકોનો સંબંધ હોઈ શકે. તો આને માત્ર સંયોગ ન સમજવો પણ જાણીજોઈને કરેલ રજૂઆત જ સમજવી. રજૂઆત હળવી જરૂર છે પણ ગંભીરતાથી લેવી.  કેટલાક દર્દીઓના એવા વાણી વર્તનના નમૂનાઓ કે જેનાથી તમારી અંતર આત્મા ત્રાહીમામ પોકારી ઊઠે. 1. જ્યારે માવો ચોળતા ચોળતા દર્દી પૂછી લે કે ભાઈ આ દવા ખાવાથી ગરમ તો નહીં લાગે ને? ગયા વખતે દવા ખાધી તો પેટમાં ગડબડ થઈ ગઈ હતી અને મોઢામાં ચાંદા પડ્યા હતા! આ તો એવી વાત થઈ કે આત્મહત્યા કરવા માટે છરી લઈને હાથની નસ કાપવી છે પણ હાથ પર કટ મૂકતી વખતે ઇન્ફેક્શન ન લાગે એટલે છરીને પહેલા સ્ટરિલાઇઝ કરીને જંતુમુક્ત કરી લઉં. મારા માવાથી ભલે મોઢું ખદબદતું ...

એક જિદ્દી છોકરી Wednesday

                              સિરીઝ : Wednesday     પાત્ર : Wednesday   એકદમ એરોગન્ટ, નકચડું અને દરેક વાતે સામેની વ્યક્તિનું કાચું કપાઈ જાય છતાં પોતાના મોં પરના હાવભાવમાં તલભારનો પણ બદલાવ ન આવે એવું જક્કી અને જિદ્દી પાત્ર એટલે Wednesday. સ્ટોરીલાઇનને લગતું કોઈ જ સ્પોઇલર નથી એટલે બિન્દાસ આગળ વધો. કદાચ Wednesday નું કેરેક્ટર આ બ્લોગમાં વાંચીને તમે તેની સાથે વધુ કનેક્ટ કરી શકશો. જેવી રીતે હેરી પોટરની વાર્તામાં બે પ્રકારના લોકો હોય છે: Muggles અને Wizard . એવી જ રીતે અહીં પણ બે પ્રકારના લોકો છે: Normi કે જેની પાસે કોઈ સુપરપાવર નથી હોતો અને બીજા છે Outcast એટલે કે જે જુદા જુદા પ્રકારના સુપરપાવર જન્મજાત ધરાવે છે. આ Outcast બાળકોની સ્કૂલ એટલે નેવરમોર જેની આસપાસ જ Wesnesdayની બંને સિઝનની કહાનીઓ આકાર લે છે. આ ટીનેજ છોકરી બધાથી અલગ. તેની ઉંમરની છોકરીઓને સોળ શણગારનો શોખ હોય જ્યારે આપણી Wednesday એકદમ બ્લેક એન્ડ વ્હાઈટ. તેને રંગોથી એલર્જી હોય છે. હા, ફ્ક્ત કહેવા પૂરતી જ નહીં પણ ખરેખર જો એકદમ શાઈ...

એક અજાણી આફત: રીલની રામાયણ

રીલની દુનિયાની શરૂઆત મને યાદ છે ત્યાં સુધી ટિકટોક નામક ઝેરી જીવડાંથી થઈ. આ ટિકટોકિયું ભારતમાંથી કાયદેસર રીતે પ્રતિબંધિત થઈ ગયું પણ તેના ઝેરને બીજા તમામ સોશિયલ મીડિયામાં ઘોળતું ગયું. ફેસબુક થી લઈને ઇન્સ્ટા અને યુટ્યુબ સુધી પણ આ ટૂંકા વીડિયોનો ચેપ એવો ફેલાયો કે આપણે બધા આ બીમારી સાથે રાજીખુશી(?)થી જીવી રહ્યા છીએ. આ રીલનો રેલો આવ્યો કેમ? લાંબા લચક નવલકથા જેવા લાગતા વર્ણનો અને ઔપચારિક વાતોથી કંટાળેલી નવી જનરેશન હવે ફક્ત ટુ ધ પોઇન્ટ વાત કરવા અને સાંભળવા માંગે છે એ તો નક્કી. વધારાનો બકવાસ તેને ગમતો નથી અથવા તો 1.5x ની સ્પીડ પર આ લાંબુ લચક સ્કીપ થતું જાય છે. ચાલો રીલ બનાવવા વાળાને તો કંઈક મળતું હશે પણ આ રીલની રેલમછેલમ કરીને આખો દિવસ જોવાવાળાને વળી શું મળતું હશે?  ડોપામાઇન સ્પાઈક. જી, આ જ એ કેમિકલ લોચો છે જે તમારા ટેરવાને સ્ક્રીન પર દોડતો રાખે છે. હું તો કહું છું આ ચાલવાના સ્ટેપ્સ ગણવા વાળી એેપ્લિકેશન આવે એમ આપણો અંગૂઠો કે આંગળી આપણી સ્ક્રીન પર આખા દિવસમાં કેટલા કિલોમીટર દોડ્યા એનો કોઈ હિસાબ રાખી શકે એવી એપ આવવી જોઈએ. આવે છે? આવતી હોય તો નીચે કોઈક કમેન્ટ કરીને કે'જો.  રીલ...

એડોલ્શન્સ: ટીનેજર સ્ટોરી કે પેરેન્ટિંગ ડોક્યુમેન્ટ્રી!?

                         વેબસિરિઝ: એડોલ્શન્સ             કેરેકટર: એડવર્ડ મિલર અને લ્યુક બેસકોમ્બ ચાર એપિસોડ વાળી અને દરેક એપિસોડ શરૂઆતથી અંત સુધી સિંગલ શોટમાં શૂટ થયેલી મિનિસિરિઝ આમ તો એકદમ બોરિંગ છે અને એકદમ સ્લો છે પણ જો તેને તમે એક ટીનેજરની લાઇફ આસપાસની ડોક્યુમેન્ટ્રી તરીકે જુઓ તો આ સિરીઝમાં ઘણો રસ પડશે. આ સિરીઝ શરૂ થાય ત્યારે એવું લાગે કે સસ્પેન્સ થ્રિલર છે પણ હકીકતમાં આ સિરીઝમાં આપણે જે નોર્મલ જોઈએ છીએ એવી ઘટના અંગેનું સસ્પેન્સ છે જ નહી પરતું આ ઘટનાનો જન્મ કેવી રીતે થયો તેના તાણાવાણા પર જ ચાર એપિસોડ ચાલે છે. ઘટનાના મૂળ સુધી જવામાં ટીનેજરના મનોવૈજ્ઞાનિક આવેશો, સોશિયલ મીડિયા, સ્કૂલ કલ્ચર, પોર્નોગ્રાફી આ બધું પેરેન્ટિંગ પર કઈ રીતે પાણી ફેરવે છે તેના પડ ધીમે ધીમે ખુલે છે. આગળ નાના મોટા સ્પોઇલર છે પણ તેનાથી સિરીઝ જોવામાં કોઈ ખાસ અસર નહી પહોંચે, જો તમે સિરીઝને ડોક્યુમેન્ટ્રી તરીકે લેવાના હો તો. સિરીઝનું નામ ભલે એડોલ્શન્સ હોય પણ ખરેખર તો આજે વાત આ ટીનેજરની નહીં પણ તેના એડલ્ટ પિતાની કરવા...