Skip to main content

મને તો કોરોના થઈ ગયો...


"એલી તારા ઘરમાં ય કોરોના આઇવો?"

"હા..બેન. તમારા ભાઈને ય થ્યો."

"બેન ઇ સારું.. વેલાસર નવરા થઈ ગ્યા એમ સમજી લેવાનું. હવે પાડોશવાળા ભલે બીવે."


આવો સંવાદ મેં સાંભળેલો છે એટલે લખ્યો પણ મોટાભાગના લોકો અને પાડોશીઓ આવું જ વિચારે છે કારણકે મોટા ભાગના લોકોને કોરોના ઘરમાં જ મટી ગયો છે અને હોસ્પિટલના બિછાને નથી જાવું પડ્યું એટલે કોરોનાને મજાક સમજી રહ્યા છે.


ઉપરોક્ત સંવાદ ઉપરથી બીજી એક વાત નોટિસ પણ કરવા જેવી છે જેના મૂળમાં જ કોરોનાના ફેલાવાની હકીકત ઉડીને આંખે વળગે એમ છે. એ મુદ્દો છે સ્વાર્થનો. લોકો જો ખરેખર કાળજી રાખતા જ હોત તો આ નોબત જ ન આવી હોત. ક્યારેક ગાફેલાઈમાં તો ક્યારેક જાણીજોઈને આ લોકો કોરોના ફેલાવતા હોય છે અથવા કહો કે કોરોના ફેલાય તેમાં તેને મજા પણ આવતી હોય છે.


નજીકમાં જોયેલો જ એક કિસ્સો ધ્યાનમાં આવે છે જેમાં એક સાથે એક જ ઘરનાં ત્રણ વ્યક્તિઓ કોરોના પોઝિટિવ આવ્યા. બે પુરુષ અને એક સ્ત્રી. બધાના લક્ષણો બે કે ત્રણ દિવસમાં જ જતા રહ્યા એટલે જાણે કે પોતે રાજા થઈ ગયા. એ બન્ને પુરુષો પોતાના ઘર પાસેના રસ્તા પર જ માવો ખાઈને થૂંકે. આ રસ્તા પરથી જ સોસાયટીના તમામ લોકો પસાર થાય પણ આ નરબંકાઓને તો બસ 'મને થઈ ગયો એટલે હું છૂટો' એવો ભાવ હોય કે પછી શરૂઆતમાં જે ધમાલ પેલા જમાતીઓએ કરી હતી એ પ્રકારની કોઈ અવળચંડાઈ હોય. બન્નેનું રિઝલ્ટ તો એક જ છે અને એ છે કોરોનાનો ફેલાવો. 


માનવસહજ દ્વેષને કારણે જ કોરોનાને વધુ હવા મળી છે એ પણ જગજાહેર છે. હવે તો કોરોનાને કર્મો સાથે જોવાની એવી ટેવ પડી ગઈ છે કે દરરોજ આવતા કેસમાં જો કોઈ જાણીતો વ્યક્તિ પોઝિટિવ આવે એટલે તરત જ 'એ તો એ જ લાગનો હતો' કહીને આપણે મનમાં જ બદલો લઈ લેતા હોઈએ છીએ. સાથે સાથે ક્યારેક આનાથી ઊલટું પણ થાય છે. આપણા મનમાં જેની છબી સમાજની સારી પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકેની હોઈ અને એ જ્યારે પોઝિટિવ આવે કે દવાખાનાને બિછાને પડે ત્યારે જુદો જ વિચાર સ્ફુરે 'આ તો બહુ સારો માણસ છે આને કોરોના કેમ થયો હશે?' આવી વાતોથી જ એ ફલિત થાય છે કે આ મહામારીનું મૂળ ફક્ત આપણી નિષ્કાળજી નથી પણ બીજો કેટલોક માનસિક કચરો પણ આના માટે જવાબદાર છે.


કોરોનાનો ઈંક્યુબેશન પિરિયડ 14 દિવસનો છે એટલે કે વાયરસ એકવાર શરીરના સંપર્કમાં આવ્યા બાદ આવતા 14 દિવસમાં ગમે ત્યારે લક્ષણો પ્રગટ કરી શકે. પણ હા, એકવાર કોરોના થઈ ગયો ત્યારબાદ લક્ષણો ગાયબ થયાના લગભગ દસ દિવસની અંદર જ કોરોના પોઝિટિવ વ્યક્તિનો વાયરલ લોડ એટલો ઓછો થઈ ગયો હોય છે કે તેના દ્વારા બીજા વ્યક્તિને ચેપ ફેલાવાની શકયતા નહિવત થઈ જાય છે. પરંતુ આ હકીકતની જાણ હોવા છતાં હવે તો માત્ર ત્રણ કે ચાર દિવસમાંજ કોરોના ગ્રસ્ત વ્યક્તિઓ માર્કેટમાં બિન્દાસ ફરતાં જોવા મળે છે જાણે કે તેને થઈ ગયો એટલે હવે તેને તકેદારી રાખવાની ફરજ પુરી થઈ ગઈ. જેમ વીજળીનો પ્લાસ્ટિક કોટેડ લાઈવ વાયર તમે અડકો તો ઝટકો લાગવાની શકયતા નહિવત છે આમ છતાં આપણે એ પ્લાસ્ટિક કોટેડ વાયરને પણ અડકવાનું ટાળીયે છીએ અને મેઈન સ્વીચ બંદ કર્યા બાદ જ તેને અડકીયે છીએ. કારણ મનમાં ડર છે કે ક્યાંક આ પ્લાસ્ટિક કોટેડ વાયર ક્યાંયથી ક્રેક હશે કે હલકી ગુણવત્તાનો હશે તો ઝટકો લાગી શકે છે. આવું જ આ કોરોનાનું છે. ખબર છે કે ભલે હજુ બે દિવસ પહેલા જ લક્ષણો ઓછા થયાં પણ હજુ કદાચ ઓછી માત્રામાં તો ઓછી માત્રામાં વાયરસ ફેલાઈ શકે છે મારા દ્વારા આવી સમજ હોવા છતાં માસ્ક જેવી સામાન્ય તકેદારી પણ લોકો રાખતા નથી. 


'મુજ વીતી તુજ વીતશે..' ને ન્યાયે આ ગ્રસ્ત જીવો જાણીજોઈને બીજાને ગ્રસ્ત કરવાની પેરવી મનના ક્યાંક ખૂણે સંઘરીને બેઠા હોય છે. વળી આ ઘરે બેઠા જે લોકોએ કોરોનાને મ્હાત આપી છે તેના માટે તો વેકસીનને લઈને પણ કોઈ ખાસ ઉત્સાહ નથી. પોતે જાણે લાઈફટાઈમ ઇમ્યુનાઇઝડ થઈ ગયા હોય એવી રીતે મૂછને વળ દેતા હોય છે. વળી કોરોનાના કારણે થતા કોમ્પ્લિકેશનમાં પણ તેમને સ્કેમ દેખાતા હોય છે કારણકે બંદા તો ઘરે બેઠા વગર મુસીબતે સાજા થઈ ગયા છે. 


પુણેમાં કોઈએ વેકસીનની આડઅસર માટે દાવો ઠોકી દીધો છે. હજુ વેકસીન આવી નથી ત્યાં જ વિઘ્નસંતોષીઓની ફોજ તૈયાર થઈ રહી છે. એવી જ રીતે હમણાં હરિયાણાના એક મંત્રીશ્રીને વેકસીનનો ટ્રાયલ ડોઝ આપ્યા બાદ તેને 15 દિવસમાં જ કોરોના નો ચેપ લાગ્યો એટલે કહેવાતા બુદ્ધિજીવીઓ ઉપડી પડયા વેકસીનની ખરાઈ પર શંકા કરવા. ક્લિનિકલ ટ્રાયલના સ્ટેજ પર કન્સેન્ટ વગર કોઈ પર ટ્રાયલ કરી શકાય નહીં માટે આડઅસર માટે દાવો કરવો વ્યાજબી નથી જે ફક્ત લાઈમલાઈટમાં આવવા માટેનું એક પેતરું છે અને રહી વાત મંત્રીશ્રીની તો હજુ તેને ડોઝ આપ્યો એ વેકસીન હતી કે વેકસીનની અસરકારકતાની સરખામણી માટે રેન્ડમલી અમુક લોકોને આપાતો પ્લેસીબો ડોઝ હતો એ પણ આ બ્લાઇન્ડ ટ્રાયલમાં જાણવું અઘરું છે અને ધારોકે વેકસીન ડોઝ હોય તો પણ તેના અમુક સમયના અંતરે આપવાના થતા ડોઝ પુરા કરે પછી જ સંપૂર્ણ ઇમ્યુનિટી ડેવલપ થતી હોય એવું બને. આ બધી શક્યતાઓને ગોળી મારીને સીધી જ શંકાઓની સોઈને ભોંકવાનું શરૂ કરવું એ તદ્દન મૂર્ખામી છે.


આપણે પોતે શિસ્તથી દોઢસો ગાઉ દૂર છીએ ત્યારે બીજાને સૂફીયાણી સલાહો આપીને આ મહામારી સામે લડવું એ માત્ર એક ઢોંગ અને તાયફો છે જેના રાજ ના કારણ જેવા કિસ્સાઓ આજકાલ છપાઓમાં પુષ્કળ છવાયેલા છે.


સુપર ઓવર: 'બહુત તકલીફ હોતી હૈ જબ આપ યોગ્ય હો ઔર લોગ આપકી યોગ્યતા ના પહેચાને' - મહામારીને ગંભીરતાથી ન લેતા લોકોને કારણે નિરાશ થયેલા એક કોરોના વાયરસની હૈયાવરાળ.

Comments

Post a Comment

Popular posts from this blog

દવાઓ બેફામ: વરદાન કે અભિશાપ?

હોસ્પિટલ ફાર્માસિસ્ટ તરીકે નોકરી કરવી એ શરૂઆતના દિવસોમાં ખૂબ જ ધીરજ માંગી લે એવું કામ હતું.  કેમ? કારણ કે જે પણ એકેડેમિક નોલેજને બસ ઇમ્પ્લીમેન્ટ કરવાની તૈયારી કરતો હતો એ જ એકેડેમિક અહીં પેંડેમીક બનીને ઉભું હતું. આ પેંડેમીક એટલે દવાઓનો બેફામ ઉપયોગ. ના માત્ર એન્ટિબાયોટિકસ જ નહીં પણ સ્ટીરોઇડ્સ, પેઈન કિલર, એન્ટાસિડ દરેકનો આ જ હાલ હતો અને છે. એવું નથી કે આવું ફક્ત ગ્રામ્ય કક્ષાએ જ છે. મોટા શહેરોમાં પણ ઝડપથી સાજા થવાની લ્હાયમાં આવા દવાઓના બેફામવેડા ચાલુ જ છે. એલોપેથી દવાઓ ઝડપથી રાહત કરવા માટે પ્રખ્યાત છે પણ હવે લોકોની ધીરજ અને સહનશક્તિ એટલી હદે જવાબ દઈ ચુકી છે કે આ એલોપેથીની ઝડપ પણ તેને હવે ઓછી લાગે છે. આવા સમયમાં આયુર્વેદ થેરાપીની તો વાત જ કેમ કરવી? આયુર્વેદ ધીમી સારવાર માટે ભલે જાણીતું હોય પરંતુ તેની દરેક સારવારના પરિણામ ધીમા જ મળે એવું જરૂરી નથી હોતું. પણ આમ છતાં આયુર્વેદનો ચાર્મ હાલ તો એલોપેથી ની સાપેક્ષે ખૂબ જ પાછળ છે. વળી, મહેરબાની કરીને કોઈ હોમીઓપેથી, નેચરોપેથી કે યુનાની જેવી પધ્ધતિઓ ની તો વાત જ ન કરતા. એ તો હજુ લોકપ્રિયતાની એરણ પર જોજનો દૂર છે. અહીં વાત અસરકારકતાની નહ...

સાયનોકોબાલની મોટી બબાલ: અથ શ્રી વિટામિન B12 કથા

  "તમારામાં વિટામિન B12ની ખામી છે, દવાનો કોર્સ કરવો પડશે." આવી વાતો આજકાલ કોમન થઈ ગઈ છે. તેનાથી પણ વધુ પ્રચલિત થયા છે એકાંતરા વાળા વિટામિન B12ના ઇન્જેક્શન. વળી હવે તો આ ઇન્જેક્ટેબલ સારવાર પણ OTC (ઓવર ધ કાઉન્ટર) બનતી જાય છે. એટલે જ્યારે પણ ભળતાં લક્ષણો જોવા મળે તો લગાઓ B12. વિટામિન D પછી સૌથી વધુ કોઈ વિટામીનની ખામી માણસોમાં જોવા મળે છે તો એ છે વિટામિન B12 જેને સાયનોકોબાલામાઈન ના હુલામણાં નામથી પણ બોલાવામાં આવે છે. 🤔 પણ આ B12 શા માટે આટલું જરૂરી છે? તેના વગર ચાલે એમ નથી? એવું તો શું કામ કરે છે આ VIP વિટામિન?  વિટામિન B12 એ આપણા DNA એટલે કે આપણો પાયો બાંધવામાં સૌથી મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત આપણા RBC એટલે કે રક્તકણોનું નિર્માણ થવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે. શરીરમાં એનર્જી પ્રોડ્યુસ કરતી કેટલીક ક્રિયાઓમાં જરૂરી ઘણા બધા ઉદ્દીપક (enzymes) ના બનવા માટે પણ આપણું લાડકવાયું વિટામિન B12 જ ભાગ ભજવે છે. ચેતાતંતુઓમાં પણ સંવેદનાના વહન માટે B12 જ મેઇન્ટેનન્સ પાર્ટનર તરીકે કામ કરે છે. મગજ જેવા મૂળભૂત અંગોનું સારી રીતે સંચાલન કરવા બદલ પણ હે વિટામિન B12! આપનો ખૂબ ખૂબ આભાર. 😱 ...

એડોલ્શન્સ: ટીનેજર સ્ટોરી કે પેરેન્ટિંગ ડોક્યુમેન્ટ્રી!?

                         વેબસિરિઝ: એડોલ્શન્સ             કેરેકટર: એડવર્ડ મિલર અને લ્યુક બેસકોમ્બ ચાર એપિસોડ વાળી અને દરેક એપિસોડ શરૂઆતથી અંત સુધી સિંગલ શોટમાં શૂટ થયેલી મિનિસિરિઝ આમ તો એકદમ બોરિંગ છે અને એકદમ સ્લો છે પણ જો તેને તમે એક ટીનેજરની લાઇફ આસપાસની ડોક્યુમેન્ટ્રી તરીકે જુઓ તો આ સિરીઝમાં ઘણો રસ પડશે. આ સિરીઝ શરૂ થાય ત્યારે એવું લાગે કે સસ્પેન્સ થ્રિલર છે પણ હકીકતમાં આ સિરીઝમાં આપણે જે નોર્મલ જોઈએ છીએ એવી ઘટના અંગેનું સસ્પેન્સ છે જ નહી પરતું આ ઘટનાનો જન્મ કેવી રીતે થયો તેના તાણાવાણા પર જ ચાર એપિસોડ ચાલે છે. ઘટનાના મૂળ સુધી જવામાં ટીનેજરના મનોવૈજ્ઞાનિક આવેશો, સોશિયલ મીડિયા, સ્કૂલ કલ્ચર, પોર્નોગ્રાફી આ બધું પેરેન્ટિંગ પર કઈ રીતે પાણી ફેરવે છે તેના પડ ધીમે ધીમે ખુલે છે. આગળ નાના મોટા સ્પોઇલર છે પણ તેનાથી સિરીઝ જોવામાં કોઈ ખાસ અસર નહી પહોંચે, જો તમે સિરીઝને ડોક્યુમેન્ટ્રી તરીકે લેવાના હો તો. સિરીઝનું નામ ભલે એડોલ્શન્સ હોય પણ ખરેખર તો આજે વાત આ ટીનેજરની નહીં પણ તેના એડલ્ટ પિતાની કરવા...

ફાસ્ટ ફૂડ એટલે મેન્ટલ હેલ્થનું બ્લાસ્ટ ફૂડ

જીભનું પ્રિયતમ પણ જીવ માટે યમ એવા તસતસતા જંક ફૂડ કે ફાસ્ટ ફૂડ દ્વારા થતી આપણા શરીરની ખાનાખરાબી તો આપણે જાણીએ જ છીએ અને આંખ આડા કાન કરીને આ જંક ફૂડને આટલું નુકશાનકર્તા હોવા છતાં આપણા શરીર રૂપી ઘરના પાટલે બેસાડીએ છીએ. એમાં શું નવું છે? સિગારેટ તમાકુ કદાચ આ જંક ફૂડથી વધુ ઘાતક હોવા છતાં આપણે તેને આટલી નવાબીથી નથી નવાજતા જેટલું આપણે જંક ફુડને વ્હાલ આપીએ છીએ! જંક ફુડ નુકશાનકારક છે એ બધાને ખબર જ છે એટલે અહીં કોઈ સિક્રેટ શેર કરવાનો નથી. પણ હા કેવી રીતે નુકશાન કરે છે એ કદાચ તમને કહીશ તો આશ્ચર્ય થશે! જીભ માટે તસતસતું ભોજન પેટ માટે કેટલું અઘરું બને છે એ તો ખબર છે પણ આ જીભનો ચટાકો પેટને તો પકડે જ છે પણ સાથે સાથે આપણું મગજ પણ જકડે છે. સિંથેટિક કલર્સ અને મસાલાથી ભરપૂર જંક મિસાઈલ જ્યારે પેટમાં પડે છે ત્યારે ત્યાં તો નુકશાન થવાનું જ છે પણ સાથે સાથે આપણા મેન્ટલ હેલ્થને પણ કોલેટરલ ડેમેજ કરતું જાય છે! મેન્ટલ હેલ્થના ચાર કોલેટરલ ડેમેજનું એસેસમેન્ટ કરી લઈએ. 😵‍💫એડિક્શન પહેલા તો ખાલી દારૂ તમાકુ ને જ વ્યસન ગણવામાં આવતું. પછી જમાનો ડિજિટલ થયો એટલે નેવુંના દશકમાં ટીવીના વ્યસનીઓ થઇ ગયા. ત્યારે એમ લ...

એક દિવસનો યોગ કેમ ભગાડે રોગ?

21 જૂનના રોજ આપણે યોગદિવસ મનાવી લીધો. આમ જોઈએ તો યોગાસન દિવસ મનાવી લીધો. યોગને વિશ્વ સ્તરે લાવનાર આપણે એ જ ભૂલી ગયા કે યોગ એટલે ફક્ત યોગાસન જ નહીં. યોગ આઠ અંગોનું બનેલું છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, આહાર, પ્રત્યાહાર, ધ્યાન, સમાધિ.  યોગ એ 21 જૂનના દિવસનો ટ્રેન્ડિંગ ટોપિક છે એથી વિશેષ કંઈ નથી એવું મને લાગે છે. એવું નથી કે રોજ યોગ, કસરત કે મેડિટેશન કરનારા નથી. કરે જ છે ઘણા લોકો પરતું આ દિવસે જો તમે કોઈ વિચિત્ર આસન કરેલ ફોટો સોશિયલ મીડિયા પર ન મૂકો તો તમે યોગી નથી. વિશ્વ યોગ દિવસની નિંદા કરવાનો મારો કોઈ ઉદ્દેશ નથી. વળી કેટલાક કહેશે કે દરેક દિવસ તો વર્ષે એક વાર જ ઉજવાતો હોય છે. એમાં વળી નવું શું છે? શું દિવાળીના ફટાકડા આખું વર્ષ ફોડી શકાય? શું પિચકારી લઈને આખું વર્ષ ધૂળેટી રમવાની તાકાત છે? શું આખું વર્ષ આપણે પતંગ ચગાવીને ઉતરાયણ મનાવીએ છીએ? બસ એમ જ યોગ દિવસ એક જ દિવસ મનાવવાનો હોય. વાત પૂરી. તહેવારો અને ઉત્સવો આપણા જીવનને રંગીન બનાવે છે. પણ યોગ દિવસ એ કોઈ તહેવાર કે ઉત્સવ નથી. યોગ દિવસ એ દર વર્ષે આવતું એક રીમાઇન્ડર છે. યોગ એ જીવન જીવવા માટેનું એક મેઇન્ટેનેન્સ મેન્યુઅલ છે. યોગના આઠ...