Skip to main content

બેઇમાન દુનિયાનું પ્રામાણિક ભવિષ્ય: રોબોટ્સ

       
      
  માનવહિતો નું રક્ષણ શેમાં છુપાયેલું છે!? પોતાની આવડત અને અવળચંડાઈ વચ્ચે ની પાતળી ભેદરેખાને ભૂંસીને આગળ વધી ગયેલો આજનો સુપર ડુપર હ્યુમન શું ખરેખર એ જ મેળવી રહ્યો છે જેની આદિમાનવે વર્ષો પહેલા શરૂઆત કરી હતી? ડાર્વિન કાકા ના મત મુજબ એ વાત તો એકદમ સાચી જ માનવી પડે કે જ્યારે જ્યારે જીવ ના અસ્તિત્વ સામે જોખમ ઉભું થાય ત્યારે ત્યારે જીવ  પોતાનામાં એવી નવી આવડત, અનુકૂલન, ચાલાકી... વગેરે વગેરે ઉભું કરીને પ્રતિકુળતાને ચેલેન્જ ફેંકે છે. હવે જોવું એ રહ્યું કે આ સ્વરક્ષણ માટે ઉભી કરાયેલી આવડત છે કે પછી પોતાના સ્વાર્થને ખાતર અનુકૂળ પરિસ્થિતિ માં પણ આ આવડતને પ્રયોજીને માનવ પોતાની ચલાકીનો લાભ (ગેરલાભ) લઈ રહ્યો છે. બસ,બહુ થઈ ફિલોસોફીકલ વાતો. હવે સીધા જ ટેકનિકલ પોઇન્ટ પર આવીએ. માનવ આવિશ્કૃત યંત્રમાનવ (રોબોટ) શુ ખરેખર માનવ નો પર્યાય બની રહેશે ? જી ના, હું કોઈ સાઉથ કે હોલીવુડ ની ફિલ્મો ની સ્ટોરી લાઈન ને રેફરન્સ મુકવાનો નથી. પણ હા આવી સાયન્સફિક્શન સ્ટોરી લખવા વાળાની ફિલોસોફી ને દાદ તો દેવી જ પડે. સાંભળ્યું છે કે રોબોટ્સ આપણી ઘણી બધી નોકરીઓ ને હડપ કરી જવાના છે, લગભગ કરી ગયા છે. શુ આ બાબત નું કોઈ સામાન્ય કારણ પૂછવામાં આવે તો તમે જવાબ આપી શકશો? હા, બહુ સરળ. રોબોટ્સ ખરેખર સુવિધાજનક અને ઓછા ખર્ચાળ છે, માનવ સંશાધન ની સાપેક્ષે. હાલમાં જ સોફિયા નામના પ્રથમ રોબોટ્સને સાઉદી અરેબિયાની નાગરિકતા મળ્યા બાદ આપણા ભારતની મુલાકાત લેવા પહોંચી ગઈ હતી. (પહેલા આદમ કે પહેલા ઇવ એ જવાબ પણ તમને કદાચ સોફિયા પાસેથી મળી ગયો હશે.)

        વાત અહીં ફક્ત આપણે આપણી સુવિધા પૂરતી જ સીમિત રાખીને આગળ વધી રહયા છીએ, એવું નથી. ખરેખર કદાચ હવે માનવ માનવ થી જ કંટાળી ગયો છે. શુ તમને તમારા સાથી કર્મચારી પર ભરોસો છે? એ તો બહુ દૂરની વાત કરી નાખી આપણે, શુ તમને તમારા પર ભરોસો છે!? ના, હું વિશ્વાસ થી કહી શકું કે આપણે આપણા ખુદ ના માટે જ ચોક્કસ નથી કે આપણે શું કરી બેસવાના. પણ આ રોબોટ્સ બિલકુલ આવડત પ્રમાણે જ વર્તશે જે એને કહેવામાં આવ્યું છે. કહેવામાં તો માનવ ને પણ ઘણું આવ્યું છે જ્યારે ઈશ્વરે તેને આ ધરતી પર મોકલ્યો. અને કદાચ એટલે જ નવું જન્મતું બાળક એ સંદેશો લઈને આવે છે કે હજુ ઈશ્વર માનવજાત થી કંટાળી નથી ગયો. હજુ કદાચ થોડી આશા બાકી છે. પણ માનવ માનવ થી કંટાળી ગયો છે અને લગભગ ત્રાસી ગયો છે એમ કહેવામાં પણ અતિશયોક્તિ નહી લાગે. ભ્રષ્ટાચારના ભરડામાં માણસ ઓશિયાળો બની ગયો છે. આ સમય માં હવે કદાચ આ યંત્રમાનવ જ એક સારો વિકલ્પ બની રહે તો નવાઈ નહીં. હા, માણસ ની અવળચંડાઈ પર પુરેપુરો ભરોસો એટલે આ યંત્રમાનવ ને પણ છેવાડે મૂકી શકે એવી શૈતાની તાકાત ખરી એમની પાસે.

        ભ્રષ્ટાચાર ની ભીંસમાં આજે કોઈ કોઈ પર ભરોસો કરી શકે એવી પરિસ્થિતિ નથી. કદાચ તમે પણ પોતાના ડાબી બાજુની છાતી પર હાથ મૂકીને દ્રઢપણે નહીં કહી શકો કે હું પ્રામાણિક છું અને ગમે તેવી પરિસ્થિતિમાં રહીશ. કદાચ આ સિસ્ટમ જ તમને પ્રેરસે કે બસ હવે બહુ રમ્યા પ્રામાણિક પ્રામાણિક, જો આ દુનિયામાં ટકી રહેવું હોય તો હવે તારે તારા સિદ્ધાંતોથી ઉપર ઉઠવું જ પડશે. ક્યાં સુધી તમે મક્કમ રહી શકો? આવી પરિસ્થિતિમાં તમે માત્ર રોબોટ્સ પર ભરોસો મૂકી શકો કારણ તેના પ્રોગ્રામમાં તમે ઈમાનદારી ભરી છે. જોકે સોફિયા જેવા લાગણીદર્શક રોબોટ્સ પણ ધીમે ધીમે આવશે પણ જ્યાં સુધી તેનો ડેટાબેઝ ભ્રષ્ટાચારથી મલીન નહીં થાય અથવા તો મલીન નહીં કરવામાં આવે ત્યાં સુધી એ જ ઉત્તમ વિકલ્પ માની શકાય. મેન્યુફેક્ચરિંગ થી માંડીને રિશેપશનિસ્ટ સુધીની નોકરીઓ પર પહેલેથી જ જાપાન જેવા દેશો માં રોબોટ્સ ની બોલબાલા વધી છે તો સિક્યુરિટી ગાર્ડ અને એકાઉન્ટન્ટ જેવા પ્રોફેશનમાં પણ રોબોટ્સ માનવને ટક્કર આપી રહ્યા છે. જાપાન જેવા દેશોમાં વધી રહેલો રોબોટ્સ નો ઉપયોગ તેની પ્રમાણિકતાના સ્તર પર અસર કરી રહ્યો છે અને લગભગ એ બાબત સ્પષ્ટ આપણે તેના વિકાસદરમાં જોઈ શકીએ છીએ. ડિજિટલ ઇન્ડિયાના આ યુગ માં આજનો વામણો સરકારી કર્મચારી હોય કે સામાન્ય ઘરનો નોકર હોય બધા જ સીસીટીવી કેમેરા નીચે ખૂબ જ અસુરક્ષિત અનુભવ કરે છે. ખરેખર તો આ ટેકનોલોજી આપણી સુરક્ષમાટે છે તો પછી આવું કેમ? આવુ એટલા માટે કે તમે વ્યક્તિ પર નહીં પણ તેની ઈમાનદારી પર કેમેરા લગાવી રહ્યા છો કેમકે તમને ગળા સુધી તેમની ઈમાનદારી ઉપર શક છે અને એ સ્વાભાવિક પણ છે આ જમાનામાં. બાયોમેટ્રિક જેવી સામાન્ય ટેક્નોલજી પણ માણસ ને સમયસર દફતર આવવામાટે મજબૂર કરી રહી છે. તો હજુ સમય છે ચેતી જાવાનો. આજના તમારા સેવક રોબોટ્સ કાલે તમારા બોસ બનીને તમારી પાસે ગીતાકથ્ય કર્મ કરાવે એ પહેલા જ જાગી જઈએ તો સારું છે.

         હવે આપણો દ્રષ્ટિકોણ ફક્ત ઉત્તમ સુવિધા અને ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી આરામદાયક જીવન પૂરતો મર્યાદિત નથી રહેવાનો પણ આપણા નૈતિકમુલ્યોના જતન માટે પણ ધીમે ધીમે આ રોબોટ્સ તરફ વહેલું કે મોડું આપણે વળવું તો પડશે જ. કાલે ઉઠી ને કદાચ આ રોબોટ્સ આપણા પર હાવી થઈ જવાની બીકે આપણે આપણી જાત પર જ હાવી થઈ જવાના છીએ તો ખરેખર ભારત જેવા દેશમાં નૈતિકમુલ્યોને પાયાથી બચાવી લેવા હોય તો ઈમાનદાર માણસ કરતા એક યંત્રમાનવ પર ભરોસો મૂકી શકાય. કાલે સવારે ઉઠશુ તો માનવ કદાચ બધા જ કામમાંથી નવરો થઈ ગયો હશે, એક પણ નોકરી માટે તે લાયક નહીં રહે અને બેરોજગરીમાં અધિક માસ તો આવશે જ જો આવી યાંત્રિક નૈતિકતા તરફ દુનિયા પગલું ભરશે તો. કદાચ આ ડર થી જ માનવ સુધરી જાય અને પોતાનું કર્મ પૂરેપૂરી પ્રામાણિકતા થી કરે એવી જ હાસ્યાસ્પદ ઈચ્છા અત્યારે તો કરી શકાય.

Comments

Post a Comment

Popular posts from this blog

દવાઓ બેફામ: વરદાન કે અભિશાપ?

હોસ્પિટલ ફાર્માસિસ્ટ તરીકે નોકરી કરવી એ શરૂઆતના દિવસોમાં ખૂબ જ ધીરજ માંગી લે એવું કામ હતું.  કેમ? કારણ કે જે પણ એકેડેમિક નોલેજને બસ ઇમ્પ્લીમેન્ટ કરવાની તૈયારી કરતો હતો એ જ એકેડેમિક અહીં પેંડેમીક બનીને ઉભું હતું. આ પેંડેમીક એટલે દવાઓનો બેફામ ઉપયોગ. ના માત્ર એન્ટિબાયોટિકસ જ નહીં પણ સ્ટીરોઇડ્સ, પેઈન કિલર, એન્ટાસિડ દરેકનો આ જ હાલ હતો અને છે. એવું નથી કે આવું ફક્ત ગ્રામ્ય કક્ષાએ જ છે. મોટા શહેરોમાં પણ ઝડપથી સાજા થવાની લ્હાયમાં આવા દવાઓના બેફામવેડા ચાલુ જ છે. એલોપેથી દવાઓ ઝડપથી રાહત કરવા માટે પ્રખ્યાત છે પણ હવે લોકોની ધીરજ અને સહનશક્તિ એટલી હદે જવાબ દઈ ચુકી છે કે આ એલોપેથીની ઝડપ પણ તેને હવે ઓછી લાગે છે. આવા સમયમાં આયુર્વેદ થેરાપીની તો વાત જ કેમ કરવી? આયુર્વેદ ધીમી સારવાર માટે ભલે જાણીતું હોય પરંતુ તેની દરેક સારવારના પરિણામ ધીમા જ મળે એવું જરૂરી નથી હોતું. પણ આમ છતાં આયુર્વેદનો ચાર્મ હાલ તો એલોપેથી ની સાપેક્ષે ખૂબ જ પાછળ છે. વળી, મહેરબાની કરીને કોઈ હોમીઓપેથી, નેચરોપેથી કે યુનાની જેવી પધ્ધતિઓ ની તો વાત જ ન કરતા. એ તો હજુ લોકપ્રિયતાની એરણ પર જોજનો દૂર છે. અહીં વાત અસરકારકતાની નહ...

સાયનોકોબાલની મોટી બબાલ: અથ શ્રી વિટામિન B12 કથા

  "તમારામાં વિટામિન B12ની ખામી છે, દવાનો કોર્સ કરવો પડશે." આવી વાતો આજકાલ કોમન થઈ ગઈ છે. તેનાથી પણ વધુ પ્રચલિત થયા છે એકાંતરા વાળા વિટામિન B12ના ઇન્જેક્શન. વળી હવે તો આ ઇન્જેક્ટેબલ સારવાર પણ OTC (ઓવર ધ કાઉન્ટર) બનતી જાય છે. એટલે જ્યારે પણ ભળતાં લક્ષણો જોવા મળે તો લગાઓ B12. વિટામિન D પછી સૌથી વધુ કોઈ વિટામીનની ખામી માણસોમાં જોવા મળે છે તો એ છે વિટામિન B12 જેને સાયનોકોબાલામાઈન ના હુલામણાં નામથી પણ બોલાવામાં આવે છે. 🤔 પણ આ B12 શા માટે આટલું જરૂરી છે? તેના વગર ચાલે એમ નથી? એવું તો શું કામ કરે છે આ VIP વિટામિન?  વિટામિન B12 એ આપણા DNA એટલે કે આપણો પાયો બાંધવામાં સૌથી મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત આપણા RBC એટલે કે રક્તકણોનું નિર્માણ થવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે. શરીરમાં એનર્જી પ્રોડ્યુસ કરતી કેટલીક ક્રિયાઓમાં જરૂરી ઘણા બધા ઉદ્દીપક (enzymes) ના બનવા માટે પણ આપણું લાડકવાયું વિટામિન B12 જ ભાગ ભજવે છે. ચેતાતંતુઓમાં પણ સંવેદનાના વહન માટે B12 જ મેઇન્ટેનન્સ પાર્ટનર તરીકે કામ કરે છે. મગજ જેવા મૂળભૂત અંગોનું સારી રીતે સંચાલન કરવા બદલ પણ હે વિટામિન B12! આપનો ખૂબ ખૂબ આભાર. 😱 ...

એડોલ્શન્સ: ટીનેજર સ્ટોરી કે પેરેન્ટિંગ ડોક્યુમેન્ટ્રી!?

                         વેબસિરિઝ: એડોલ્શન્સ             કેરેકટર: એડવર્ડ મિલર અને લ્યુક બેસકોમ્બ ચાર એપિસોડ વાળી અને દરેક એપિસોડ શરૂઆતથી અંત સુધી સિંગલ શોટમાં શૂટ થયેલી મિનિસિરિઝ આમ તો એકદમ બોરિંગ છે અને એકદમ સ્લો છે પણ જો તેને તમે એક ટીનેજરની લાઇફ આસપાસની ડોક્યુમેન્ટ્રી તરીકે જુઓ તો આ સિરીઝમાં ઘણો રસ પડશે. આ સિરીઝ શરૂ થાય ત્યારે એવું લાગે કે સસ્પેન્સ થ્રિલર છે પણ હકીકતમાં આ સિરીઝમાં આપણે જે નોર્મલ જોઈએ છીએ એવી ઘટના અંગેનું સસ્પેન્સ છે જ નહી પરતું આ ઘટનાનો જન્મ કેવી રીતે થયો તેના તાણાવાણા પર જ ચાર એપિસોડ ચાલે છે. ઘટનાના મૂળ સુધી જવામાં ટીનેજરના મનોવૈજ્ઞાનિક આવેશો, સોશિયલ મીડિયા, સ્કૂલ કલ્ચર, પોર્નોગ્રાફી આ બધું પેરેન્ટિંગ પર કઈ રીતે પાણી ફેરવે છે તેના પડ ધીમે ધીમે ખુલે છે. આગળ નાના મોટા સ્પોઇલર છે પણ તેનાથી સિરીઝ જોવામાં કોઈ ખાસ અસર નહી પહોંચે, જો તમે સિરીઝને ડોક્યુમેન્ટ્રી તરીકે લેવાના હો તો. સિરીઝનું નામ ભલે એડોલ્શન્સ હોય પણ ખરેખર તો આજે વાત આ ટીનેજરની નહીં પણ તેના એડલ્ટ પિતાની કરવા...

ફાસ્ટ ફૂડ એટલે મેન્ટલ હેલ્થનું બ્લાસ્ટ ફૂડ

જીભનું પ્રિયતમ પણ જીવ માટે યમ એવા તસતસતા જંક ફૂડ કે ફાસ્ટ ફૂડ દ્વારા થતી આપણા શરીરની ખાનાખરાબી તો આપણે જાણીએ જ છીએ અને આંખ આડા કાન કરીને આ જંક ફૂડને આટલું નુકશાનકર્તા હોવા છતાં આપણા શરીર રૂપી ઘરના પાટલે બેસાડીએ છીએ. એમાં શું નવું છે? સિગારેટ તમાકુ કદાચ આ જંક ફૂડથી વધુ ઘાતક હોવા છતાં આપણે તેને આટલી નવાબીથી નથી નવાજતા જેટલું આપણે જંક ફુડને વ્હાલ આપીએ છીએ! જંક ફુડ નુકશાનકારક છે એ બધાને ખબર જ છે એટલે અહીં કોઈ સિક્રેટ શેર કરવાનો નથી. પણ હા કેવી રીતે નુકશાન કરે છે એ કદાચ તમને કહીશ તો આશ્ચર્ય થશે! જીભ માટે તસતસતું ભોજન પેટ માટે કેટલું અઘરું બને છે એ તો ખબર છે પણ આ જીભનો ચટાકો પેટને તો પકડે જ છે પણ સાથે સાથે આપણું મગજ પણ જકડે છે. સિંથેટિક કલર્સ અને મસાલાથી ભરપૂર જંક મિસાઈલ જ્યારે પેટમાં પડે છે ત્યારે ત્યાં તો નુકશાન થવાનું જ છે પણ સાથે સાથે આપણા મેન્ટલ હેલ્થને પણ કોલેટરલ ડેમેજ કરતું જાય છે! મેન્ટલ હેલ્થના ચાર કોલેટરલ ડેમેજનું એસેસમેન્ટ કરી લઈએ. 😵‍💫એડિક્શન પહેલા તો ખાલી દારૂ તમાકુ ને જ વ્યસન ગણવામાં આવતું. પછી જમાનો ડિજિટલ થયો એટલે નેવુંના દશકમાં ટીવીના વ્યસનીઓ થઇ ગયા. ત્યારે એમ લ...

એક દિવસનો યોગ કેમ ભગાડે રોગ?

21 જૂનના રોજ આપણે યોગદિવસ મનાવી લીધો. આમ જોઈએ તો યોગાસન દિવસ મનાવી લીધો. યોગને વિશ્વ સ્તરે લાવનાર આપણે એ જ ભૂલી ગયા કે યોગ એટલે ફક્ત યોગાસન જ નહીં. યોગ આઠ અંગોનું બનેલું છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, આહાર, પ્રત્યાહાર, ધ્યાન, સમાધિ.  યોગ એ 21 જૂનના દિવસનો ટ્રેન્ડિંગ ટોપિક છે એથી વિશેષ કંઈ નથી એવું મને લાગે છે. એવું નથી કે રોજ યોગ, કસરત કે મેડિટેશન કરનારા નથી. કરે જ છે ઘણા લોકો પરતું આ દિવસે જો તમે કોઈ વિચિત્ર આસન કરેલ ફોટો સોશિયલ મીડિયા પર ન મૂકો તો તમે યોગી નથી. વિશ્વ યોગ દિવસની નિંદા કરવાનો મારો કોઈ ઉદ્દેશ નથી. વળી કેટલાક કહેશે કે દરેક દિવસ તો વર્ષે એક વાર જ ઉજવાતો હોય છે. એમાં વળી નવું શું છે? શું દિવાળીના ફટાકડા આખું વર્ષ ફોડી શકાય? શું પિચકારી લઈને આખું વર્ષ ધૂળેટી રમવાની તાકાત છે? શું આખું વર્ષ આપણે પતંગ ચગાવીને ઉતરાયણ મનાવીએ છીએ? બસ એમ જ યોગ દિવસ એક જ દિવસ મનાવવાનો હોય. વાત પૂરી. તહેવારો અને ઉત્સવો આપણા જીવનને રંગીન બનાવે છે. પણ યોગ દિવસ એ કોઈ તહેવાર કે ઉત્સવ નથી. યોગ દિવસ એ દર વર્ષે આવતું એક રીમાઇન્ડર છે. યોગ એ જીવન જીવવા માટેનું એક મેઇન્ટેનેન્સ મેન્યુઅલ છે. યોગના આઠ...