Skip to main content

બેઇમાન દુનિયાનું પ્રામાણિક ભવિષ્ય: રોબોટ્સ

       
        માનવહિતો નું રક્ષણ શેમાં છુપાયેલું છે!? પોતાની આવડત અને અવળચંડાઈ વચ્ચે ની પાતળી ભેદરેખાને ભૂંસીને આગળ વધી ગયેલો આજનો સુપર ડુપર હ્યુમન શું ખરેખર એ જ મેળવી રહ્યો છે જેની આદિમાનવે વર્ષો પહેલા શરૂઆત કરી હતી? ડાર્વિન કાકા ના મત મુજબ એ વાત તો એકદમ સાચી જ માનવી પડે કે જ્યારે જ્યારે જીવ ના અસ્તિત્વ સામે જોખમ ઉભું થાય ત્યારે ત્યારે જીવ  પોતાનામાં એવી નવી આવડત, અનુકૂલન, ચાલાકી... વગેરે વગેરે ઉભું કરીને પ્રતિકુળતાને ચેલેન્જ ફેંકે છે. હવે જોવું એ રહ્યું કે આ સ્વરક્ષણ માટે ઉભી કરાયેલી આવડત છે કે પછી પોતાના સ્વાર્થને ખાતર અનુકૂળ પરિસ્થિતિ માં પણ આ આવડતને પ્રયોજીને માનવ પોતાની ચલાકીનો લાભ (ગેરલાભ) લઈ રહ્યો છે. બસ,બહુ થઈ ફિલોસોફીકલ વાતો. હવે સીધા જ ટેકનિકલ પોઇન્ટ પર આવીએ. માનવ આવિશ્કૃત યંત્રમાનવ (રોબોટ) શુ ખરેખર માનવ નો પર્યાય બની રહેશે ? જી ના, હું કોઈ સાઉથ કે હોલીવુડ ની ફિલ્મો ની સ્ટોરી લાઈન ને રેફરન્સ મુકવાનો નથી. પણ હા આવી સાયન્સફિક્શન સ્ટોરી લખવા વાળાની ફિલોસોફી ને દાદ તો દેવી જ પડે. સાંભળ્યું છે કે રોબોટ્સ આપણી ઘણી બધી નોકરીઓ ને હડપ કરી જવાના છે, લગભગ કરી ગયા છે. શુ આ બાબત નું કોઈ સામાન્ય કારણ પૂછવામાં આવે તો તમે જવાબ આપી શકશો? હા, બહુ સરળ. રોબોટ્સ ખરેખર સુવિધાજનક અને ઓછા ખર્ચાળ છે, માનવ સંશાધન ની સાપેક્ષે. હાલમાં જ સોફિયા નામના પ્રથમ રોબોટ્સને સાઉદી અરેબિયાની નાગરિકતા મળ્યા બાદ આપણા ભારતની મુલાકાત લેવા પહોંચી ગઈ હતી. (પહેલા આદમ કે પહેલા ઇવ એ જવાબ પણ તમને કદાચ સોફિયા પાસેથી મળી ગયો હશે.)

        વાત અહીં ફક્ત આપણે આપણી સુવિધા પૂરતી જ સીમિત રાખીને આગળ વધી રહયા છીએ, એવું નથી. ખરેખર કદાચ હવે માનવ માનવ થી જ કંટાળી ગયો છે. શુ તમને તમારા સાથી કર્મચારી પર ભરોસો છે? એ તો બહુ દૂરની વાત કરી નાખી આપણે, શુ તમને તમારા પર ભરોસો છે!? ના, હું વિશ્વાસ થી કહી શકું કે આપણે આપણા ખુદ ના માટે જ ચોક્કસ નથી કે આપણે શું કરી બેસવાના. પણ આ રોબોટ્સ બિલકુલ આવડત પ્રમાણે જ વર્તશે જે એને કહેવામાં આવ્યું છે. કહેવામાં તો માનવ ને પણ ઘણું આવ્યું છે જ્યારે ઈશ્વરે તેને આ ધરતી પર મોકલ્યો. અને કદાચ એટલે જ નવું જન્મતું બાળક એ સંદેશો લઈને આવે છે કે હજુ ઈશ્વર માનવજાત થી કંટાળી નથી ગયો. હજુ કદાચ થોડી આશા બાકી છે. પણ માનવ માનવ થી કંટાળી ગયો છે અને લગભગ ત્રાસી ગયો છે એમ કહેવામાં પણ અતિશયોક્તિ નહી લાગે. ભ્રષ્ટાચારના ભરડામાં માણસ ઓશિયાળો બની ગયો છે. આ સમય માં હવે કદાચ આ યંત્રમાનવ જ એક સારો વિકલ્પ બની રહે તો નવાઈ નહીં. હા, માણસ ની અવળચંડાઈ પર પુરેપુરો ભરોસો એટલે આ યંત્રમાનવ ને પણ છેવાડે મૂકી શકે એવી શૈતાની તાકાત ખરી એમની પાસે.

        ભ્રષ્ટાચાર ની ભીંસમાં આજે કોઈ કોઈ પર ભરોસો કરી શકે એવી પરિસ્થિતિ નથી. કદાચ તમે પણ પોતાના ડાબી બાજુની છાતી પર હાથ મૂકીને દ્રઢપણે નહીં કહી શકો કે હું પ્રામાણિક છું અને ગમે તેવી પરિસ્થિતિમાં રહીશ. કદાચ આ સિસ્ટમ જ તમને પ્રેરસે કે બસ હવે બહુ રમ્યા પ્રામાણિક પ્રામાણિક, જો આ દુનિયામાં ટકી રહેવું હોય તો હવે તારે તારા સિદ્ધાંતોથી ઉપર ઉઠવું જ પડશે. ક્યાં સુધી તમે મક્કમ રહી શકો? આવી પરિસ્થિતિમાં તમે માત્ર રોબોટ્સ પર ભરોસો મૂકી શકો કારણ તેના પ્રોગ્રામમાં તમે ઈમાનદારી ભરી છે. જોકે સોફિયા જેવા લાગણીદર્શક રોબોટ્સ પણ ધીમે ધીમે આવશે પણ જ્યાં સુધી તેનો ડેટાબેઝ ભ્રષ્ટાચારથી મલીન નહીં થાય અથવા તો મલીન નહીં કરવામાં આવે ત્યાં સુધી એ જ ઉત્તમ વિકલ્પ માની શકાય. મેન્યુફેક્ચરિંગ થી માંડીને રિશેપશનિસ્ટ સુધીની નોકરીઓ પર પહેલેથી જ જાપાન જેવા દેશો માં રોબોટ્સ ની બોલબાલા વધી છે તો સિક્યુરિટી ગાર્ડ અને એકાઉન્ટન્ટ જેવા પ્રોફેશનમાં પણ રોબોટ્સ માનવને ટક્કર આપી રહ્યા છે. જાપાન જેવા દેશોમાં વધી રહેલો રોબોટ્સ નો ઉપયોગ તેની પ્રમાણિકતાના સ્તર પર અસર કરી રહ્યો છે અને લગભગ એ બાબત સ્પષ્ટ આપણે તેના વિકાસદરમાં જોઈ શકીએ છીએ. ડિજિટલ ઇન્ડિયાના આ યુગ માં આજનો વામણો સરકારી કર્મચારી હોય કે સામાન્ય ઘરનો નોકર હોય બધા જ સીસીટીવી કેમેરા નીચે ખૂબ જ અસુરક્ષિત અનુભવ કરે છે. ખરેખર તો આ ટેકનોલોજી આપણી સુરક્ષમાટે છે તો પછી આવું કેમ? આવુ એટલા માટે કે તમે વ્યક્તિ પર નહીં પણ તેની ઈમાનદારી પર કેમેરા લગાવી રહ્યા છો કેમકે તમને ગળા સુધી તેમની ઈમાનદારી ઉપર શક છે અને એ સ્વાભાવિક પણ છે આ જમાનામાં. બાયોમેટ્રિક જેવી સામાન્ય ટેક્નોલજી પણ માણસ ને સમયસર દફતર આવવામાટે મજબૂર કરી રહી છે. તો હજુ સમય છે ચેતી જાવાનો. આજના તમારા સેવક રોબોટ્સ કાલે તમારા બોસ બનીને તમારી પાસે ગીતાકથ્ય કર્મ કરાવે એ પહેલા જ જાગી જઈએ તો સારું છે.

         હવે આપણો દ્રષ્ટિકોણ ફક્ત ઉત્તમ સુવિધા અને ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી આરામદાયક જીવન પૂરતો મર્યાદિત નથી રહેવાનો પણ આપણા નૈતિકમુલ્યોના જતન માટે પણ ધીમે ધીમે આ રોબોટ્સ તરફ વહેલું કે મોડું આપણે વળવું તો પડશે જ. કાલે ઉઠી ને કદાચ આ રોબોટ્સ આપણા પર હાવી થઈ જવાની બીકે આપણે આપણી જાત પર જ હાવી થઈ જવાના છીએ તો ખરેખર ભારત જેવા દેશમાં નૈતિકમુલ્યોને પાયાથી બચાવી લેવા હોય તો ઈમાનદાર માણસ કરતા એક યંત્રમાનવ પર ભરોસો મૂકી શકાય. કાલે સવારે ઉઠશુ તો માનવ કદાચ બધા જ કામમાંથી નવરો થઈ ગયો હશે, એક પણ નોકરી માટે તે લાયક નહીં રહે અને બેરોજગરીમાં અધિક માસ તો આવશે જ જો આવી યાંત્રિક નૈતિકતા તરફ દુનિયા પગલું ભરશે તો. કદાચ આ ડર થી જ માનવ સુધરી જાય અને પોતાનું કર્મ પૂરેપૂરી પ્રામાણિકતા થી કરે એવી જ હાસ્યાસ્પદ ઈચ્છા અત્યારે તો કરી શકાય.

Comments

Post a Comment

Popular posts from this blog

વાર્તા રે વાર્તા: એક જંગલ હતું.

  એક જંગલ હતું. રાજા તો સિંહ જ હોય. જંગલમાં બધા પ્રાણીઓ રાજા ના ગુણગાન કરતા કારણ કે તેને ખબર હતી કે જેટલા ગુણગાન કરીશું તેટલા રાજાના શિકાર બનવાથી બચી શકાય એમ છે. સિંહને પણ શિકારની સાથે સાથે જંગલના પ્રાણીઓના સાથની જરૂર હતી જેથી કરીને એ બીજા જંગલના રાજા વાઘ તથા નદીઓના રાજા મગરમચ્છ પાસે પોતાના જંગલના સુખી સામ્રાજ્યની મોટી મોટી વાતો કરી શકે.  પરંતુ આમ કરતા કરતા તેને લાગ્યું કે હું ખુલ્લેઆમ પ્રાણીઓનો શિકાર નહિ કરી શકું, નહિ તો સિંહની ઈમેજ બગડી શકે છે જંગલમાં. એટલે તેણે જંગલના ઝરખ ને બોલાવ્યું. ઝરખને ઑફર કરી કે આમ પણ તું વધેલો શિકાર જ ખાઈને ગુજરાન ચલાવે છે, જાતે તો સારો શિકાર કરી શકતો નથી. તેના કરતાં સારું છે કે તું દરરોજ નિયમતપણે મારી પાસે એક પ્રાણીને લઈ આવ, હું ખાઈ લઉં પછી બાકી વધે એ તમારું અને તમારે ક્યાંય દરરોજ એઠવાડ માટે આંટા પણ મારવા ન પડે. ઝરખ તો તેની ટીમ  સાથે સહમત થઈ ગયું. ઝરખ ક્યારેક સસલાંને તો ક્યારેક ગાય, ભેંસને તો ક્યારેક કૂતરા કે હરણાંને વાતોમાં પરોવીને કોઈને ખબર ના પડે એવી રીતે છુપી રીતે સિંહની ગુફામાં લઈ જાય. પછી જેવી સિંહ પોતાની મિજબાની પુરી કરે એટલે વધેલું ઝરખ...

એડોલ્શન્સ: ટીનેજર સ્ટોરી કે પેરેન્ટિંગ ડોક્યુમેન્ટ્રી!?

                         વેબસિરિઝ: એડોલ્શન્સ             કેરેકટર: એડવર્ડ મિલર અને લ્યુક બેસકોમ્બ ચાર એપિસોડ વાળી અને દરેક એપિસોડ શરૂઆતથી અંત સુધી સિંગલ શોટમાં શૂટ થયેલી મિનિસિરિઝ આમ તો એકદમ બોરિંગ છે અને એકદમ સ્લો છે પણ જો તેને તમે એક ટીનેજરની લાઇફ આસપાસની ડોક્યુમેન્ટ્રી તરીકે જુઓ તો આ સિરીઝમાં ઘણો રસ પડશે. આ સિરીઝ શરૂ થાય ત્યારે એવું લાગે કે સસ્પેન્સ થ્રિલર છે પણ હકીકતમાં આ સિરીઝમાં આપણે જે નોર્મલ જોઈએ છીએ એવી ઘટના અંગેનું સસ્પેન્સ છે જ નહી પરતું આ ઘટનાનો જન્મ કેવી રીતે થયો તેના તાણાવાણા પર જ ચાર એપિસોડ ચાલે છે. ઘટનાના મૂળ સુધી જવામાં ટીનેજરના મનોવૈજ્ઞાનિક આવેશો, સોશિયલ મીડિયા, સ્કૂલ કલ્ચર, પોર્નોગ્રાફી આ બધું પેરેન્ટિંગ પર કઈ રીતે પાણી ફેરવે છે તેના પડ ધીમે ધીમે ખુલે છે. આગળ નાના મોટા સ્પોઇલર છે પણ તેનાથી સિરીઝ જોવામાં કોઈ ખાસ અસર નહી પહોંચે, જો તમે સિરીઝને ડોક્યુમેન્ટ્રી તરીકે લેવાના હો તો. સિરીઝનું નામ ભલે એડોલ્શન્સ હોય પણ ખરેખર તો આજે વાત આ ટીનેજરની નહીં પણ તેના એડલ્ટ પિતાની કરવા...

કોવિશિલ્ડ વેક્સિનનો બીજો ડોઝ 28 દિવસે લઉં કે 42 દિવસે?

" વેક્સિનનો બીજો ડોઝ 28 દિવસે લઉં તો શું વાંધો ?"   અત્યાર સુધીમાં ગયા મહિને પ્રથમ ડોઝ લીધેલા ઘણાં લોકોના અત્યારે 28 દિવસ પુરા થઈ ગયા છે કે થવા આવ્યા છે . ત્યારે બધાના મનમાં ફરીથી એક નવી ગૂંચવળ ઉભી થઇ છે કે હવે આ બીજા ડોઝનું અંતર પંદર દિવસ મોડું કરવાનું કારણ શું ? શું સરકાર પાસે પૂરતી રસી નથી એટલે આવા પોતાના નિયમો લાવી રહી છે ? હું જો બીજો ડોઝ મોડો લઇશ તો એ પહેલાં મને કોરોના થઈ જશે તો ? આવા પ્રશ્નો સાથે વેક્સિનેશન સેન્ટર પર આવતા લોકો અવઢવમાં તો હોય જ છે પણ સાથે થોડો ગુસ્સો અને વિશ્વાસ પણ ડગેલો જોવા મળે છે .   સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ કોવેક્સિનનો બીજો ડોઝ હજુ 28 દિવસના અંતરે જ છે ( અને તેની પણ ભવિષ્યમાં દોઢ થી ત્રણ મહિને થવાની પુરી શક્યતા છે ) અને કોવિશિલ્ડનો બીજો ડોઝ ફેરફાર કરીને 42 થી 56 દિવસના અંતરે આપવાનું નક્કી થયું છે . આ વાતનો પ્રસાર પ્રચાર છાપાઓમાં અને ટીવીના સમાચારોમા થયો જ છે પરંતુ આમ છતાં કેટલાક લોકોના પ્રથમ ડોઝ...