Skip to main content

કોરોનાનો માનવજાતને પત્ર...

 


મારા પ્રાણપ્રિય હોમો સેપિયન્સ


જય વાયરસ સહ જણાવવાનું કે આપબધા વહેમકુશળ હશો, અમે પણ અહીં ક્ષેમકુશળ છીએ. આપ લોકોએ અમને જે રીતે આદર અને આશરો આપ્યો છે તેના માટે સમગ્ર વાયરસ સમાજ આપનો સદાય ઋણી રહેશે. આપ લોકોના સાથ સહકારથી અમારા બાળકો આજે વૃદ્ધિ પામી રહ્યા છે અને જુદા જુદા દેશો અને દરેક ક્ષેત્રમાં પોતાનો દબદબો બનાવી રહ્યા છે. આના માટે સમગ્ર માનવસમાજે અમને જે સહકાર આપ્યો છે તે ખરેખર પ્રશંસનીય છે. આમારા કોરોના સમાજ માટે આ એક ગૌરવની વાત છે કે કોઈ પણ વાયરસ જાતિને માનવે આટલી નથી અપનાવી જેટલી અમને અપનાવી છે. સાચું કહું તો બીજી વાયરસ જાતિઓને પણ આપણા ગાઢ સંબંધોની ઈર્ષ્યા થાય છે.


થોડા સમય પહેલા જ અમારી સ્વાઈન ફલૂ કાકા સાથે વાત થયેલી ત્યારે તેણે અમને કહેલું કે જો તમારે તમારું અસ્તિત્વ ટકાવવું હશે તો બીજા પશુ પંખીઓમાં પોતાનો સમય બરબાદ ન કરતા સીધા હોમો સેપિયન્સને જ તમારો આશરો બનાવજો. વડીલોની વાતોમાંથી ખરેખર ઘણું શીખવા જેવું હોય છે. એમ તો બર્ડ ફલૂ દાદાએ પણ અમને આડકતરો એ જ સંદેશો આપેલો કે પંખીઓમાંથી જ્યારે મેં મારું ઘર માણસજાતમાં શિફ્ટ કર્યું ત્યારે ખબર પડી કે સાચી લકઝરી તો અહીંયા જ છે. પણ બેટા મારે થોડું ઘર બદલવામાં મોડું થઈ ગયેલું એમાં એ લોકોએ પોતાના ઘરમાં અમે ના પ્રવેશી શકીએ એવા અવનવા ટોટકા શોધી કાઢેલા. બસ આ પરથી જ અમે બોધ લીધો કે અમે ભલે ગમે ત્યાં જન્મ્યા હોય, અમારું ઘર તો તમે જ છો અને રહેશો.


અમારા સમાજે દેશ વિદેશોના પ્રવાસો કર્યા છે પણ સૌથી સારી મહેમાનગતિ અમારી ભારત દેશમાં જ થઈ છે. તમે લોકોએ જે પ્રેમથી તમારા માસ્ક નીચે ઉતારી ઉતારીને અમને તમારા શ્વાસે શ્વાસમાં જગ્યા આપી છે એવું તો કોઈ વીર જ કરી શકે છે. અમે પહેલા જ સાંભળેલું કે ભારત એ તો વીરોનો દેશ છે પણ જ્યારે અહીં આવ્યા ત્યારે ખરેખર આ હકીકતનો અમે સાક્ષાત્કાર કર્યો. આ દેશના લોકોની વિચારધારાને કારણે એક તબક્કે અમને લાગેલું કે ક્યાંક અમે એક જ મહિનામાં આ દેશના રાશન કાર્ડમાંથી નીકળી ના જઈએ પણ પછી ધીમે ધીમે જેમ જેમ અમને કેટલાક મૂર્ખ લોકોનો સહકાર મળતો ગયો તેમ તેમ અમે એ લોકોના આધારે આ જ દેશનું આધારકાર્ડ કઢાવી લેવાનું નક્કી કરી લીધું. આ દેશના કેટલાક રાજ્યોને તો અમારા સમાજના કેટલાક મોભી વાયરસોએ પોતાનું કાયમી સરનામું આધારકાર્ડમાં નોંધાવી દીધું છે. 


અમારા ફલૂ વાયરસ ધર્મમાં અમે કોરોના સમાજે જે નામના મેળવી છે એ આ દેશે આપેલા વિશેષ અનામત દરજ્જા વગર શક્ય ન હતું. આમ તો અમારી કેપેસિટી બીજા ફલૂ વાયરસો જેટલી જીવલેણ ન હતી પરંતુ તમે લોકોએ અમારા માટે તમારું જીવનધોરણ નીચે કરીને અમને ઓછા મેરિટમાં પ્રવેશ આપ્યો તેના હિસાબે આજે અમે અમારી બીજી દરેક વાયરસ જાત સામે માથું ઉંચું કરીને ચાલી શકીએ છીએ. જોકે આ બાબતે અમે તમારા આગેવાનોના પણ એટલા જ આભારી છીએ કે જેણે પોતે જ કેટલીક મૂર્ખામી ભરેલી આદતોનો પ્રચાર કરીને તમને પણ મૂર્ખ થવા પ્રેરણા આપી. આ આગેવાનોએ અમારા માટે મકાનના દલાલો જેવું કામ કર્યું. જ્યારે પણ જરૂર પડી ત્યારે આ લોકોએ એક જ જગ્યાએ અમારા માટે ઘણા બધા મકાનોની ચોઇસ આપી અને બહુ સરળતાથી અમારા મિત્રોએ આ જીવતા મકાનોમાં ગૃહ પ્રવેશ કર્યો. જ્યારે જરૂર પડી ત્યારે આ આગેવાનોએ પોતાના શરીરમાં અમને આશરો આપ્યો પણ અમને બેઘર થવા ન દીધા.


આમ તો અમારો કોરોના સમાજ મોટેભાગે કોઈ પણ મકાનમાં 14 દિવસના બોન્ડ પર ભાડે રહેવા ટેવાયેલો છે. આમ છતાં જો કોઈ માસ્ક ડિસલોકેશન સિન્ડ્રોમ ધરાવતું પ્રવેશદ્વાર મળે, સિગારેટના ધુમાડાથી પેઇન્ટ થયેલી ફેફસાંની દીવાલો મળે, બ્લોક થવાના આરે હોય એવી લોહીની પાઇપલાઇન મળે અને જો અધૂરામાં પૂરું સાથે સાથે મધુપ્રમેહની મીઠાશ મળે તો અમને અમારા પૂર્વજોના સોગંધ કે અમે એ ઘરને શિવચરણે ભેટ ધરવામાં અચકાતા નથી. આમ છતાં અમે એટલા અભિમાની નથી કે આવું ઘર હોય તો જ ફાવે. કોઈ પણ છાપરું મળી જાય તો અમે ચલાવી લઈએ છીએ. અમે બસ તમારી જેમ પોતાની જ ચિંતા નથી કરતા પણ અમે અમારી આવનારી પેઢીઓનું વિચારીને ચાલીએ છીએ. એટલે જ ગમે તેવા મકાનમાં પણ આશરો લઈને અમારા બાળકોને મુક્ત ગગનમાં વિહરતા કરીએ છીએ પછી ભલે અમારો પોતાનો અંત એ જ મકાનમાં લખાયેલો હોય.


હે મહાન હોમો સેપિયન્સ! આપના આચાર, વિચાર અને વર્તનને કારણે તમે જે અમને સહકાર આપ્યો છે એ સદીઓ સુધી ભૂલી શકાય એમ નથી. તમારા કેટલાક બુદ્ધિશાળી લોકોએ અમને ખૂબ જ હેરાન કર્યા છે, સેનિટાઈઝર અને સાબુથી અમારો કત્લેઆમ કર્યો છે. વળી તમારા કેટલાક સૈનિકોએ તો અમને ભાડાના મકાનમાં પણ સુખેથી રહેવા નથી દીધા અને વળી પોતે પણ પોતાનું મકાન એવી રીતે પેક કરીને ફરે છે કે અમને અંદર ઘૂસવાનો કોઈ અવકાશ જ નથી રહેતો. આ લોકોએ પોતાના વેન્ટિલેટર અને ઓક્સિજન તેમજ કેટલાક કેમિકલ શસ્ત્રો વડે અમારો સામનો ખૂબ સાહસથી કર્યો. પણ આ સૈનિકોની સંખ્યા આંગળીના વેઢે ગણાય એટલી જ હતી જ્યારે આપ જેવા મૂર્ખાઓ અમને અપરંપાર મળી રહેતા હતા. એટલે અમે અમારા ઇરાદામાં કંઈક અંશે સફળ રહ્યા. એમાં પણ તમારી કેટલીક અંધજમાતે અમારા વિશે ડિજિટલ માર્કેટિંગ સંભાળીને અને અફવાઓ ફેલાવીને આ લડાઈમાં જોડાયેલા તમારા પોતાના સૈનિકોને જ શંકાના ઘેરામાં લાવીને જે મદદ કરી છે તે ખરેખર અમારી જીતમાં ઉડીને આંખે વળગી રહી છે. આ મદદમાં શિક્ષિત મૂર્ખ માનવ સમાજનો ફાળો પણ અવગણી શકાય એમ નથી. આવી રીતે તમે ભલે માનવજાતના દ્રોહી સાબિત થાઓ પણ અમારા માટે તો તમે એક સાચા મિત્રો જ રહેશો.


અંતે બસ એટલું જ કહીશ કે આવનારા દાયકાઓમાં પણ અમારી આવનારી પેઢીઓને તમે આવા જ પ્રેમથી વધાવી લેશો એવી આશા સહ જય વાયરસ જય કોરોના.


લી. 🙅કોરોના કાયમ રહે🙅


સુપર ઓવર: કોરોના વાયરસની એક વાત મને બહુ ગમી. તેણે કોઈપણ પ્રકારના ભેદભાવ વગર ડોનાલ્ડ ટ્રમ્પથી લઈને ધારાવીની ઝૂંપડપટ્ટી સુધી દરેકને આવકાર્યા.


Comments

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. Waah bhai waah....aaj divas sudhi Corona mate je lakhayu ane vanchyu che, ema best....maja padi gai

    ReplyDelete
  3. Very nice..

    ReplyDelete
  4. Resham na kapda ma lapetine pathra Marya 6....liked it

    ReplyDelete
    Replies
    1. 😀😀 The most unique feedback I've received...

      Delete
  5. Very good letter.. Appreciable writing style... and beauty of words

    ReplyDelete
  6. Very good letter.. Appreciable writing style... and beauty of words

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

દવાઓ બેફામ: વરદાન કે અભિશાપ?

હોસ્પિટલ ફાર્માસિસ્ટ તરીકે નોકરી કરવી એ શરૂઆતના દિવસોમાં ખૂબ જ ધીરજ માંગી લે એવું કામ હતું.  કેમ? કારણ કે જે પણ એકેડેમિક નોલેજને બસ ઇમ્પ્લીમેન્ટ કરવાની તૈયારી કરતો હતો એ જ એકેડેમિક અહીં પેંડેમીક બનીને ઉભું હતું. આ પેંડેમીક એટલે દવાઓનો બેફામ ઉપયોગ. ના માત્ર એન્ટિબાયોટિકસ જ નહીં પણ સ્ટીરોઇડ્સ, પેઈન કિલર, એન્ટાસિડ દરેકનો આ જ હાલ હતો અને છે. એવું નથી કે આવું ફક્ત ગ્રામ્ય કક્ષાએ જ છે. મોટા શહેરોમાં પણ ઝડપથી સાજા થવાની લ્હાયમાં આવા દવાઓના બેફામવેડા ચાલુ જ છે. એલોપેથી દવાઓ ઝડપથી રાહત કરવા માટે પ્રખ્યાત છે પણ હવે લોકોની ધીરજ અને સહનશક્તિ એટલી હદે જવાબ દઈ ચુકી છે કે આ એલોપેથીની ઝડપ પણ તેને હવે ઓછી લાગે છે. આવા સમયમાં આયુર્વેદ થેરાપીની તો વાત જ કેમ કરવી? આયુર્વેદ ધીમી સારવાર માટે ભલે જાણીતું હોય પરંતુ તેની દરેક સારવારના પરિણામ ધીમા જ મળે એવું જરૂરી નથી હોતું. પણ આમ છતાં આયુર્વેદનો ચાર્મ હાલ તો એલોપેથી ની સાપેક્ષે ખૂબ જ પાછળ છે. વળી, મહેરબાની કરીને કોઈ હોમીઓપેથી, નેચરોપેથી કે યુનાની જેવી પધ્ધતિઓ ની તો વાત જ ન કરતા. એ તો હજુ લોકપ્રિયતાની એરણ પર જોજનો દૂર છે. અહીં વાત અસરકારકતાની નહ...

સાયનોકોબાલની મોટી બબાલ: અથ શ્રી વિટામિન B12 કથા

  "તમારામાં વિટામિન B12ની ખામી છે, દવાનો કોર્સ કરવો પડશે." આવી વાતો આજકાલ કોમન થઈ ગઈ છે. તેનાથી પણ વધુ પ્રચલિત થયા છે એકાંતરા વાળા વિટામિન B12ના ઇન્જેક્શન. વળી હવે તો આ ઇન્જેક્ટેબલ સારવાર પણ OTC (ઓવર ધ કાઉન્ટર) બનતી જાય છે. એટલે જ્યારે પણ ભળતાં લક્ષણો જોવા મળે તો લગાઓ B12. વિટામિન D પછી સૌથી વધુ કોઈ વિટામીનની ખામી માણસોમાં જોવા મળે છે તો એ છે વિટામિન B12 જેને સાયનોકોબાલામાઈન ના હુલામણાં નામથી પણ બોલાવામાં આવે છે. 🤔 પણ આ B12 શા માટે આટલું જરૂરી છે? તેના વગર ચાલે એમ નથી? એવું તો શું કામ કરે છે આ VIP વિટામિન?  વિટામિન B12 એ આપણા DNA એટલે કે આપણો પાયો બાંધવામાં સૌથી મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત આપણા RBC એટલે કે રક્તકણોનું નિર્માણ થવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે. શરીરમાં એનર્જી પ્રોડ્યુસ કરતી કેટલીક ક્રિયાઓમાં જરૂરી ઘણા બધા ઉદ્દીપક (enzymes) ના બનવા માટે પણ આપણું લાડકવાયું વિટામિન B12 જ ભાગ ભજવે છે. ચેતાતંતુઓમાં પણ સંવેદનાના વહન માટે B12 જ મેઇન્ટેનન્સ પાર્ટનર તરીકે કામ કરે છે. મગજ જેવા મૂળભૂત અંગોનું સારી રીતે સંચાલન કરવા બદલ પણ હે વિટામિન B12! આપનો ખૂબ ખૂબ આભાર. 😱 ...

એડોલ્શન્સ: ટીનેજર સ્ટોરી કે પેરેન્ટિંગ ડોક્યુમેન્ટ્રી!?

                         વેબસિરિઝ: એડોલ્શન્સ             કેરેકટર: એડવર્ડ મિલર અને લ્યુક બેસકોમ્બ ચાર એપિસોડ વાળી અને દરેક એપિસોડ શરૂઆતથી અંત સુધી સિંગલ શોટમાં શૂટ થયેલી મિનિસિરિઝ આમ તો એકદમ બોરિંગ છે અને એકદમ સ્લો છે પણ જો તેને તમે એક ટીનેજરની લાઇફ આસપાસની ડોક્યુમેન્ટ્રી તરીકે જુઓ તો આ સિરીઝમાં ઘણો રસ પડશે. આ સિરીઝ શરૂ થાય ત્યારે એવું લાગે કે સસ્પેન્સ થ્રિલર છે પણ હકીકતમાં આ સિરીઝમાં આપણે જે નોર્મલ જોઈએ છીએ એવી ઘટના અંગેનું સસ્પેન્સ છે જ નહી પરતું આ ઘટનાનો જન્મ કેવી રીતે થયો તેના તાણાવાણા પર જ ચાર એપિસોડ ચાલે છે. ઘટનાના મૂળ સુધી જવામાં ટીનેજરના મનોવૈજ્ઞાનિક આવેશો, સોશિયલ મીડિયા, સ્કૂલ કલ્ચર, પોર્નોગ્રાફી આ બધું પેરેન્ટિંગ પર કઈ રીતે પાણી ફેરવે છે તેના પડ ધીમે ધીમે ખુલે છે. આગળ નાના મોટા સ્પોઇલર છે પણ તેનાથી સિરીઝ જોવામાં કોઈ ખાસ અસર નહી પહોંચે, જો તમે સિરીઝને ડોક્યુમેન્ટ્રી તરીકે લેવાના હો તો. સિરીઝનું નામ ભલે એડોલ્શન્સ હોય પણ ખરેખર તો આજે વાત આ ટીનેજરની નહીં પણ તેના એડલ્ટ પિતાની કરવા...

એક દિવસનો યોગ કેમ ભગાડે રોગ?

21 જૂનના રોજ આપણે યોગદિવસ મનાવી લીધો. આમ જોઈએ તો યોગાસન દિવસ મનાવી લીધો. યોગને વિશ્વ સ્તરે લાવનાર આપણે એ જ ભૂલી ગયા કે યોગ એટલે ફક્ત યોગાસન જ નહીં. યોગ આઠ અંગોનું બનેલું છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, આહાર, પ્રત્યાહાર, ધ્યાન, સમાધિ.  યોગ એ 21 જૂનના દિવસનો ટ્રેન્ડિંગ ટોપિક છે એથી વિશેષ કંઈ નથી એવું મને લાગે છે. એવું નથી કે રોજ યોગ, કસરત કે મેડિટેશન કરનારા નથી. કરે જ છે ઘણા લોકો પરતું આ દિવસે જો તમે કોઈ વિચિત્ર આસન કરેલ ફોટો સોશિયલ મીડિયા પર ન મૂકો તો તમે યોગી નથી. વિશ્વ યોગ દિવસની નિંદા કરવાનો મારો કોઈ ઉદ્દેશ નથી. વળી કેટલાક કહેશે કે દરેક દિવસ તો વર્ષે એક વાર જ ઉજવાતો હોય છે. એમાં વળી નવું શું છે? શું દિવાળીના ફટાકડા આખું વર્ષ ફોડી શકાય? શું પિચકારી લઈને આખું વર્ષ ધૂળેટી રમવાની તાકાત છે? શું આખું વર્ષ આપણે પતંગ ચગાવીને ઉતરાયણ મનાવીએ છીએ? બસ એમ જ યોગ દિવસ એક જ દિવસ મનાવવાનો હોય. વાત પૂરી. તહેવારો અને ઉત્સવો આપણા જીવનને રંગીન બનાવે છે. પણ યોગ દિવસ એ કોઈ તહેવાર કે ઉત્સવ નથી. યોગ દિવસ એ દર વર્ષે આવતું એક રીમાઇન્ડર છે. યોગ એ જીવન જીવવા માટેનું એક મેઇન્ટેનેન્સ મેન્યુઅલ છે. યોગના આઠ...

પાબ્લો એસ્કોબાર એટલે દસ માથા વાળો રાવણ

વેબ સિરીઝ: નાર્કોસ  કેરેક્ટર: પાબ્લો એસ્કોબાર  નાર્કોસ સિરીઝ જોઈ હોય તો નીચેના શબ્દો સાથે વધુ તાદાત્મ્ય સાધી શકશો પણ જો ના જોઈ હોય તો કોઈ ચિંતા નથી, એવા પણ કોઈ ખાસ સ્પોઇલર નથી લખ્યા કે જે તમારી સિરીઝ જોવાની મજા બગાડે. સો પ્લીઝ કન્ટીન્યુ. નાર્કોસની વેબ સિરિઝોમાં પાબ્લોનું જે રીતે ચરિત્ર ચિત્રણ કરવામાં આવ્યું છે એ જોઈને ઉપરનું ટાઈટલનું વાક્ય તરત જ મારા મગજમાં ગુંજે. બાયોપિક હોય એટલે જરૂરી નથી કે બેઠેબેઠી જિંદગી ચિતરેલી હોય, પણ હા જે પણ સાહિત્ય કે મીડિયામાં ઉપલબ્ધ ઇતિહાસ હોય એ તમામનો નિચોડ કાઢીને તેને સ્ટોરીલાઈનમાં ફીટ કરીને પરોસેલું હોય. એટલે કે કેટલીક વાતો સ્ત્રીઓની ઓટલા પરિષદની જેમ કે'તો 'તો 'ને કે'તી 'તી ની જેમ મસાલેદાર બનાવેલી હોઈ શકે. આ બાબતને નજરઅંદાજ કરીને ફક્ત આ સિરીઝમાં દેખાતા પાબ્લોની વાત કરવી છે પાબ્લોની જિંદગી જોઈને દાઉદ પણ તેની પાસે નાનું બચ્ચું લાગે, એવી ભાયાનક ક્રુર અને છતાં પણ ક્યારેક દયા આવે એવું વ્યક્તિત્વ છે. જ્યારે જ્યારે એ ડ્રગ્સની સાથે સાથે હિંસા અને રાજકારણમાં અરાજકતા સર્જે છે ત્યારે ત્યારે એ દસ માથા વાળો રાવણ જ લાગે. પણ જ્યારે જ્યારે તેના ...