Skip to main content

ફાસ્ટ ફૂડ એટલે મેન્ટલ હેલ્થનું બ્લાસ્ટ ફૂડ


જીભનું પ્રિયતમ પણ જીવ માટે યમ એવા તસતસતા જંક ફૂડ કે ફાસ્ટ ફૂડ દ્વારા થતી આપણા શરીરની ખાનાખરાબી તો આપણે જાણીએ જ છીએ અને આંખ આડા કાન કરીને આ જંક ફૂડને આટલું નુકશાનકર્તા હોવા છતાં આપણા શરીર રૂપી ઘરના પાટલે બેસાડીએ છીએ. એમાં શું નવું છે? સિગારેટ તમાકુ કદાચ આ જંક ફૂડથી વધુ ઘાતક હોવા છતાં આપણે તેને આટલી નવાબીથી નથી નવાજતા જેટલું આપણે જંક ફુડને વ્હાલ આપીએ છીએ!


જંક ફુડ નુકશાનકારક છે એ બધાને ખબર જ છે એટલે અહીં કોઈ સિક્રેટ શેર કરવાનો નથી. પણ હા કેવી રીતે નુકશાન કરે છે એ કદાચ તમને કહીશ તો આશ્ચર્ય થશે!


જીભ માટે તસતસતું ભોજન પેટ માટે કેટલું અઘરું બને છે એ તો ખબર છે પણ આ જીભનો ચટાકો પેટને તો પકડે જ છે પણ સાથે સાથે આપણું મગજ પણ જકડે છે. સિંથેટિક કલર્સ અને મસાલાથી ભરપૂર જંક મિસાઈલ જ્યારે પેટમાં પડે છે ત્યારે ત્યાં તો નુકશાન થવાનું જ છે પણ સાથે સાથે આપણા મેન્ટલ હેલ્થને પણ કોલેટરલ ડેમેજ કરતું જાય છે! મેન્ટલ હેલ્થના ચાર કોલેટરલ ડેમેજનું એસેસમેન્ટ કરી લઈએ.


😵‍💫એડિક્શન

પહેલા તો ખાલી દારૂ તમાકુ ને જ વ્યસન ગણવામાં આવતું. પછી જમાનો ડિજિટલ થયો એટલે નેવુંના દશકમાં ટીવીના વ્યસનીઓ થઇ ગયા. ત્યારે એમ લાગતું કે ટીવી કંઇ થોડું વ્યસનમાં આવે? પણ આજે મોબાઈલ એડિક્શન એક સામાન્ય શબ્દ બની ગયો છે ત્યારે વચ્ચે આપણે એક એડિક્શનને હજુ ગંભીરતાથી નથી લેતા અને તે છે જંક ફૂડ કે ફાસ્ટ ફૂડનું એડિક્શન.

વાર તહેવારે અને કોઈ પણ નાના મોટા સેલિબ્રેશનમાં હવે ઘરની મીઠાઈનું સ્થાન આર્ટિફિશિયલ સ્વીટનર્સથી બનેલા પેસ્ટ્રી અને પીણાંઓએ લઈ લીધું. હા, એ પણ ફાસ્ટ ફૂડ જ ગણાય, ખાલી તીખું તમતમતું જ ફાસ્ટ ફૂડ હોય એવું મગજમાંથી કાઢી નાખવું. આવા ફૂડનું વાર તહેવારે પેટમાં પડવું એ આપણા શરીરના ન્યૂરોટ્રન્સમિટર્સ માટે ખતરા સમાન છે. જેને કારણે ડોપામાઇન અને સેરોટોનિનનું બેલેન્સ બગડે છે. 

આ જંક ફૂડ ડોપામાઇનના મધપૂડાને એવી રીતે છંછેડે છે કે થોડા થોડા સમયે તેનું ક્રેવિંગ થવા માંડે છે. આ ક્રેવિંગ ભલે દારૂડિયા કે ડ્રગ્સ લેવાવાળાને પડતી તકલીફો જેટલું બહારથી ગંભીર નથી દેખાતું પણ અંદરખાને જે શરીરમાં જૈવ રાસાયણિક ફેરફારો થાય છે એ મહદ્ અંશે કોઈ ડ્રગ એડિક્ટને ડ્રગ્સ ન મળતા થતા ફેરફારો જેવું જ હોય છે. દારૂના બંધાણીઓ તો ખોટા જ બદનામ છે, કોઈ પિઝાના બંધાણીને પૂછી તો જુઓ.


😖ઇરિટેશન

ઉપર જે વાત કરી તેમાંનું સેરોટોનિન બહુ કામનું કેમિકલ છે. એ શરીરના તાપમાન નિયમન માટે મગજના સંદેશ વાહક તરીકે કામ કરે છે. ઉપરાંત શ્વસન અને ધબકારાની ગતિના નિયમનમાં પણ મગજને આસિસ્ટ કરે છે. આ બધાની સાથે સાથે મગજનું લિમ્બિક સિસ્ટમ કે જે લાગણીઓના સંચાલનનું ઘર છે એ ઘરમાં પણ આ સેરોટોનિન કચરાં પોતા કરવાનું કામ કરે છે. હવે જો સેરોટોનિનનું પ્રમાણ ઘટ્યું તો સમજી લેવું કે આ લાગણીઓનું ઘર ધૂળ અને જાળાંથી ભરાઈ જવાનું. પછી જે થશે તે તમારા મગજના હાથમાં તો નહીં જ હોય. 

લાગણીઓ બેકાબૂ બને, ગુસ્સો આવે, રડવું આવે, હસવું આવે બધું જ થાય પણ તમારા કાબુની બહાર. વાતવાતમાં ઇરિટેશન થાય. કોઈ જગ્યાએ ફોકસ ન થઈ શકે. જેમ 30 સેકન્ડની એક રીલ પૂરી કરતા પહેલા પણ આપણે 25મી સેકન્ડે સ્ક્રોલ કરીને બીજી રીલ પર કૂદી જતાં હોઈએ એવી જ રીતે રોજબરોજના દરેક કામને આવી રીતે સ્કીપ કરવાની જંક ટેવ પડવાની શરૂ થઈ જાય છે. જે ક્યારેય આપણે સ્વીકારતા જ નથી.


🤯ડિપ્રેશન

જંક ફૂડમાંથી શરીરને હાઈ સુગર અને રિફાઇન્ડ કાર્બોહાઇડ્રેટના શોટ લાગ્યા પછી બ્લડ સુગરમાં એટલો ઝડપી ફેરફાર થાય છે કે મૂડને સ્વિંગ કરી દે છે. ઘડીક એનર્જેટિક ફીલ થાય છે પણ આ શોર્ટ ટર્મ ફિલિંગ થોડીવાર પછી એટલી જ નોન એનર્જેટિક ફીલ કરાવી દે છે. જાણે કે તમારી એનર્જી પણ મૂડ સાથે સ્વિંગ થતી હોય એવું લાગે. 

આ સુગર સ્પાઇક બીજા મેટાબોલિક ડિસઓર્ડર તો કરે જ છે પણ સાથે સાથે મગજને જરૂરી એમિનો એસિડ્સની ફેક્ટરીને તાળું મારી દે છે. વળી જે એમિનો એસિડ્સ પોષણક્ષમ ખોરાકમાંથી મળવાના હતા તે તો ક્યારના સિલેબસમાંથી જ નીકળી ગયા છે. આ જરૂરી એમિનો એસિડ્સ વગર મગજ નવા ચેતાતંતુ બનાવવાનો કોન્ટ્રાક્ટ રદ કરી નાખે છે. હવે સમજી શકો કે ડિપ્રેશન કેમ માથું ઊંચું કરે છે અને આવા બેઝિક એમિનો એસિડ્સની યાદમાં મગજના તાર ઝણઝણી ન જાય તો બીજું શું થાય?


🤒ઇન્ફ્લેમેશન 

જંક ફૂડ થી કાંઈ સોજા ચડી જાય? હા, જંક ફૂડને કારણે પેટના ગુડ અને બેડ બેક્ટેરિયા વચ્ચેનું બેલેન્સ બગડી જાય છે જેને ભણેલાઓ ડિસ્બાયોસિસ કહે છે. આ બેલેન્સના હટવાથી શરીરનું ઇમ્યુન સિસ્ટમ એક્ટિવ થઈ જાય છે અને પાચનતંત્રના જે ભાગમાં જંક ફૂડ પ્રહાર કરીને બેઠું છે ત્યાં સમારકામ કરવા લાગશે. આ સમારકામ કરવામાં આપણું ઇમ્યુન સિસ્ટમ એટલા બધા સૈનિકો બનાવશે કે તે ભાગમાં સોજો આવી જશે. વળી આ સૈનિકો આખા શરીરમાં પેટ્રોલિંગ કરશે અને જ્યાં શાંતિ છે એવા ભાગોમાં પણ હોશિયારી કરશે. જેને કારણે દુખશે પેટમાં પણ કુટાશે માથું. માથામાં તો મગજ. મગજમાં પેલું લિમ્બિક સિસ્ટમ. લિમ્બિક સિસ્ટમ એટલે.... સમજી ગયા ને. છેલ્લે તો પેટ સાથે મૂડની પથારી ફરવાની જ છે.


સુપર ઓવર: સૌથી વધુ મૂડ સ્વિંગ કરનારું જંક ફૂડ પાણીપુરી જ છે. માનવામાં ન આવતું હોય તો કોઈ પણ પુરુષને પૂછી જુઓ!


Comments

Post a Comment

Popular posts from this blog

દવાઓ બેફામ: વરદાન કે અભિશાપ?

હોસ્પિટલ ફાર્માસિસ્ટ તરીકે નોકરી કરવી એ શરૂઆતના દિવસોમાં ખૂબ જ ધીરજ માંગી લે એવું કામ હતું.  કેમ? કારણ કે જે પણ એકેડેમિક નોલેજને બસ ઇમ્પ્લીમેન્ટ કરવાની તૈયારી કરતો હતો એ જ એકેડેમિક અહીં પેંડેમીક બનીને ઉભું હતું. આ પેંડેમીક એટલે દવાઓનો બેફામ ઉપયોગ. ના માત્ર એન્ટિબાયોટિકસ જ નહીં પણ સ્ટીરોઇડ્સ, પેઈન કિલર, એન્ટાસિડ દરેકનો આ જ હાલ હતો અને છે. એવું નથી કે આવું ફક્ત ગ્રામ્ય કક્ષાએ જ છે. મોટા શહેરોમાં પણ ઝડપથી સાજા થવાની લ્હાયમાં આવા દવાઓના બેફામવેડા ચાલુ જ છે. એલોપેથી દવાઓ ઝડપથી રાહત કરવા માટે પ્રખ્યાત છે પણ હવે લોકોની ધીરજ અને સહનશક્તિ એટલી હદે જવાબ દઈ ચુકી છે કે આ એલોપેથીની ઝડપ પણ તેને હવે ઓછી લાગે છે. આવા સમયમાં આયુર્વેદ થેરાપીની તો વાત જ કેમ કરવી? આયુર્વેદ ધીમી સારવાર માટે ભલે જાણીતું હોય પરંતુ તેની દરેક સારવારના પરિણામ ધીમા જ મળે એવું જરૂરી નથી હોતું. પણ આમ છતાં આયુર્વેદનો ચાર્મ હાલ તો એલોપેથી ની સાપેક્ષે ખૂબ જ પાછળ છે. વળી, મહેરબાની કરીને કોઈ હોમીઓપેથી, નેચરોપેથી કે યુનાની જેવી પધ્ધતિઓ ની તો વાત જ ન કરતા. એ તો હજુ લોકપ્રિયતાની એરણ પર જોજનો દૂર છે. અહીં વાત અસરકારકતાની નહ...

સાયનોકોબાલની મોટી બબાલ: અથ શ્રી વિટામિન B12 કથા

  "તમારામાં વિટામિન B12ની ખામી છે, દવાનો કોર્સ કરવો પડશે." આવી વાતો આજકાલ કોમન થઈ ગઈ છે. તેનાથી પણ વધુ પ્રચલિત થયા છે એકાંતરા વાળા વિટામિન B12ના ઇન્જેક્શન. વળી હવે તો આ ઇન્જેક્ટેબલ સારવાર પણ OTC (ઓવર ધ કાઉન્ટર) બનતી જાય છે. એટલે જ્યારે પણ ભળતાં લક્ષણો જોવા મળે તો લગાઓ B12. વિટામિન D પછી સૌથી વધુ કોઈ વિટામીનની ખામી માણસોમાં જોવા મળે છે તો એ છે વિટામિન B12 જેને સાયનોકોબાલામાઈન ના હુલામણાં નામથી પણ બોલાવામાં આવે છે. 🤔 પણ આ B12 શા માટે આટલું જરૂરી છે? તેના વગર ચાલે એમ નથી? એવું તો શું કામ કરે છે આ VIP વિટામિન?  વિટામિન B12 એ આપણા DNA એટલે કે આપણો પાયો બાંધવામાં સૌથી મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત આપણા RBC એટલે કે રક્તકણોનું નિર્માણ થવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે. શરીરમાં એનર્જી પ્રોડ્યુસ કરતી કેટલીક ક્રિયાઓમાં જરૂરી ઘણા બધા ઉદ્દીપક (enzymes) ના બનવા માટે પણ આપણું લાડકવાયું વિટામિન B12 જ ભાગ ભજવે છે. ચેતાતંતુઓમાં પણ સંવેદનાના વહન માટે B12 જ મેઇન્ટેનન્સ પાર્ટનર તરીકે કામ કરે છે. મગજ જેવા મૂળભૂત અંગોનું સારી રીતે સંચાલન કરવા બદલ પણ હે વિટામિન B12! આપનો ખૂબ ખૂબ આભાર. 😱 ...

એડોલ્શન્સ: ટીનેજર સ્ટોરી કે પેરેન્ટિંગ ડોક્યુમેન્ટ્રી!?

                         વેબસિરિઝ: એડોલ્શન્સ             કેરેકટર: એડવર્ડ મિલર અને લ્યુક બેસકોમ્બ ચાર એપિસોડ વાળી અને દરેક એપિસોડ શરૂઆતથી અંત સુધી સિંગલ શોટમાં શૂટ થયેલી મિનિસિરિઝ આમ તો એકદમ બોરિંગ છે અને એકદમ સ્લો છે પણ જો તેને તમે એક ટીનેજરની લાઇફ આસપાસની ડોક્યુમેન્ટ્રી તરીકે જુઓ તો આ સિરીઝમાં ઘણો રસ પડશે. આ સિરીઝ શરૂ થાય ત્યારે એવું લાગે કે સસ્પેન્સ થ્રિલર છે પણ હકીકતમાં આ સિરીઝમાં આપણે જે નોર્મલ જોઈએ છીએ એવી ઘટના અંગેનું સસ્પેન્સ છે જ નહી પરતું આ ઘટનાનો જન્મ કેવી રીતે થયો તેના તાણાવાણા પર જ ચાર એપિસોડ ચાલે છે. ઘટનાના મૂળ સુધી જવામાં ટીનેજરના મનોવૈજ્ઞાનિક આવેશો, સોશિયલ મીડિયા, સ્કૂલ કલ્ચર, પોર્નોગ્રાફી આ બધું પેરેન્ટિંગ પર કઈ રીતે પાણી ફેરવે છે તેના પડ ધીમે ધીમે ખુલે છે. આગળ નાના મોટા સ્પોઇલર છે પણ તેનાથી સિરીઝ જોવામાં કોઈ ખાસ અસર નહી પહોંચે, જો તમે સિરીઝને ડોક્યુમેન્ટ્રી તરીકે લેવાના હો તો. સિરીઝનું નામ ભલે એડોલ્શન્સ હોય પણ ખરેખર તો આજે વાત આ ટીનેજરની નહીં પણ તેના એડલ્ટ પિતાની કરવા...

એક દિવસનો યોગ કેમ ભગાડે રોગ?

21 જૂનના રોજ આપણે યોગદિવસ મનાવી લીધો. આમ જોઈએ તો યોગાસન દિવસ મનાવી લીધો. યોગને વિશ્વ સ્તરે લાવનાર આપણે એ જ ભૂલી ગયા કે યોગ એટલે ફક્ત યોગાસન જ નહીં. યોગ આઠ અંગોનું બનેલું છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, આહાર, પ્રત્યાહાર, ધ્યાન, સમાધિ.  યોગ એ 21 જૂનના દિવસનો ટ્રેન્ડિંગ ટોપિક છે એથી વિશેષ કંઈ નથી એવું મને લાગે છે. એવું નથી કે રોજ યોગ, કસરત કે મેડિટેશન કરનારા નથી. કરે જ છે ઘણા લોકો પરતું આ દિવસે જો તમે કોઈ વિચિત્ર આસન કરેલ ફોટો સોશિયલ મીડિયા પર ન મૂકો તો તમે યોગી નથી. વિશ્વ યોગ દિવસની નિંદા કરવાનો મારો કોઈ ઉદ્દેશ નથી. વળી કેટલાક કહેશે કે દરેક દિવસ તો વર્ષે એક વાર જ ઉજવાતો હોય છે. એમાં વળી નવું શું છે? શું દિવાળીના ફટાકડા આખું વર્ષ ફોડી શકાય? શું પિચકારી લઈને આખું વર્ષ ધૂળેટી રમવાની તાકાત છે? શું આખું વર્ષ આપણે પતંગ ચગાવીને ઉતરાયણ મનાવીએ છીએ? બસ એમ જ યોગ દિવસ એક જ દિવસ મનાવવાનો હોય. વાત પૂરી. તહેવારો અને ઉત્સવો આપણા જીવનને રંગીન બનાવે છે. પણ યોગ દિવસ એ કોઈ તહેવાર કે ઉત્સવ નથી. યોગ દિવસ એ દર વર્ષે આવતું એક રીમાઇન્ડર છે. યોગ એ જીવન જીવવા માટેનું એક મેઇન્ટેનેન્સ મેન્યુઅલ છે. યોગના આઠ...