Skip to main content

ક્યોંકી જેનેરીક ભી કભી બ્રાન્ડેડ થી



          માનવસહજ ગુણધર્મ આપણો એ છે કે આપણે કોઈ પણ પરિસ્થિતિમાં સસ્તું અને સારું આ બંને વચ્ચે સમતુલન બનાવીને જ જિંદગીના મોટા ભાગના નિર્ણયો લઈએ છીએ. માત્ર ખરીદ વેચાણ જ નહીં પરંતુ હવે તો કેટલાક સંબંધો પણ આપણે આવી જ કેટેગરી નું ફિલ્ટર મારીને શોધીએ છીએ. પરંતુ જ્યારે જિંદગી અને મરણ વચ્ચે નો સવાલ આવે એટલે આપણે સૌથી મોંઘી અને ઉત્તમ નામની નવી કેટેગરી ઉભી કરીયે છીએ અને આ કેટેગેરીને જ આપણે વિશ્વાસપાત્ર માનીએ છીએ. કારણ આપણે આ બાબતમાં ચેડાં જરાય નહીં સાંખી લઈએ.
          આજકાલ ચીરનિંદ્રામાંથી ઉઠેલું છતાં અનાદિ કાળથી જેનું અસ્તિત્વ હતુંજ પણ હવે વધતી જતી મોંઘવારીમાં જાગેલું જેનેરીક અને બ્રાન્ડેડ દવાઓનું ભૂત ઘણાખરાઓને વળગ્યું છે. જેનેરીક એ આપણી જરૂરિયાત છે જ્યારે બ્રાન્ડેડ આપણી લકઝરી છે એવું માનતા ઘણાખરા યેદીયુરપ્પા આજે રાજીનામુ આપીને બેસી ગયા છે. જેનેરીક લોકોના મનમાં ઘર કરવા લાગી છે તો સામે ડોકટરો માટે તથા બ્રાન્ડેડ દવાઓ બનાવતી ફાર્મા કંપનીઓ માટે થોડા દુઃખદ સમાચાર બની ગયા છે. બંને પ્રકારની દવાઓના કેટલાક ચડતા તો કેટલાક પડતા પાસા છે પણ માનવ મન એટલું સગવડીયું છે કે મન ને ગમતો મોરલો પકડીને જ બેસી જાય છે.


          જેનરીક દવા અને બ્રાન્ડેડ દવાઓનો સવાલ 'પેલા મરઘી કે પેલા ઈંડુ!?' એ સવાલ જેટલો જ જટિલ છે. આજની તારીખમાં જોવા મળતી દરેક જેનેરીક દવાઓ ક્યારેક બ્રાન્ડેડ તરીકે જ ઓળખાતી હતી. આ જેનેરીક દવા એ જ બ્રાન્ડેડ દવા છે જે વીસ વર્ષ પહેલાં પોતાની ભરજુવાની માં પેટન્ટ નો મેકઅપ કરીને કેટલાય ના દિલ પાસે રહેલા ખિસ્સા તોડી નાખ્યા હતા. હવે જ્યારે જુવાની પુરી થઈ અને પોતાના સૌંદર્યની હરીફાઈ વધી ગઈ એટલે ડાહી ડમરી થઈને લોકોના ખિસ્સામાં સમાવા સામેથી તૈયાર થઈ ગઈ. તો પછી ભરજુવાનીમાં આ દવાઓ કેમ મોંઘી હતી?
          નવી નવી દવાઓના સંશોધન પાછળ આજે અબજો રૂપિયા ખર્ચાઈ રહયા છે અને આ અબજો રૂપિયાના પરિણામને અંતે સફળતા મળશે જ એની કોઈ ગેરેન્ટી હોતી નથી. જ્યારે આ દવાઓના સંશોધનકર્તા (મોટા ભાગે ફાર્મસીસ્ટ) સફળતાનો સ્વાદ ચાખે છે ત્યારે સૌથી પહેલાં  માનવહીતાર્થે કરેલા ખર્ચને પહોંચી વળવું જરૂરી બની રહે છે. આ ખર્ચ વસુલવા પેટન્ટ ફાઇલ કરવામાં આવે છે જે સામાન્ય રીતે વીસ વર્ષ સુધીની હોય છે. આ પેટેન્ટ જે-તે સંશોધનકર્તા કંપનીને વીસ વર્ષનો ઈજારો આપે છે, પોતાની કિંમત વસુલવા માટે. આથી આ નવી આવેલી દવા આપણા ખીસ્સાને ના છૂટકે રડાવી જાય છે. અહીં જરૂરી નથી કે દવા જ નવી શોધાયેલી હોવી જોઇએ. એ દવાની બનાવટમાં કે તેની પધ્ધતિમાં કરાયેલો નજીવો (આપણા માટે) ફેરફાર પણ પેટન્ટના હક હેઠળ આવરી લેવામાં આવે છે. એટલે મોંધીદાટ કિંમતો વસુલતી ફાર્મા કંપનીઓ આપણને લુંટી રહી છે એવું કહેવાને બદલે પોતાના હકનો મનોવાંછીત નફો વસુલી રહી છે એમ કહી શકાય. આ નફો વસુલવા માટે ફાર્મા કંપનીનું પહેલું અમોઘ બ્રહ્માસ્ત્ર છે ડોક્ટરો !
          આજે સરકારે જ્યારે ડોક્ટરોને જેનેરીક દવાઓ લખવા આગ્રહ કર્યો છે ત્યારે કમિશન મેળવતાં ડોક્ટરો કરતાં ફાર્મા કંપનીઓ ને વધુ ધકકો લાગી રહ્યો છે. દુનિયાની 20 % જેનેરીક દવાઓનું ઉત્પાદન કરતા ભારત દેશમાં જ મોટા ભાગની જેનેરીક દવાઓ નિકાસ પામે છે અને આપણા માટે મોંધીદાટ બ્રાન્ડનો રાફળો ખુલ્લો મુકી દેવામાં આવે છે. આપણે ગળથુથી થી જ બ્રાન્ડેડ દવાઓ થી ટેવાયેલા છીએ અને ઘણી ગેરમાન્યતાઓ નું ઘર ભરીને બેઠા છીએ. જેમ કે જેનેરીક દવાઓની અસરકારકતા બ્રાન્ડેડ દવાઓ જેટલી નથી હોતી, સસ્તું હોય એ હંમેશા સારું નથી હોતું, ડોકટર હંમેશા પોતાના કમિશન નો વિચાર કરીને જ દવા લખે છે, મેડિકલ સ્ટોરને જેનેરીક વેચવામાં રસ નથી... વગેરે વગેરે.
          જો જેનેરિક દવા અને બ્રાન્ડેડ દવા સમાન જ હોય તો પરિણામ માં ફરક શા માટે જોવા મળે છે!? શા માટે ડોકટર બ્રાન્ડેડ ને વધુ મહત્વ આપે છે? મેડિકલ સ્ટોર અને ફાર્મા કંપનીઓ ને નફો જેનેરીક રળી આપે છે કે બ્રાન્ડેડ? આવાં કેટલાય સવાલો બધાના મન માં ઘૂમે છે જેના ઉપર નિષ્પક્ષ ચર્ચા કમેન્ટ બોક્સમાં આવકાર્ય છે. હવે પછીના લેખમાં આ સવાલોનો કોઈ પર આરોપ પ્રત્યારોપ કર્યા વગર જવાબ મેળવવા આપણે પ્રયત્ન કરીશું. જેની ડાયરેકટ લિંક અહીં ઉપલબ્ધ છે. 👉 જેનેરીક vs બ્રાન્ડેડ મેડિસિન: ચડિયાતું કોણ?

(માહિતી સંકલન માટે રજીસ્ટર્ડ ફાર્મસીસ્ટ અંકિત કરકર-સુરત અને ભરત વઢવાણા- ચોરવાડ નો આભાર)

Comments

  1. The U.S. Food and Drug Administration (FDA) requires generic drugs to have the same performance and quality as brand name drugs. The FDA says: “When a generic drug product is approved, it has met rigorous standards established by the FDA with respect to identity, strength, quality, purity, and potency.”....
    Cost is the main difference between generic and brand name prescription drugs. Unlike brand companies, generic manufacturers compete directly on price, resulting in lower prices for consumers. Generics have saved Americans $1.67 trillion over the last decade.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

દવાઓ બેફામ: વરદાન કે અભિશાપ?

હોસ્પિટલ ફાર્માસિસ્ટ તરીકે નોકરી કરવી એ શરૂઆતના દિવસોમાં ખૂબ જ ધીરજ માંગી લે એવું કામ હતું.  કેમ? કારણ કે જે પણ એકેડેમિક નોલેજને બસ ઇમ્પ્લીમેન્ટ કરવાની તૈયારી કરતો હતો એ જ એકેડેમિક અહીં પેંડેમીક બનીને ઉભું હતું. આ પેંડેમીક એટલે દવાઓનો બેફામ ઉપયોગ. ના માત્ર એન્ટિબાયોટિકસ જ નહીં પણ સ્ટીરોઇડ્સ, પેઈન કિલર, એન્ટાસિડ દરેકનો આ જ હાલ હતો અને છે. એવું નથી કે આવું ફક્ત ગ્રામ્ય કક્ષાએ જ છે. મોટા શહેરોમાં પણ ઝડપથી સાજા થવાની લ્હાયમાં આવા દવાઓના બેફામવેડા ચાલુ જ છે. એલોપેથી દવાઓ ઝડપથી રાહત કરવા માટે પ્રખ્યાત છે પણ હવે લોકોની ધીરજ અને સહનશક્તિ એટલી હદે જવાબ દઈ ચુકી છે કે આ એલોપેથીની ઝડપ પણ તેને હવે ઓછી લાગે છે. આવા સમયમાં આયુર્વેદ થેરાપીની તો વાત જ કેમ કરવી? આયુર્વેદ ધીમી સારવાર માટે ભલે જાણીતું હોય પરંતુ તેની દરેક સારવારના પરિણામ ધીમા જ મળે એવું જરૂરી નથી હોતું. પણ આમ છતાં આયુર્વેદનો ચાર્મ હાલ તો એલોપેથી ની સાપેક્ષે ખૂબ જ પાછળ છે. વળી, મહેરબાની કરીને કોઈ હોમીઓપેથી, નેચરોપેથી કે યુનાની જેવી પધ્ધતિઓ ની તો વાત જ ન કરતા. એ તો હજુ લોકપ્રિયતાની એરણ પર જોજનો દૂર છે. અહીં વાત અસરકારકતાની નહ...

સાયનોકોબાલની મોટી બબાલ: અથ શ્રી વિટામિન B12 કથા

  "તમારામાં વિટામિન B12ની ખામી છે, દવાનો કોર્સ કરવો પડશે." આવી વાતો આજકાલ કોમન થઈ ગઈ છે. તેનાથી પણ વધુ પ્રચલિત થયા છે એકાંતરા વાળા વિટામિન B12ના ઇન્જેક્શન. વળી હવે તો આ ઇન્જેક્ટેબલ સારવાર પણ OTC (ઓવર ધ કાઉન્ટર) બનતી જાય છે. એટલે જ્યારે પણ ભળતાં લક્ષણો જોવા મળે તો લગાઓ B12. વિટામિન D પછી સૌથી વધુ કોઈ વિટામીનની ખામી માણસોમાં જોવા મળે છે તો એ છે વિટામિન B12 જેને સાયનોકોબાલામાઈન ના હુલામણાં નામથી પણ બોલાવામાં આવે છે. 🤔 પણ આ B12 શા માટે આટલું જરૂરી છે? તેના વગર ચાલે એમ નથી? એવું તો શું કામ કરે છે આ VIP વિટામિન?  વિટામિન B12 એ આપણા DNA એટલે કે આપણો પાયો બાંધવામાં સૌથી મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત આપણા RBC એટલે કે રક્તકણોનું નિર્માણ થવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે. શરીરમાં એનર્જી પ્રોડ્યુસ કરતી કેટલીક ક્રિયાઓમાં જરૂરી ઘણા બધા ઉદ્દીપક (enzymes) ના બનવા માટે પણ આપણું લાડકવાયું વિટામિન B12 જ ભાગ ભજવે છે. ચેતાતંતુઓમાં પણ સંવેદનાના વહન માટે B12 જ મેઇન્ટેનન્સ પાર્ટનર તરીકે કામ કરે છે. મગજ જેવા મૂળભૂત અંગોનું સારી રીતે સંચાલન કરવા બદલ પણ હે વિટામિન B12! આપનો ખૂબ ખૂબ આભાર. 😱 ...

એડોલ્શન્સ: ટીનેજર સ્ટોરી કે પેરેન્ટિંગ ડોક્યુમેન્ટ્રી!?

                         વેબસિરિઝ: એડોલ્શન્સ             કેરેકટર: એડવર્ડ મિલર અને લ્યુક બેસકોમ્બ ચાર એપિસોડ વાળી અને દરેક એપિસોડ શરૂઆતથી અંત સુધી સિંગલ શોટમાં શૂટ થયેલી મિનિસિરિઝ આમ તો એકદમ બોરિંગ છે અને એકદમ સ્લો છે પણ જો તેને તમે એક ટીનેજરની લાઇફ આસપાસની ડોક્યુમેન્ટ્રી તરીકે જુઓ તો આ સિરીઝમાં ઘણો રસ પડશે. આ સિરીઝ શરૂ થાય ત્યારે એવું લાગે કે સસ્પેન્સ થ્રિલર છે પણ હકીકતમાં આ સિરીઝમાં આપણે જે નોર્મલ જોઈએ છીએ એવી ઘટના અંગેનું સસ્પેન્સ છે જ નહી પરતું આ ઘટનાનો જન્મ કેવી રીતે થયો તેના તાણાવાણા પર જ ચાર એપિસોડ ચાલે છે. ઘટનાના મૂળ સુધી જવામાં ટીનેજરના મનોવૈજ્ઞાનિક આવેશો, સોશિયલ મીડિયા, સ્કૂલ કલ્ચર, પોર્નોગ્રાફી આ બધું પેરેન્ટિંગ પર કઈ રીતે પાણી ફેરવે છે તેના પડ ધીમે ધીમે ખુલે છે. આગળ નાના મોટા સ્પોઇલર છે પણ તેનાથી સિરીઝ જોવામાં કોઈ ખાસ અસર નહી પહોંચે, જો તમે સિરીઝને ડોક્યુમેન્ટ્રી તરીકે લેવાના હો તો. સિરીઝનું નામ ભલે એડોલ્શન્સ હોય પણ ખરેખર તો આજે વાત આ ટીનેજરની નહીં પણ તેના એડલ્ટ પિતાની કરવા...

એક દિવસનો યોગ કેમ ભગાડે રોગ?

21 જૂનના રોજ આપણે યોગદિવસ મનાવી લીધો. આમ જોઈએ તો યોગાસન દિવસ મનાવી લીધો. યોગને વિશ્વ સ્તરે લાવનાર આપણે એ જ ભૂલી ગયા કે યોગ એટલે ફક્ત યોગાસન જ નહીં. યોગ આઠ અંગોનું બનેલું છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, આહાર, પ્રત્યાહાર, ધ્યાન, સમાધિ.  યોગ એ 21 જૂનના દિવસનો ટ્રેન્ડિંગ ટોપિક છે એથી વિશેષ કંઈ નથી એવું મને લાગે છે. એવું નથી કે રોજ યોગ, કસરત કે મેડિટેશન કરનારા નથી. કરે જ છે ઘણા લોકો પરતું આ દિવસે જો તમે કોઈ વિચિત્ર આસન કરેલ ફોટો સોશિયલ મીડિયા પર ન મૂકો તો તમે યોગી નથી. વિશ્વ યોગ દિવસની નિંદા કરવાનો મારો કોઈ ઉદ્દેશ નથી. વળી કેટલાક કહેશે કે દરેક દિવસ તો વર્ષે એક વાર જ ઉજવાતો હોય છે. એમાં વળી નવું શું છે? શું દિવાળીના ફટાકડા આખું વર્ષ ફોડી શકાય? શું પિચકારી લઈને આખું વર્ષ ધૂળેટી રમવાની તાકાત છે? શું આખું વર્ષ આપણે પતંગ ચગાવીને ઉતરાયણ મનાવીએ છીએ? બસ એમ જ યોગ દિવસ એક જ દિવસ મનાવવાનો હોય. વાત પૂરી. તહેવારો અને ઉત્સવો આપણા જીવનને રંગીન બનાવે છે. પણ યોગ દિવસ એ કોઈ તહેવાર કે ઉત્સવ નથી. યોગ દિવસ એ દર વર્ષે આવતું એક રીમાઇન્ડર છે. યોગ એ જીવન જીવવા માટેનું એક મેઇન્ટેનેન્સ મેન્યુઅલ છે. યોગના આઠ...

પાબ્લો એસ્કોબાર એટલે દસ માથા વાળો રાવણ

વેબ સિરીઝ: નાર્કોસ  કેરેક્ટર: પાબ્લો એસ્કોબાર  નાર્કોસ સિરીઝ જોઈ હોય તો નીચેના શબ્દો સાથે વધુ તાદાત્મ્ય સાધી શકશો પણ જો ના જોઈ હોય તો કોઈ ચિંતા નથી, એવા પણ કોઈ ખાસ સ્પોઇલર નથી લખ્યા કે જે તમારી સિરીઝ જોવાની મજા બગાડે. સો પ્લીઝ કન્ટીન્યુ. નાર્કોસની વેબ સિરિઝોમાં પાબ્લોનું જે રીતે ચરિત્ર ચિત્રણ કરવામાં આવ્યું છે એ જોઈને ઉપરનું ટાઈટલનું વાક્ય તરત જ મારા મગજમાં ગુંજે. બાયોપિક હોય એટલે જરૂરી નથી કે બેઠેબેઠી જિંદગી ચિતરેલી હોય, પણ હા જે પણ સાહિત્ય કે મીડિયામાં ઉપલબ્ધ ઇતિહાસ હોય એ તમામનો નિચોડ કાઢીને તેને સ્ટોરીલાઈનમાં ફીટ કરીને પરોસેલું હોય. એટલે કે કેટલીક વાતો સ્ત્રીઓની ઓટલા પરિષદની જેમ કે'તો 'તો 'ને કે'તી 'તી ની જેમ મસાલેદાર બનાવેલી હોઈ શકે. આ બાબતને નજરઅંદાજ કરીને ફક્ત આ સિરીઝમાં દેખાતા પાબ્લોની વાત કરવી છે પાબ્લોની જિંદગી જોઈને દાઉદ પણ તેની પાસે નાનું બચ્ચું લાગે, એવી ભાયાનક ક્રુર અને છતાં પણ ક્યારેક દયા આવે એવું વ્યક્તિત્વ છે. જ્યારે જ્યારે એ ડ્રગ્સની સાથે સાથે હિંસા અને રાજકારણમાં અરાજકતા સર્જે છે ત્યારે ત્યારે એ દસ માથા વાળો રાવણ જ લાગે. પણ જ્યારે જ્યારે તેના ...