Skip to main content

સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલ વચ્ચેનો મોટો ફરક: સ્વચ્છતા

સરકારી હોસ્પિટલમાં સારવાર લેવી એ લગભગ સિત્તેર ટકા લોકોની મજબૂરી હોય છે. આર્થિક રીતે જો સક્ષમ હોય તો એ ક્યારેય સરકારી દવાખાનાના પગથિયાં ચડે નહીં. બીજા વધેલા ત્રીસ ટકા લોકોને સરકારી દવાખાનામાં થયેલ અમુક સારા અનુભવને કારણે આવતા હોય છે જેમાં સૌથી મોટો ફાળો સ્ટાફના વર્તનનો હોય છે.



સરકારી સંસ્થાઓ દ્વારા અપાતી સેવાઓ પૈકી હોસ્પિટલની બાબતમાં લોકોની પહેલી પસંદગી હંમેશા પ્રાઇવેટ સેકટર જ હોય છે. જે એડમિનિસ્ટ્રેશનના કામો સરકારી ઓફિસો સિવાય પ્રાઇવેટમાં શક્ય નથી તેના માટે લોકો અનાયાસે સરકારી કચેરીઓમાં ધક્કા ખાય છે. પરંતુ જ્યારે વિકલ્પ મળ્યો ત્યારે સરકારી તંત્રથી દૂર ભાગવાની જ લોકોની તૈયારી હોય છે. ખુદ સરકારી તંત્રમાં કામ કરતા લોકો પણ તેની જ સિસ્ટમથી દૂર ભાગતા જોવા મળતા હોય છે.


આ બધા માટે ઉપર કહ્યુ એમ સ્ટાફના વર્તન સાથે પણ કેટલાક ફેક્ટર હોય છે જે આ પસંદગીમાં મૂળભૂત ભાગ ભજવે છે. પરંતુ તેમાં સૌથી મોટો ભાગ જો કોઈ ભજવતું હોય તો એ છે સ્વચ્છતા.


થોડા દિવસ પહેલા જ પંજાબની બાબા ફરીદ યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સના વાઇસ ચાન્સેલર અને જાણીતા સર્જન ડૉ. રાજ બહાદુરને તેમની જ હોસ્પિટલની ગંદી બેડશીટ પર સુવડાવવામાં આવ્યા. પંજાબના હેલ્થ મિનિસ્ટર દ્વારા બધાની હાજરીમાં આ અનુભવી ડૉકટરનું એવું અપમાન કરવામાં આવ્યું કે બીજા દિવસે આ સર્જને પોતાનું રાજીનામું ધરી દીધું. નેતાઓ દ્વારા લોકોમાં ધાક જમાવવા અને વટ પાડવા આવા પેંતરા થતા હોય છે પણ નેતાઓ આવી સમસ્યાઓના મૂળ સુધી પહોંચવાની તસ્દી લેતા હોતા નથી. આ કિસ્સામાં એ સર્જનની ભૂલ એટલી જ હતી કે તેના સફાઈ કાર્યકરો પર તે સરખું સુપરવિઝન રાખી ન શક્યા. આ માટે જવાબદાર સફાઈ કર્મીઓને બદલે સળગતો ડામ આ ડોકટરને સહન કરવો પડ્યો.
 

આ કિસ્સામાં કોણ સાચું કે કોણ ખોટું તેના રાજકારણમાં ઉતર્યા વગર એક વાત તો તારવી જ શકીએ કે બેડશીટ ગંદી તો ન જ હોવી જોઈએ. કોરોનાકાળમાં પણ આપણે આવા અનેક વાઇરલ વિડિઓ જોયા છે. કોરોનાના શરૂઆતના દિવસોમાં ક્યારેય સરકારી દવાખાનામાં પગ ન મુક્યો હોય એવા લોકોને આઠ થી દસ દિવસ સુધી ગંધાતા બેડશીટ, તૂટેલી છત, ઝૂમતા ભયજનક સિલિંગ ફેન કે વાસ મારતા ટોયલેટ વાળા સરકારી દવાખાનામાં વિતાવવા પડ્યા. હંમેશા પ્રાઇવેટના ચક્કર મારતા આ વીઆઇપી બંધુઓને ત્યારે છેક આરોગ્ય વિભાગની બેદરકારીઓ દેખાઈ અને દરરોજ નવરા પડ્યા પડ્યા વિડિઓ બનાવીને આરોગ્યમાં કામ કરતા લોકોનું મોરલ તોડવાનો પ્રયત્ન કરેલો. શું આ ખોટું હતું? શું તંત્રની બેદરકારી લોકો સામે લાવવી એ ખોટી બાબત છે? ના. લાવવી જ જોઈએ. પણ પ્રશ્ન એ છે કે આવી જાગૃતિ જ્યારે પોતાના પર આવે ત્યારે જ શા માટે? વર્ષોથી જે ગરીબ પ્રજા આ તૂટેલી સિસ્ટમમાં સેવાઓ મેળવી રહી છે ત્યારે તે લોકોની અપેક્ષાઓ કદાચ આટલી નથી પણ શું તેની સુવિધાઓમાં ગુણવતા ઉમેરાય તેના માટે પ્રયત્ન ન કરવો જોઈએ?

Image Source: Deccan Chronicle



સરકારી તંત્ર અને સરકાર ખુદ પણ જાણે છે કે પ્રાઇવેટ અને સરકારી હોસ્પિટલમાં મોટો ફરક સ્વચ્છતાનો જ છે. જો સરકારી સંસ્થાનો સ્ટાફ પુરેપુરો ભરેલો હોય તો સ્વચ્છતા જાળવીને અને લોકો સાથે સુઘડ વર્તન કરીને પણ તે કોઈ પણ પ્રાઇવેટ હોસ્પિટલને ટક્કર આપી શકે છે. બંને સરકારી અને પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરતા સ્ટાફની કવોલીફિકેશન હમેશા સરખી જ હોય છે. ઉલટાનું સરકારી સ્ટાફ પ્રાઇવેટ સ્ટફા કરતા ક્યારેક વધુ કવોલિફાઇડ હોય છે જેમાં ક્યારેક પ્રાઇવેટ સંસ્થાઓ પોતાના આર્થિક લાભ ખાતર બાંધછોડ કરતી હોય છે. પરંતુ અફસોસ કે જ્યારે સ્વચ્છતાની વાત આવે ત્યારે તંત્ર આંખ આડા કાન કરીને બેસી જાય છે. લોકોનો ઘસારો અને સંખ્યા સરકારી હોસ્પિટલમાં વધુ હોવાથી સ્વચ્છતા જાળવવી એક ચેલેન્જ બની જતી હોય છે. પરંતુ ક્યાંકથી તો શરૂઆત શક્ય છે જ.


અહીં ફક્ત બધું સ્વચ્છ કરવાની જવાબદારી જેમ સફાઈ કર્મીઓની છે તેમ બધું સ્વચ્છ રાખવાની જવાબદારી પણ સામે કાંઠે લોકોની હોય છે જે એ ક્યારેય યાદ રાખતા નથી. અમારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં થોડા દિવસ પહેલા બે થૂંકદાનીઓ રાખવામાં આવી. આમ તો સરકારી સંસ્થાનોમાં તમાકુ ગુટકા પર પ્રતિબંધ જ હોય છે આમ છતાં કોઈના મોંમાં ભરેલ હોય અને દવાખાનમાં પ્રવેશતા તેની અંદર માંહ્યલો રામ જાગે અને તેને એ 'રક્તવર્ણીરસ' થૂંકવાની ઈચ્છા થાય તો સ્ટેન્ડ પર છાતીની હાઈટ પર ગોઠવીને ગેટ પાસે રાખેલી આ થૂંકદાનીમાં થૂંકી શકે. પણ અફસોસ કે આ થૂંકદાની કરતા તેના સ્ટેન્ડ પાસે કલર કામ વધુ જોવા મળ્યું અને થૂંકદાનીનો ઉપયોગ કચરાપેટી તરીકે થવા માંડ્યો. ફરી એકવાર પ્રાઇવેટ દવાખાનાની સરખામણીએ ચડતું અમારું દવાખાનું આ તમાકુવીરોની પિચકારીઓ સાથે બે ડગલાં પાછળ ખસી ગયું. 


સુપર ઓવર: લોકો પાસેનો હક્ક અને ફરજની બે બાજુ વાળો સિક્કો શોલે ફિલ્મના અમિતાભ પાસે જે સિક્કો હતો તેના જેવો છે જેને તમે ગમે તેટલો ઉછાળો ફક્ત હક્કની બાજુ જ દેખાશે.

Comments

Post a Comment

Popular posts from this blog

વાર્તા રે વાર્તા: એક જંગલ હતું.

  એક જંગલ હતું. રાજા તો સિંહ જ હોય. જંગલમાં બધા પ્રાણીઓ રાજા ના ગુણગાન કરતા કારણ કે તેને ખબર હતી કે જેટલા ગુણગાન કરીશું તેટલા રાજાના શિકાર બનવાથી બચી શકાય એમ છે. સિંહને પણ શિકારની સાથે સાથે જંગલના પ્રાણીઓના સાથની જરૂર હતી જેથી કરીને એ બીજા જંગલના રાજા વાઘ તથા નદીઓના રાજા મગરમચ્છ પાસે પોતાના જંગલના સુખી સામ્રાજ્યની મોટી મોટી વાતો કરી શકે.  પરંતુ આમ કરતા કરતા તેને લાગ્યું કે હું ખુલ્લેઆમ પ્રાણીઓનો શિકાર નહિ કરી શકું, નહિ તો સિંહની ઈમેજ બગડી શકે છે જંગલમાં. એટલે તેણે જંગલના ઝરખ ને બોલાવ્યું. ઝરખને ઑફર કરી કે આમ પણ તું વધેલો શિકાર જ ખાઈને ગુજરાન ચલાવે છે, જાતે તો સારો શિકાર કરી શકતો નથી. તેના કરતાં સારું છે કે તું દરરોજ નિયમતપણે મારી પાસે એક પ્રાણીને લઈ આવ, હું ખાઈ લઉં પછી બાકી વધે એ તમારું અને તમારે ક્યાંય દરરોજ એઠવાડ માટે આંટા પણ મારવા ન પડે. ઝરખ તો તેની ટીમ  સાથે સહમત થઈ ગયું. ઝરખ ક્યારેક સસલાંને તો ક્યારેક ગાય, ભેંસને તો ક્યારેક કૂતરા કે હરણાંને વાતોમાં પરોવીને કોઈને ખબર ના પડે એવી રીતે છુપી રીતે સિંહની ગુફામાં લઈ જાય. પછી જેવી સિંહ પોતાની મિજબાની પુરી કરે એટલે વધેલું ઝરખ...

એડોલ્શન્સ: ટીનેજર સ્ટોરી કે પેરેન્ટિંગ ડોક્યુમેન્ટ્રી!?

                         વેબસિરિઝ: એડોલ્શન્સ             કેરેકટર: એડવર્ડ મિલર અને લ્યુક બેસકોમ્બ ચાર એપિસોડ વાળી અને દરેક એપિસોડ શરૂઆતથી અંત સુધી સિંગલ શોટમાં શૂટ થયેલી મિનિસિરિઝ આમ તો એકદમ બોરિંગ છે અને એકદમ સ્લો છે પણ જો તેને તમે એક ટીનેજરની લાઇફ આસપાસની ડોક્યુમેન્ટ્રી તરીકે જુઓ તો આ સિરીઝમાં ઘણો રસ પડશે. આ સિરીઝ શરૂ થાય ત્યારે એવું લાગે કે સસ્પેન્સ થ્રિલર છે પણ હકીકતમાં આ સિરીઝમાં આપણે જે નોર્મલ જોઈએ છીએ એવી ઘટના અંગેનું સસ્પેન્સ છે જ નહી પરતું આ ઘટનાનો જન્મ કેવી રીતે થયો તેના તાણાવાણા પર જ ચાર એપિસોડ ચાલે છે. ઘટનાના મૂળ સુધી જવામાં ટીનેજરના મનોવૈજ્ઞાનિક આવેશો, સોશિયલ મીડિયા, સ્કૂલ કલ્ચર, પોર્નોગ્રાફી આ બધું પેરેન્ટિંગ પર કઈ રીતે પાણી ફેરવે છે તેના પડ ધીમે ધીમે ખુલે છે. આગળ નાના મોટા સ્પોઇલર છે પણ તેનાથી સિરીઝ જોવામાં કોઈ ખાસ અસર નહી પહોંચે, જો તમે સિરીઝને ડોક્યુમેન્ટ્રી તરીકે લેવાના હો તો. સિરીઝનું નામ ભલે એડોલ્શન્સ હોય પણ ખરેખર તો આજે વાત આ ટીનેજરની નહીં પણ તેના એડલ્ટ પિતાની કરવા...

કોવિશિલ્ડ વેક્સિનનો બીજો ડોઝ 28 દિવસે લઉં કે 42 દિવસે?

" વેક્સિનનો બીજો ડોઝ 28 દિવસે લઉં તો શું વાંધો ?"   અત્યાર સુધીમાં ગયા મહિને પ્રથમ ડોઝ લીધેલા ઘણાં લોકોના અત્યારે 28 દિવસ પુરા થઈ ગયા છે કે થવા આવ્યા છે . ત્યારે બધાના મનમાં ફરીથી એક નવી ગૂંચવળ ઉભી થઇ છે કે હવે આ બીજા ડોઝનું અંતર પંદર દિવસ મોડું કરવાનું કારણ શું ? શું સરકાર પાસે પૂરતી રસી નથી એટલે આવા પોતાના નિયમો લાવી રહી છે ? હું જો બીજો ડોઝ મોડો લઇશ તો એ પહેલાં મને કોરોના થઈ જશે તો ? આવા પ્રશ્નો સાથે વેક્સિનેશન સેન્ટર પર આવતા લોકો અવઢવમાં તો હોય જ છે પણ સાથે થોડો ગુસ્સો અને વિશ્વાસ પણ ડગેલો જોવા મળે છે .   સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ કોવેક્સિનનો બીજો ડોઝ હજુ 28 દિવસના અંતરે જ છે ( અને તેની પણ ભવિષ્યમાં દોઢ થી ત્રણ મહિને થવાની પુરી શક્યતા છે ) અને કોવિશિલ્ડનો બીજો ડોઝ ફેરફાર કરીને 42 થી 56 દિવસના અંતરે આપવાનું નક્કી થયું છે . આ વાતનો પ્રસાર પ્રચાર છાપાઓમાં અને ટીવીના સમાચારોમા થયો જ છે પરંતુ આમ છતાં કેટલાક લોકોના પ્રથમ ડોઝ...

ક્યોંકી જેનેરીક ભી કભી બ્રાન્ડેડ થી

          માનવસહજ ગુણધર્મ આપણો એ છે કે આપણે કોઈ પણ પરિસ્થિતિમાં સસ્તું અને સારું આ બંને વચ્ચે સમતુલન બનાવીને જ જિંદગીના મોટા ભાગના નિર્ણયો લઈએ છીએ. માત્ર ખરીદ વેચાણ જ નહીં પરંતુ હવે તો કેટલાક સંબંધો પણ આપણે આવી જ કેટેગરી નું ફિલ્ટર મારીને શોધીએ છીએ. પરંતુ જ્યારે જિંદગી અને મરણ વચ્ચે નો સવાલ આવે એટલે આપણે સૌથી મોંઘી અને ઉત્તમ નામની નવી કેટેગરી ઉભી કરીયે છીએ અને આ કેટેગેરીને જ આપણે વિશ્વાસપાત્ર માનીએ છીએ. કારણ આપણે આ બાબતમાં ચેડાં જરાય નહીં સાંખી લઈએ.           આજકાલ ચીરનિંદ્રામાંથી ઉઠેલું છતાં અનાદિ કાળથી જેનું અસ્તિત્વ હતુંજ પણ હવે વધતી જતી મોંઘવારીમાં જાગેલું જેનેરીક અને બ્રાન્ડેડ દવાઓનું ભૂત ઘણાખરાઓને વળગ્યું છે. જેનેરીક એ આપણી જરૂરિયાત છે જ્યારે બ્રાન્ડેડ આપણી લકઝરી છે એવું માનતા ઘણાખરા યેદીયુરપ્પા આજે રાજીનામુ આપીને બેસી ગયા છે. જેનેરીક લોકોના મનમાં ઘર કરવા લાગી છે તો સામે ડોકટરો માટે તથા બ્રાન્ડેડ દવાઓ બનાવતી ફાર્મા કંપનીઓ માટે થોડા દુઃખદ સમાચાર બની ગયા છે. બંને પ્રકારની દવાઓના કેટલાક ચડતા તો કેટલાક પડતા પાસા છે પણ મ...

સરકારી દવાખાનાના કેટલાક વીઆઇપી દર્દીઓ સાથે પરિચય

આ લેખની પાત્ર અને ઘટનાઓ જરાય કાલ્પનિક નથી. જેની કોઈ પણ વ્યક્તિ કે ઘટના સાથે સમાનતા થઈ શકે એવું પણ બની શકે અને જો એવું બને તો સમજવું કે આ વ્યક્તિ કે ઘટનાને ઉદ્દેશીને જ લખાયું છે. સરકારી દવાખાનામાં આવનારા કેટલાક દર્દીઓ (ના, ખરેખર આ લોકો દર્દીઓ નથી હોતા) પોતાના જીવનની અમૂલ્ય ક્ષણો કોઈ પણ દર્દ વગર દવાખાનાના નામે કરતા જાય એ ખરેખર પ્રશંસાપાત્ર છે. આ મહાનુભાવોને કારણે જ દવાખાના આટલા વ્યસ્ત રહે છે જે હકીકતમાં સાચા દર્દીઓના સમયને મફતમાં ઓહિયા કરી જતા હોય છે. હવે આ શું માંડી યાર.. સાચા દર્દી અને ખોટા દર્દી..? એવું તે કાઈ હોતું હશે? હા... હોય.. જ્યાં મફતનું બોર્ડ લાગે ત્યાં ઘઉં સાથે કાકરા હોવાના જ... તો તમારી તર્કશક્તિ ને થોડો આરામ આપો અને હલકા ફૂલકા પણ કડવા સત્યને આ મહાનુભાવોના ચરિત્રદર્શન દ્વારા માણીએ.  🧐 ડોકટરના જ્ઞાનની ખરાઈ કરવાવાળા વિશ્વાસ નામની પણ કોઈ ચીજ હોય. પણ અત્યારે વિશ્વાસ કરવો કોના પર? અને આ તો વળી દવાખાનાનો મામલો. કોણ જાણે શું વાંધો હોય અને ડોકટર શું નવુ કાઢીને બેસે? ગાડીને ગેરેજ પર લઇ જાઓ ત્યારે આપણે જે પ્રોબ્લેમ રિપેર કરવા ગયા હોય તેની સાથે બીજી એકાદ વસ્તુઓ પણ 'હવે ચાલે એમ નથ...

ભારતમાં ફાર્મસીસ્ટ માટે લોકોની પાંચ ગેરમાન્યતાઓ

આમ તો ગેરમાન્યતાઓને(misconceptions) ભારત સાથે બહુ જૂનો સંબંધ છે આમ છતાં કોઈ પણ ક્ષેત્ર ભારતમાં એવું તો નહીં જ મળે કે જેની સાથે ખોટી ગેરસમજ જોડાયેલી ના હોય. ક્યારેક લોકોની રૂઢિચુસ્ત સમજણ હોય તો ક્યારેક નિરક્ષરતા હોય તો વળી ક્યારેક જાગૃતિનો અભાવ પણ કોઈ વસ્તુ પ્રત્યે આપણને અજાણ રાખે છે. અજાણ હોવું કે અડધું પડધુ જ્ઞાન હોવું બન્ને ગેરસમજણના રોપા ઉછેરવા માટેની ફળદ્રુપ અવસ્થા છે. આવીજ કંઈક પાંચ સામાન્ય ગેરમાન્યતાઓ સ્વાસ્થ્ય વિભાના સૈનિક એવા ફાર્મસીસ્ટ(pharmacist) માટે પણ છે જેને ફાર્મસીસ્ટ પોતાના સ્વાભિમાનના ભોગે વર્ષોથી સહન કરતો આવ્યો છે. 1. ફાર્માસીસ્ટ એક દુકાનદાર દેશમાં મોટાભાગની વસ્તી ફાર્મસીસ્ટને એક દુકાનદારથી વિશેષ માનતી નથી. લોકો એવું જ માને છે કે જેવી રીતે ઘરવાળીએ બનાવી દીધેલુ લિસ્ટ લઈને આપણે કરિયાણુ લાવીએ છીએ એવી જ રીતે ડોકટરે લખી દીધેલ પ્રિસ્ક્રિપ્શન પર આપણે દવાની દુકાનેથી દવા લઈએ છીએ. જોકે લોકોનો વાંક પણ નથી. મોટાભાગના મેડિકલ સ્ટોર પર દવાની દુકાનનો જ બોર્ડ લાગેલો હોય છે તો પછી દવાની દુકાન વાળો ફાર્મસીસ્ટ કેમ કહેવાય, દુકાનદાર જ ગણાયને! આમ પણ આજકાલ કેટલાક કરિયાણાની દ...

પાબ્લો એસ્કોબાર એટલે દસ માથા વાળો રાવણ

વેબ સિરીઝ: નાર્કોસ  કેરેક્ટર: પાબ્લો એસ્કોબાર  નાર્કોસ સિરીઝ જોઈ હોય તો નીચેના શબ્દો સાથે વધુ તાદાત્મ્ય સાધી શકશો પણ જો ના જોઈ હોય તો કોઈ ચિંતા નથી, એવા પણ કોઈ ખાસ સ્પોઇલર નથી લખ્યા કે જે તમારી સિરીઝ જોવાની મજા બગાડે. સો પ્લીઝ કન્ટીન્યુ. નાર્કોસની વેબ સિરિઝોમાં પાબ્લોનું જે રીતે ચરિત્ર ચિત્રણ કરવામાં આવ્યું છે એ જોઈને ઉપરનું ટાઈટલનું વાક્ય તરત જ મારા મગજમાં ગુંજે. બાયોપિક હોય એટલે જરૂરી નથી કે બેઠેબેઠી જિંદગી ચિતરેલી હોય, પણ હા જે પણ સાહિત્ય કે મીડિયામાં ઉપલબ્ધ ઇતિહાસ હોય એ તમામનો નિચોડ કાઢીને તેને સ્ટોરીલાઈનમાં ફીટ કરીને પરોસેલું હોય. એટલે કે કેટલીક વાતો સ્ત્રીઓની ઓટલા પરિષદની જેમ કે'તો 'તો 'ને કે'તી 'તી ની જેમ મસાલેદાર બનાવેલી હોઈ શકે. આ બાબતને નજરઅંદાજ કરીને ફક્ત આ સિરીઝમાં દેખાતા પાબ્લોની વાત કરવી છે પાબ્લોની જિંદગી જોઈને દાઉદ પણ તેની પાસે નાનું બચ્ચું લાગે, એવી ભાયાનક ક્રુર અને છતાં પણ ક્યારેક દયા આવે એવું વ્યક્તિત્વ છે. જ્યારે જ્યારે એ ડ્રગ્સની સાથે સાથે હિંસા અને રાજકારણમાં અરાજકતા સર્જે છે ત્યારે ત્યારે એ દસ માથા વાળો રાવણ જ લાગે. પણ જ્યારે જ્યારે તેના ...

કોરોનાનો માનવજાતને પત્ર...

  મારા પ્રાણપ્રિય હોમો સેપિયન્સ જય વાયરસ સહ જણાવવાનું કે આપબધા વહેમકુશળ હશો, અમે પણ અહીં ક્ષેમકુશળ છીએ. આપ લોકોએ અમને જે રીતે આદર અને આશરો આપ્યો છે તેના માટે સમગ્ર વાયરસ સમાજ આપનો સદાય ઋણી રહેશે. આપ લોકોના સાથ સહકારથી અમારા બાળકો આજે વૃદ્ધિ પામી રહ્યા છે અને જુદા જુદા દેશો અને દરેક ક્ષેત્રમાં પોતાનો દબદબો બનાવી રહ્યા છે. આના માટે સમગ્ર માનવસમાજે અમને જે સહકાર આપ્યો છે તે ખરેખર પ્રશંસનીય છે. આમારા કોરોના સમાજ માટે આ એક ગૌરવની વાત છે કે કોઈ પણ વાયરસ જાતિને માનવે આટલી નથી અપનાવી જેટલી અમને અપનાવી છે. સાચું કહું તો બીજી વાયરસ જાતિઓને પણ આપણા ગાઢ સંબંધોની ઈર્ષ્યા થાય છે. થોડા સમય પહેલા જ અમારી સ્વાઈન ફલૂ કાકા સાથે વાત થયેલી ત્યારે તેણે અમને કહેલું કે જો તમારે તમારું અસ્તિત્વ ટકાવવું હશે તો બીજા પશુ પંખીઓમાં પોતાનો સમય બરબાદ ન કરતા સીધા હોમો સેપિયન્સને જ તમારો આશરો બનાવજો. વડીલોની વાતોમાંથી ખરેખર ઘણું શીખવા જેવું હોય છે. એમ તો બર્ડ ફલૂ દાદાએ પણ અમને આડકતરો એ જ સંદેશો આપેલો કે પંખીઓમાંથી જ્યારે મેં મારું ઘર માણસજાતમાં શિફ્ટ કર્યું ત્યારે ખબર પડી કે સાચી લકઝરી તો અહીંયા જ છે. પણ બેટા મારે ...

કોવિડપેથી: તમે કઈ દવા લીધી?

  વોર્નિંગ: કોરોનામાં કઈ દવા લેવી જોઈએ એનો જવાબ શોધવા અહીં ક્લિક કર્યું હોય તો પાછા વળી જજો. કોરોના થયા પછીનો ભય તેના લક્ષણો કરતા પણ વધુ હાનિકારક હોય છે. જેવી રીતે અજ્ઞાની હોવું એ સારું નથી તેમ અધૂરા જ્ઞાની હોવું પણ એટલું જ હાનિકારક છે. સૌથી વધુ મૂંઝવણ ત્યારે ઉભી થાય જ્યારે તમને એક સાથે બે કે ત્રણ પેથીઓમાંથી દરેકની ચાર થી પાંચ પ્રકારની સારવાર પદ્ધતિઓ આપના સ્વજનો અને હિતેચ્છુઓ પાસેથી મળે. આવા સમયે આવા સ્વજનોનો હેતુ એકદમ શુદ્ધ હોય છે તો વળી ક્યારેક તેનો પોતાનો અનુભવ પણ હોય છે. માટે દોષ એ લોકોનો અંશમાત્ર પણ ન કહી શકાય. દોષ છે એ કોરોના ગ્રસ્ત દર્દીનો કે જે આટલા બધા ઑપશનમાં મૂંઝાઈને પોતાના માટે ઉત્તમ શું એ પસંદ ન કરી શકે. ખાસ કરીને આઇસોલેશનમાં દર્દીની વિચારક્ષમતા અને કોવિડ પોઝિટિવનો મનમાં ઊંડે લાગેલો ટેગ પણ નિર્ણય ક્ષમતામાં મોટી અસર કરે છે. SOP કે ગાઈડલાઈન એ એવી વસ્તુ છે કે જે મોટાભાગના લોકો માટે સાચી હોય. પરંતુ અહીં મોટાભાગના એટલે દરેક એવું સમજવું ભૂલ ભરેલું છે. જેવી રીતે વેક્સિન લીધા બાદ તેની સાઈડ ઇફેક્ટ કે અસર દરેક શરીર પર થોડા ઘણે અંશે જુદી જુદી થાય એવી જ રીતે કોરોનાની અસર પણ દરેકને...